Site icon News Continuous Bureau | Mumbai

શિંદે-ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? શિંદે જૂથના આ ધારાસભ્યએ જણાવી તારીખ…

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકાર છ મહિના પૂર્ણ કરી રહી છે. આ છ મહિનામાં માત્ર એક જ વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. અવાર નવાર કહેવામાં આવતું હતું કે મંત્રીમંડળનું વધુ એક વિસ્તરણ થશે. જેથી અનેક લોકોએ મંત્રી પદ મેળવવા લોબિંગ શરૂ કર્યું હતું. પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થયું ન હતું. પરંતુ હવે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નિશ્ચિત છે

Sanjay shirsat reaction on maharashtra government cabinet expansion

શિંદે-ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? શિંદે જૂથના આ ધારાસભ્યએ જણાવી તારીખ…

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકાર ( maharashtra government ) છ મહિના પૂર્ણ કરી રહી છે. આ છ મહિનામાં માત્ર એક જ વખત મંત્રીમંડળનું વિસ્તરણ ( cabinet expansion ) કરવામાં આવ્યું હતું. અવાર નવાર કહેવામાં આવતું હતું કે મંત્રીમંડળનું વધુ એક વિસ્તરણ થશે. જેથી અનેક લોકોએ મંત્રી પદ મેળવવા લોબિંગ શરૂ કર્યું હતું. પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થયું ન હતું. પરંતુ હવે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નિશ્ચિત છે. કેબિનેટ વિસ્તરણની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે ( Sanjay shirsat ) રાજ્ય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તેમ કહીને આ વિસ્તરણની તારીખ પણ જણાવી છે.

Join Our WhatsApp Channel

સંજય શિરસાટે મીડિયા સાથે વાતચીત દરમિયાન કેબિનેટ વિસ્તરણની તારીખ જણાવી છે. હવે રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે. 20 થી 22 જાન્યુઆરી દરમિયાન કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. 15 જાન્યુઆરી સુધીમાં ટેકનિકલ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સંજય શિરસાટે કહ્યું છે કે કેબિનેટ વિસ્તરણને લઈને કોઈ પર કોઈ દબાણ નથી, પાર્ટી મારા અંગે જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. દરમિયાન આ વખતે તેમણે શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતને પણ પડકાર ફેંક્યો છે. આ સમયે તેમણે ઠાકરે જૂથની શિવસેનાની પણ ટીકા કરી હતી. આગામી 8-10 દિવસમાં શિવસેના ખાલી થઈ જશે. શિરસાટે એવો પણ દાવો કર્યો હતો કે શિવસેનાના બાકીના ધારાસભ્યો 8 થી 10 દિવસમાં શિંદે જૂથમાં જોડાશે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ સાથે એકસીડન્ટની ઘટના વધી, ધનંજય મુંડે બાદ હવે આ ધારાસભ્યને નડ્યો અકસ્માત.. ટ્રકે મારી ટક્કર…

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Exit mobile version