Chandipura Virus: વાયરલ એન્કેફેલાઇટીસ(ચાંદીપુરા) વાયરસના સંક્રમણથી બાળકોને સુરક્ષિત રાખીએ

Protect children from viral encephalitis (chandipura) virus infection

News Continuous Bureau | Mumbai

Chandipura Virus: છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના ( Gujarat ) કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટીસ ( Viral encephalitis ) ( ચાંદીપુરા ) વાયરસના ચેપ/સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને ૯ મહિનાથી ૧૪ વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે. સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી. અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઇ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે.  

Protect children from viral encephalitis (chandipura) virus infection
Protect children from viral encephalitis (chandipura) virus infection

Chandipura Virus:  શું છે ચાંદીપુરા વાયરસ?

આ એક RNA વાયરસ ( RNA virus ) છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડફલાય(માખી) જવાબદાર છે. અને આ વાયરસ 9 માસ થી 14 વર્ષ સુધીના બાળકોને ( Children ) પ્રભાવિત કરે છે.

Chandipura Virus:  ચાંદીપુરા વાયરસના લક્ષણો

  1.   બાળકને સખત તાવ આવવો. 
  2.   ઝાડા થવા. 
  3. ઉલટી થવી. 
  4. ખેંચ આવવી. 
  5.  અર્ધબેભાન કે બેભાન થવું.

આ સમાચાર પણ વાંચો:  RPF Operation Nanhe Farishte: રેલવે સુરક્ષા બળ (આરપીએફ)એ છેલ્લા 7 વર્ષ ના દરમિયાન ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 84,119 બાળકોને બચાવ્યા

Chandipura Virus:  ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?

  1.   બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી. 
  2.   બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. 
  3.   સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા. 
  4.   મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. 
Protect children from viral encephalitis (chandipura) virus infection
Protect children from viral encephalitis (chandipura) virus infection

જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી.

કેન્દ્ર તથા રાજયના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા એપીડેમીક મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય તંત્રએ અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઇડલાઇન અને રોગ અટકાયતી કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિત કર્યા છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.