Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર માં આ બે ધોરણ ની પરીક્ષા ફી માફ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર

કોરોનાકાળમાં ઘણા બાળકો અનાથ થયા છે. આવા બાળકોના શિક્ષણમાં કોઈપણ જાતનો વિક્ષેપ ન પડે તેથી આ ર્નિણય લેવાયો છે. જે બાળકોના પિતાનું મોત કોરોનાને લીધે થયું છે. તેમને પરીક્ષા ફી ભરવામાં અડચણ થઈ શકે. આ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેશે તો તેમના આગળના શિક્ષણમાં અવરોધ ઉભો થવાની શક્યતા છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળે આ ર્નિણય લીધો છે. મહિલા અને બાળવિકાસ પ્રધાન શ્રીમતી ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે, 'વિવિધ યોજનાઓના માધ્યમથી આ બાળકોના શિક્ષણ અને ઉછેર માટે પ્રયત્ન કરવામાં આવશે. અગાઉ રાજ્ય સરકારે કોરોનાને લીધે અનાથ થયેલા બાળકોને મદદ તરીકે પાંચ લાખ રૃપિયા આપ્યા છે. આ ર્નિણયને લીધે બાળકોને કેટલાંક પ્રમાણમાં આર્થિક સુરક્ષા મળી છે. હવે વિવિધ યોજનાના માધ્યમથી બાળકોના શિક્ષણ અને પાલનપોષણ માટે પ્રયત્ન કરાશે.કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકોએ માતા- પિતાનું છત્ર ગુમાવી દીધું છે. તેમાંથી જે બાળકો દસમા અને બારમા ધોરણના છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. શાળેય શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આ વિશે માહિતી આપી છે.

Join Our WhatsApp Channel

રાજસ્થાન માં ટેનશન, જયપુરમાં દ.આફિકાથી આવેલા પરિવારના ૪ સભ્યો કોરોના પોઝિટિવ

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version