કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

કૃષિ કાયદાને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું હતું. કૃષિ કાયદાને લઈને ભાજપથી દૂર થઈ ગયેલું શિરોમણી અકાલી દળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ શું ભૂમિકા અપનાવશે તેના પર સૌ કોઈની નજર હતી.  એવા સમયે શિરોમણીએ તેઓ ભાજપ સાથે પાછું ગઠબંધન નહીં બાંધે એવી જાહેરાત કરી છે.

તો કૃષિ કાયદાને કારણે રાજીનામું આપનારા હરસિમરતે કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમ જ તેમણે કહ્યું હતું કે 800 શહીદ થયેલા ખેડૂતોને યાદ કરવાનો દિવસ છે, જેમણે આ કાયદા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. 

કોંગ્રેસમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

તો જે કાયદા માટે ભાજપ સાથે ગઠબંધન તોડવામાં આવ્યું હતું તે કાયદો પાછો ખેંચાતા ભાજપ સાથે ફરી જોડાણ કરવાની શકયતાને શિરોમણી અકાલી દળે નકારી કાઢી હતી. અકાલી દળના અધ્યક્ષ સુખબીર  બાદલે કહ્યું હતું કે  મોદી સરકાર જે કાળા કાયદા લાવી હતી તે તેમને પાછા લેવા પડયા છે. ખેડૂતો આ કાયદાને કોઈ દિવસ નહીં માને એ અમે શરૂઆતથી કહી રહ્યા હતા, જે વાત સાચી પડી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More