Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનામાં આંતરિક વિગ્રહ: શિવસેનાથી સાઈડલાઈન કરાયેલા આ નેતાએ કર્યો વળતો પ્રહારઃ કહ્યું પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છે કે બીજું કોઈ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Channel

શનિવાર. 

બીજા રાજકીય પક્ષોની  માફક હવે શિવસેનામાં આંતરવિગ્રહ તેની ચરસીમાએ પહોંચી ગયો હોવાનું કહેવાય છે. પક્ષના બે અગ્રણી નેતાઓ વચ્ચેનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. શિવસેનાના નેતા અને  ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ વિરુદ્ધ વાયરલ થયેલી ઓડિયો ક્લીપને કારણે શિવસેનાના નેતા રામદાસ કદમ સહિત તેમના સમર્થકોને સાઈડલાઈન કરી દેવાયા છે. તેને કારણે રામદાસ કદમ ભડકી ગયા છે. પક્ષના આ પગલાં બાદ તેમણે પત્રકાર પરિષદ લઈને અનિલ પરબ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. 

રામદાસ કદમે પત્રકાર પરિષદ લઈને અનિલ પરબ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છે કે અનિલ પરબ એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
રામદાસ કદમની પક્ષમાં સતત અવગણના થઈ રહી છે. તેથી તેઓ પક્ષ સાથે છેડો ફાડવાની અફવાએ જોર પકડયું છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેઓ મર્યા સુધી પક્ષનો સાથ છોડશે નહીં પણ છોકરાઓ તેમનો નિર્ણય લેવા આઝાદ છે. પક્ષમાંથી હકાલપટ્ટી થઈ તો પણ શિવસૈનિક તરીકે જીવીશ એવો દાવો પણ તેમણે કર્યો હતો.

રાષ્ટ્રપતિ બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી; જાણો વિગતે 

 

Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ
Vikram Kakade Net Worth। પવાર પરિવારના નજીકના વિક્રમ કાકડેની લક્ઝરી લાઈફસ્ટાઈલ! કરોડોની બોટ, મોંઘી કાર અને જય પવાર સાથે કરોડોની ડીલ
Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version