પંજાબ CM ભગવંત માને પોતાની સરકારના આ ભ્રષ્ટાચારી મંત્રીની કરી નાખી છુટ્ટી, હવે ACBએ કરી ધરપકડ.. જાણો શું છે સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પોતાની સરકારના સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) પર ભ્રષ્ટાચારનો(corruption) આરોપ લાગ્યા બાદ પુરાવા મળતા પંજાબના સીએમ(Punjab CM) ભગવંત માને(Bhagwant  Mann) મોટી કાર્યવાહી કરી છે 

સીએમ ભગવંત માને સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને(Vijay Singla) મંત્રી પદ પરથી હટાવી દીધા છે. 

વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ(Contract) બદલ એક ટકો કમિશનની માંગણી કરવાનો આરોપ છે. 

જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની એન્ટી કરપ્શન બ્રાન્ચ(Anti-Corruption Branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  

સીએમ ભગવંત માને કહ્યું કે તેમની સરકારે લોકોને વચન આપ્યું છે કે તેઓ ઈમાનદાર સરકાર આપશે. સરકારમાં ભ્રષ્ટાચાર કરનારને ક્યારેય બક્ષવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે વધુ એક દાવો, કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ હવે કર્યો આ દાવો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More