Rameshwaram Cafe Blast Case: બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIA ને મોટી સફળતા, બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ..

Rameshwaram Cafe Blast Case: કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ 11 માર્ચ, 2024ના રોજ આ બાબતે કહ્યું હતું કે 'ધ રામેશ્વરમ કાફે' માં થયેલા વિસ્ફોટથી સંબંધિત કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે અને તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

by Bipin Mewada
Rameshwaram Cafe Blast Case Big success for NIA in Bengaluru blast case, arrest of main accused of blast.

  News Continuous Bureau | Mumbai

Rameshwaram Cafe Blast Case: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં NIAને મોટી સફળતા મળી છે. બ્લાસ્ટ બાદ ફરાર મુખ્ય શકમંદની NIA દ્વારા બેલ્લારીમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં તેની પૂછપરછ ચાલી રહી છે. 

કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ 11 માર્ચ, 2024ના રોજ આ બાબતે કહ્યું હતું કે ‘ધ રામેશ્વરમ કાફે’ ( Rameshwaram Cafe ) માં થયેલા વિસ્ફોટથી ( Cafe Blast ) સંબંધિત કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે અને તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 1 માર્ચ, 2024 ના રોજ, પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં કેફેમાં બ્લાસ્ટ થયો હતો.

નોંધનીય છે કે, 1 માર્ચ, 2024 ના રોજ, પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં બનેલ એક રેસ્ટોરન્ટમાં ‘ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ’  ( IED ) વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટને કારણે 10 લોકો ઘાયલ થયા છે. આ કેસની તપાસ હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસે છે, જ્યારે બેંગલુરુ ( Bengaluru )  પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ ( CCB ) તેમાં મદદ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: અમિતાભ બચ્ચનના પાડોશી બનવાની કેટલી કિંમત છે? ‘જલસા’ની બાજુમાં આવેલા બંગલાની હરાજી થશે..

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More