News Continuous Bureau | Mumbai
Railway News : પૂર્વોત્તર રેલવે ના કુસ્મહી -ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો ની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, ટ્રેન સંખ્યા 19409/19410 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ, જે અગાઉ રદ સૂચિત કરવામાં આવી હતી, હવે મુસાફરોની સુવિધા માટે, આ ટ્રેનને રીશેડ્યૂલ સમય ની સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે:
- 17, 19, 24, 26 એપ્રિલ અને 1 મે 2025ના રોજ ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આ ટ્રેન સાબરમતી થી 4 કલાક રીશેડ્યુલ રહેશે અને 24, 26 એપ્રિલ અને 1 મે 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ બસ્તી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને બસ્તી-ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 19,21, 26, 28 એપ્રિલ અને 3 મે 2025 ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ને પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને 26, 28 એપ્રિલ અને 3 મે 2025 ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ બસ્તી સ્ટેશન થી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ગોરખપુર-બસ્તી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..
યાત્રીઓ ને વિંનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનો ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.