ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
પંજાબની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થયો છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જિલ્લાની કોંગ્રેસ સમિતિના ગ્રામીણ વિભાગના અધ્યક્ષ ભગવંત પાલ સિંહ સહિત કોંગ્રેસના પાંચ વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસનો સાથ છોડનારા નેતાઓમાં પ્રદીપ સિંહ ભુલ્લર, રતન સિંહ સોહલ, પરમજીત સિંહ રંધાવા અને તનજિંદરપાલ સિંહનો સમાવેશ થાય છે.
આમ આગામી ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેવું અનુમાન કેટલાક રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કર્યું છે.
