Site icon News Continuous Bureau | Mumbai

પર્યાવરણ : તાનસા અભયારણ્યમાંથી સાગનાં વૃક્ષોની તસ્કરી, 70વૃક્ષ ગાયબ થયાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

તાનસા અભયારણ્યમાંથી રાતોરાત સાગનાં ૭૦ વૃક્ષો ગાયબ થઈ ગયાં છે. તસ્કરોએ અંધારાનો ફાયદો ઉઠાવી તપાસ સ્ટેશનોના નાક નીચેથી સાગના લાકડાની તસ્કરીનો આ ગોરખધંધો ફરી શરૂ કર્યો છે. વૈતરણા વિભાગના તાનસા વન્યજીવ વનપરિક્ષેત્રની હદમાં વાડા તાલુકાના નિશેત ગામ નજીક કમ્પાર્ટમેન્ટ નં. ૯૩૭માં વૃક્ષોની બેફામ કતલ કરાઈ છે. વન્યજીવન વિભાગના વૈતરણા વિભાગમાં મોટા પ્રમાણમાં જંગલ ફેલાયેલું છે. વાડા તાલુકાના નિશેત ગામની હદમાં ઘટેલી આ ઘટનાથી હોબાળો મચી ગયો છે.

ખર્ડીથી વાડા આ રસ્તાની નજીક રહેલા સાગનાં અંદાજે ૭૦ વૃક્ષો ચોરોએ કટર મશીનથી કાપ્યાં છે. આ વૃક્ષો કાપીને તેનાં લાકડાં ભેગા કરીને લઈ જવાનું કામ ચોરોએ એક જ રાતમાં કર્યું છે. આ વિસ્તારમાં વૃક્ષો તોડનારી મોટી ટોળકી ખૂબ જ સક્રિય છે. હવે આ મામલે વન પરિક્ષેત્ર અધિકારીઓએ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જોકેતોડવામાં આવેલાં સાગનાં લાકડાં જપ્ત કરાયાં છે, પરંતુ આ ગુના હેઠળ આરોપીઓની શોધ શરૂ છે.

જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો

ઉલ્લેખનીય છે કે સાગનું લાકડું ખૂબ જ કીમતી હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ સાગના વૃક્ષમાંથી મોટા પ્રમાણમાં ઑક્સિજનનું ઉત્સર્જન પર્યાવરણમાં થાય છે. તેથી સાગનાં વૃક્ષોનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version