Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પૂરગ્રસ્ત વિસ્તારોનું(of flood prone areas) મુલાકાત લેવાનું CM એકનાથ શિંદેએ(Eknath Shinde) શરૂ કર્યું છે. આ જ ક્રમમાં તેઓ શનિવારે ઔરંગાબાદ(Aurangabad) ગયા ત્યારે અચાનક દિલ્હીથી(Delhi) તેડું આવતા મુખ્યમંત્રી અધવચ્ચેથી પ્રવાસ છોડીને દિલ્હી પહોંચી ગયા હતા. આ પછી તેઓ દિલ્હીના એરપોર્ટની(Delhi Airport) વીઆઇપી લોજમાં(VIP lodge) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી  મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી. ત્યારબાદ તેઓ તરત જ  મહારાષ્ટ્ર પરત ફર્યા હતા. અને રવિવારે સવારે સંજય રાઉતની(Sanjay Raut) સામે તપાસ એજન્સી ઈડીએ(ED) કાર્યવાહી શરૂ કરી હતી. આથી શિંદે દિલ્હીમાં મહારાષ્ટ્રના પ્રધાન મંડળની વિસ્તરણ(Expansion of Cabinet) તેમ જ શિવસેના નેતા સંજય રાઉતની ઈડીની કાર્યવાહી બાબતે વાતચીત થઈ હોય એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત થયા જેલભેગા- ઉદ્ધવ ઠાકરેએ નેતાના ઘરે પહોંચ્યા- પરિવારજનો સાથે કરી મુલાકાત- જુઓ ફોટોગ્રાફ્સ

આ બધા વચ્ચે નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે શપથ લીધા બાદ એક મહિનામાં શનિવારે રાતે છઠ્ઠી વખત દિલ્હીની મુલાકાતે ગયા હતા. જોકે આ વખતે તેઓ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-4ના વીઆઇપી ઝોનમાં(VIP zone) મળ્યા હતા. બન્ને વચ્ચે 45 મિનિટ ચર્ચા થઈ હતી. આ પછી શિંદે મહારાષ્ટ્રમાં પરત ફર્યા અને ઔરંગાબાદના પ્રવાસને આગળ શિંદે શરૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારને(Shinde-Fadnavis government) એક મહિનો પૂરો થયો હોવા છતાં કેબિનેટનું હજુ વિસ્તરણ થયું નથી. જો કે, છેલ્લા એક મહિનામાં શિંદે-ફડણવીસ સરકારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધીના લગભગ તમામ ક્ષેત્રો માટે નિર્ણયો લીધા છે.

Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે
Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Exit mobile version