News Continuous Bureau | Mumbai
Droupadi Murmu IIT Bhilai: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ભિલાઇના દિક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે, આઈઆઈટીયનોએ પોતાની અગ્રણી વિચારસરણી, પ્રાયોગિક માનસિકતા, નવીન અભિગમ અને દૂરંદેશી દ્રષ્ટિકોણ સાથે દેશ અને વિશ્વની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ઘણી વૈશ્વિક કંપનીઓનું નેતૃત્વ કરીને, તેઓ તેમની તકનીકી અને વિશ્લેષણાત્મક કુશળતાથી 21મી સદીના વિશ્વને ઘણી રીતે આકાર આપી રહ્યા છે. આઈઆઈટીના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉદ્યોગસાહસિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને નવી નોકરીઓ બનાવી છે. તેમણે ભારતની ડિજિટલ કાયાપલટ અને સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે.
રાષ્ટ્રપતિએ ( IIT Bhilai ) કહ્યું કે ઉદ્યોગના ક્ષેત્રમાં, એવું કહેવામાં આવે છે, “કોઈ જોખમ નથી, કોઈ ફાયદો નથી.” બીજા શબ્દોમાં કહીએ તો, સ્વ-રોજગારમાં સફળતા જોખમથી દૂર રહેવાના વલણથી પ્રાપ્ત કરી શકાતી નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ તેમની જોખમની ભૂખ સાથે આગળ વધવાનું ચાલુ રાખશે, નવી તકનીકીઓ વિકસાવશે અને વિશ્વને વધુ સારું સ્થળ બનાવવાની દિશામાં કામ કરશે.
President Droupadi Murmu graced the convocation ceremony of IIT Bhilai. The President said that IITians had made an invaluable contribution to the progress of the country and the world with their pioneering thinking, experimental mindset, innovative approach and far-sighted… pic.twitter.com/KoO7MUo2LA
— President of India (@rashtrapatibhvn) October 26, 2024
રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu IIT Bhilai ) કહ્યું કે છત્તીસગઢ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ છે. આદિવાસી સમાજના લોકો પ્રકૃતિને નજીકથી સમજે છે અને પર્યાવરણ સાથે સદીઓથી સુમેળ સાધીને રહે છે. તેઓ કુદરતી જીવનશૈલી દ્વારા સંચિત જ્ઞાનનો ભંડાર છે. તેમને સમજીને અને તેમની જીવનશૈલીમાંથી બોધપાઠ લઈને આપણે ભારતના સાતત્યપૂર્ણ વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરી શકીએ તેમ છીએ. પરંતુ આપણા આદિવાસી ભાઈઓ-બહેનોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સમાવેશી વિકાસ શક્ય છે. તેમણે આદિજાતિ સમાજની પ્રગતિ માટે તકનીકી ક્ષેત્રમાં વિશેષ પ્રયત્નો કરવા બદલ આઈઆઈટી ભિલાઈની ( Convocation ceremony ) પ્રશંસા કરી.
આ સમાચાર પણ વાંચો : Amit Shah West Bengal: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત, પેટ્રાપોલ સ્થિત લેન્ડ પોર્ટ ખાતે આ બિલ્ડિંગનું કરશે ઉદઘાટન.
રાષ્ટ્રપતિએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો કે આઈઆઈટી ભિલાઈ એગ્રી-ટેક, હેલ્થ-ટેક અને ફિન-ટેક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સંસ્થાએ મોબાઇલ એપ્લિકેશનો બનાવવા માટે આરોગ્યસંભાળ ક્ષેત્રે એઈમ્સ રાયપુર સાથે સહયોગ કર્યો છે જે ગ્રામજનોને ઘરે તબીબી સહાય મેળવવામાં મદદ કરે છે. આ સંસ્થાએ ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી, રાયપુર સાથે પણ સહયોગ સાધ્યો છે, જેથી ખેડૂતો માટે એવા ( Technical Sector ) ટેક સોલ્યુશન્સ તૈયાર કરી શકાય કે જે તેમને તેમના સંસાધનોનું યોગ્ય રીતે માર્ગદર્શન અને ઉપયોગ કરવામાં મદદ કરે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે આઈઆઈટી ભિલાઈ મહુઆ જેવા નાના વન ઉત્પાદનો પર કામ કરતા આદિજાતિ સમુદાયોના વિકાસ માટે કામ કરી રહી છે.
રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે આઈઆઈટી ભિલાઈ સર્વસમાવેશક દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહી છે અને વંચિત અને પછાત વર્ગોના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી રહી છે. સંસ્થાએ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા અને ભાગીદારી વધારવા માટે પણ પગલાં લીધાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આઈઆઈટી ભિલાઈ, નવા સ્વપ્નો, નવી વિચારસરણી અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે દેશનું નામ રોશન કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.