RINL: આંધ્રપ્રદેશના સ્ટીલ પ્લાન્ટ માટે મહત્વપૂર્ણ પગલું, RINLને પુનઃરચના માટે આટલા કરોડની મળી મંજૂરી…

RINL: મંત્રીમંડળે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (આરઆઈએનએલ) માટે રૂ. 11,440 કરોડનાં કુલ ખર્ચની પુનઃરચના યોજનાને મંજૂરી આપી

by khushali ladva
RINL Important step for Andhra Pradesh's steel plant, RINL gets approval of this much crores for restructuring...

News Continuous Bureau | Mumbai

  • રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આરઆઇએનએલ માટે આ પ્રકારની વિસ્તૃત પુનરુત્થાન અને પુનર્ગઠન યોજનાને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માન્યો
  • શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, સંપૂર્ણ સ્ટીલ ઉદ્યોગમાં આરઆઈએનએલનું સ્થાન વિશેષ છે
  • આ પ્લાન્ટ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વિઝાગ નજીક આવેલો છે અને દેશ માટે એકંદરે સ્ટીલ ક્ષેત્રે આ એક ખૂબ જ મહત્ત્વની સ્ટીલ કંપની છે
  • આરઆઈએનએલના કર્મચારીઓ તેમજ આરઆઈએનએલની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને ઘણો લાભ થશે અને આંધ્રપ્રદેશનો આગામી દિવસોમાં એક મોટો સ્ટીલ પ્લાન્ટ પુનર્જીવિત કરવામાં આવશે
  • પુનરુત્થાન યોજનામાં કલ્પના કરવામાં આવી છે કે આરઆઈએનએલ જાન્યુઆરી ૨૦૨૫માં બે બ્લાસ્ટ ભઠ્ઠીઓ સાથે અને ઓગસ્ટ 2025 સુધીમાં ત્રણ બ્લાસ્ટ ભઠ્ઠીઓ સાથે સંપૂર્ણ ઉત્પાદન શરૂ કરશે

RINL: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ આરઆઈએનએલ માટે કુલ રૂ. 11,440 કરોડનાં પુનર્ગઠનની યોજનાને મંજૂરી આપી છે.

આરઆઈએનએલ એક શિડ્યુલ  ભારત સરકારની 100 ટકા માલિકી સાથે સ્ટીલ મંત્રાલયનાં વહીવટી નિયંત્રણ હેઠળનું સીપીએસઈ છે. આરઆઈએનએલ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (વીએસપી)નું સંચાલન કરે છે, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં સરકારી ક્ષેત્ર હેઠળનો એકમાત્ર ઓફશોર સ્ટીલ પ્લાન્ટ છે. તેની સ્થાપિત ક્ષમતા 7.3 એમટીપીએ લિક્વિડ સ્ટીલની છે.

આરઆઈએનએલમાં રૂ.10,300 કરોડનું ઇક્વિટી રોકાણ તેને કાર્યકારી મૂડી ઊભી કરવા સાથે સંબંધિત કાર્યકારી સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરશે અને સૌથી વધુ ઉત્પાદક રીતે બ્લાસ્ટ ભઠ્ઠીની કામગીરી શરૂ કરવામાં મદદ કરશે.  

આ સમાચાર પણ વાંચો: Farmer Registry Portal: ગુજરાતમાં ૩૩ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરી, ૫૦% નોંધણી પૂર્ણ પર ખેડૂતોને મળશે વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ…

RINL:  આનાથી કંપની ધીમે ધીમે તેની સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચી શકશે જે મહત્વપૂર્ણ છે અને સ્ટીલ ઉત્પાદનમાં વધારો કરીને ભારતીય સ્ટીલ બજારમાં સ્થિરતા લાવવા માટે રાષ્ટ્રીય હિતમાં છે અને કર્મચારીઓ (નિયમિત અને કરાર આધારિત) અને સ્ટીલ પ્લાન્ટની કામગીરી પર નિર્ભર લોકોની આજીવિકાને પણ બચાવી શકે છે.

પુનરુત્થાન યોજનામાં કલ્પના કરવામાં આવી છે કે આરઆઈએનએલ જાન્યુઆરી 2025માં બે બ્લાસ્ટ ભઠ્ઠીઓ સાથે અને ઓગસ્ટ 2025 સુધીમાં ત્રણ બ્લાસ્ટ ભઠ્ઠીઓ સાથે સંપૂર્ણ ઉત્પાદન શરૂ કરશે.

સ્ટીલનું ઉત્પાદન એ અર્થતંત્રનું મુખ્ય ક્ષેત્ર છે અને તે કોઈપણ દેશના આર્થિક વિકાસનાં સૂચકાંકોમાંનું એક છે. વીએસપીને તેની સંપૂર્ણ ક્ષમતાએ ચાલુ રાખવાથી સરકારી સંસાધનોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત થશે અને રાષ્ટ્રીય સ્ટીલ નીતિ, 2017નાં ઉદ્દેશો પાર પાડવામાં મદદ મળશે.

આ પ્રસંગે રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી માનનીય શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કેઃ “મિત્રો, માનનીય વડા પ્રધાને રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડનાં આરઆઈએનએલને પુનર્જીવિત કરવા માટે રૂ. 11,440 કરોડના પેકેજને મંજૂરી આપી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ, સમગ્ર સ્ટીલ ઉદ્યોગમાં આરઆઈએનએલનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ છે.

આ સમાચાર પણ વાંચો:  Rural Land Digitization: ગ્રામીણ સશક્તિકરણ માટે ડિજિટાઇઝેશન, સાથે ગવર્નન્સના મહત્વ પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો

RINL: આ તે પ્લાન્ટ્સમાંનો એક છે જે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે, વિઝાગ નજીક સ્થિત છે, અને આ દેશ માટે એકંદર સ્ટીલ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટીલ કંપની છે. અને આ પુનરુત્થાન પેકેજ સાથે, આરઆઈએનએલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઘણી ઐતિહાસિક વારસાની સમસ્યાઓનું નિરાકરણ આવશે. તેની સાથે જ, આરઆઈએનએલ માટે કાચા માલને સુરક્ષિત કરવા અને પ્લાન્ટનાં આધુનિકીકરણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવશે.

11,440 કરોડનાં આ પેકેજમાં રૂ. 10,300 કરોડનું નવું ઇક્વિટી ઇન્ફ્યુઝન થયું છે અને કાર્યકારી મૂડી લોનને રૂ. 1,140 કરોડની પ્રેફરન્સ શેર મૂડીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. સંયુક્તપણે આ 11,440 કરોડનું પેકેજ છે.

આ સાથે આરઆઈએનએલના તમામ કર્મચારીઓ તેમજ આરઆઈએનએલની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ લોકોને ઘણો લાભ થશે અને આંધ્રપ્રદેશને આગામી દિવસોમાં એક મોટો સ્ટીલ પ્લાન્ટ પુનર્જીવિત કરવામાં આવશે.

ખૂબ જ ટૂંક સમયમાં આરઆઈએનએલ બે બ્લાસ્ટ ભઠ્ઠીઓ સાથે કામ કરવાનું શરૂ કરશે, અને ઓગસ્ટ સુધીમાં ત્રણેય બ્લાસ્ટ ભઠ્ઠીઓ શરૂ કરવાની યોજના છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More