Site icon

શું શરદ પવાર હવે યુ.પી.એ.ના ચેર પર્સન બનશે? સોનિયા ગાંધી રાજીનામું આપશે..!! રાહુલ ગાંધી નહીં સંભાળે કમાન.. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020 

શું કેન્દ્રીય રાજનીતિમાં મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે!? સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કે, થોડા સમયમાં સોનિયા ગાંધી યૂપીએ (UPA)ના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રો મુજબ સોનિયા ગાંધી પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે યૂપીએ પ્રમુખના રૂપમાં આગળનો કાર્યકાળ જારી રાખવા તૈયાર નથી. હવે તે મુખ્યધારાની રાજનીતિમાં પણ વધુ સક્રિય નથી. ત્યારે સવાલ એ છે કે જો સોનિયા ગાંધી કોંગ્રેસ નું અધ્યક્ષ પદ છોડે છે તો તેના સ્થાને કોણ આવશે? કારણકે રાહુલ ગાંધી પક્ષના પ્રમુખ બનવા પહેલાથી જ ઇનકાર કરી ચુક્યા છે. 

Join Our WhatsApp Community

આ સમયે કોંગ્રેસ નેતાઓનો એક વર્ગ માને છે કે શરદ પવારને યૂપીએના અધ્યક્ષ બનાવવા જોઈએ. જેમ મહારાષ્ટ્રમા શરદ પવાર કોંગ્રેસના નેતૃત્વ વાળા ગઠબંધન યૂપીએનું નેતૃત્વ કરી રહયાં છે. એવા સમયે સવાલ થાય કે શું શરદ પવાર મહારાષ્ટ્રની જેમ જ દેશભરમાં ભાજપના ગઢમાં સેંધ મારવા માંગે છે.? પવાર એક અનુભવી રાજનેતા હોવાના નાતે યૂપીએના સહયોગીઓ વચ્ચે ખુબ સન્માનિત છે. તે પોતાના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સારી પકડ ધરાવે છે. તેમજ સંસદના બને સદનમાં પણ તેઓનું માન છે. 

આમ કોંગ્રેસ પાસે હાલ કોઈ એવો અનુભવી ચહેરો નથી જે UPA ની તમામ પાર્ટીના નેતાઓને સાથે લઈને ચાલી શકે. કોંગ્રેસીઓ રાજકુમાર રાહુલ ગાંધી તરફ મીટ માંડી રહયાં છે પરંતુ તેઓ સ્પષ્ટ રૂપે ફરીથી કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાનો ઇનકાર કરી ચુક્યા છે અને સોનિયાનું સ્વાસ્થ સારું નથી ત્યારે UPA અને કોંગ્રેસીઓને શરદ પવાર, અધ્યક્ષના રૂપમાં સારો વિકલ્પ લાગી રહયાં છે.

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version