News Continuous Bureau | Mumbai
Railway news : ઉત્તર પૂર્વ રેલવે ના ગોરખપુર સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે, સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
• 19 જૂનથી 06 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-થાવે જંકશન એક્સપ્રેસ સાબરમતીથી 10.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.50 કલાકે ગોરખપુર પહોંચશે અને 17.00 કલાકે ઉપડીને 20:30 કલાકે થાવે જંકશન પહોંચશે.
• 21 જૂન 2025 થી 8 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19410 થાવે જંકશન-સાબરમતી એક્સપ્રેસ થાવે જંકશન થી 01.00 કલાકે ઉપડશે અને 04:45 કલાકે ગોરખપુર પહોંચશે અને 04.55 કલાકે ઉપડીને બીજા દિવસે 09.55 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં ગોરખપુર-થાવે જંકશન વચ્ચે, આ ટ્રેન કપ્તાનગંજ, પડરૌના અને તમકુહી સ્ટેશનો પર રોકાશે.
આ સમાચાર પણ વાંચો : North Central Railway : અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી આ 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.