Site icon

PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ હાઈવે પર રાત્રી મુસાફરી બની રહી છે જોખમી, ક્યારેક વાહનો પર પથ્થરમારો અને તો ક્યારેક લૂંટફાટ..

Robbery incident on samruddhi mahamarg be aware while travelling

PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ હાઈવે પર રાત્રી મુસાફરી બની રહી છે જોખમી, ક્યારેક વાહનો પર પથ્થરમારો અને તો ક્યારેક લૂંટફાટ..

News Continuous Bureau | Mumbai

છત્રપતિ સંભાજીનગર વિસ્તારમાં રાત્રે સમૃદ્ધિ હાઈવે પર દોડતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે આ જ સમૃદ્ધિ મહામાર્ગ પર લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. સમૃદ્ધિ હાઇવે પર એક ટોળકીએ એક વાહન ચાલકને બંદૂક અને તલવાર બતાવી ધાકધમકી આપી લૂંટ કરી છે. એક પછી એક આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવે સમૃદ્ધિ હાઈવે પર રાત્રીના સમયે મુસાફરી કરતા વાહન ચાલકોમાં આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વાહન ચાલકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તે 14 માર્ચે સમૃદ્ધિ હાઇવે પર મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન, એક ટોળકીએ સાવંગી ટનલ પાસે તેમના વાહનને અટકાવ્યું હતું. ત્યારબાદ ટોળકીએ તેમને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. બંદૂક અને તલવારના જોરે તેમની પાસેથી સોનાની બે વીંટી અને 65 હજારની રોકડ પણ લૂંટી લીધી હતી. એટલું જ નહીં, માર માર્યા બાદ ટોળકી તેમના વાહન સાથે નાસી છૂટી હતી. આ ઘટના બાદ મુસાફરે ફુલંબ્રી પોલીસ સ્ટેશન દોડી ગયો હતો અને ઘટનાની જાણ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

સમૃદ્ધિ હાઈવે પર રાત્રી મુસાફરી થઈ રહી છે જોખમી!

સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધામધૂમથી કર્યું હતું. પરંતુ ત્યાર બાદ સમૃદ્ધિ હાઈવે પર સતત અકસ્માતોની હારમાળા ચિંતાનો વિષય બની રહી છે. આવી સ્થિતિમાં સમાન સમૃદ્ધિ હાઈવે પર રાત્રિની મુસાફરી જોખમી બની રહી છે. તેનું કારણ એ છે કે સોમવારે છત્રપતિ સંભાજીનગરના વૈજાપુર તાલુકાના જામબરગાંવ નજીક સમૃદ્ધિ હાઇવે પર ચાલતા પેસેન્જર વાહન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. કુલ ત્રણ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાને ઈજા થઈ હતી. હવે, સમૃદ્ધિ હાઇવે પર સાવંગી ટનલ પાસે ટોળાએ હિવા વાહનને રોકીને લૂંટી લીધા બાદ હંગામો થયો છે.

આ સમાચાર પણ વાંચો : હવે દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ, સેનાના જવાન જેટપેક સૂટ પહેરીને ઉડી શકશે,.. જુઓ ટ્રાયલનો વિડીયો

મુસાફરોએ સાવધાન રહેવું…

સમૃદ્ધિ હાઇવે મુસાફરીને સરળ અને ઓછો સમય લેતો બનાવે છે. તો ઘણા લોકો રાત્રે પણ આ રીતે મુસાફરી કરી રહ્યા છે. જોકે, એક જ સપ્તાહમાં બનેલી આ બે ઘટનાઓએ વાહનચાલકોની ચિંતામાં વધારો કર્યો છે. સમૃદ્ધિ હાઈવે પર રાત્રિના સમયે મુસાફરી કરતી વખતે અનેક સવાલો ઉભા થાય છે. જેથી રાત્રીના સમયે સમૃદ્ધિ હાઈવે પર મુસાફરી કરતી વખતે વાહનચાલકોએ પણ સાવચેતી રાખવી જોઈએ. તેમજ હાઈવે પર રેસ્ક્યુ ટીમ અને હાઈવે પોલીસના નંબરના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને વાહનચાલકો મુશ્કેલીમાં મદદ લઈ શકશે. વાહનચાલક 112 પર ફોન કરીને પણ મદદ માંગી શકે છે.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version