Site icon News Continuous Bureau | Mumbai

કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મહારાષ્ટ્ર સરકારે કરિયાણાની દુકાનો અને મોલ્સમાંથી વાઇન વેચવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયના અમલ પહેલા રાજ્યના આબકારી વિભાગે રાજ્યના નાગરિકો પાસેથી 29 જૂન સુધી વાંધા-સૂચનો મંગાવ્યા છે.

Join Our WhatsApp Community

જો વાઇન સહેલાઈથી ઉપલબ્ધ થશે તો સામાન્ય લોકોના બાળકો વ્યસન તરફ વળશે એવો દાવો અનેક સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા મહેસૂલ વધારવાનો નિર્ણય લોકોના હિતની વિરુદ્ધ હોવાથી અનેક સામાજિક સંસ્થાઓ પણ તેની સામે રસ્તા પર ઉતરી આવી હતી. પરિણામે, સરકારે હવે રાજ્યના નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. મળેલા વાંધાઓ અને સૂચનોને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : અનામતને લઈને કેરળ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો, જાણો વિગતે

વિપક્ષ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓએ કરિયાણાની દુકાનોમાંથી દારૂના વેચાણનો ઉગ્ર વિરોધ કર્યો છે. લોકો અને સામાજિક કાર્યકરોના આક્રોશને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે સામાન્ય જનતાને સૂચનો અને વાંધાઓ નોંધાવવા માટે એક અલગ ઈ-મેલ જાહેર કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બજેટ સત્રમાં વિપક્ષે રાજ્ય સરકારના દારૂ વેચવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી.

આબકારી કમિશનરે વાંધા અને સૂચનો dycomm-inspection@mah.gov.in પર મેઇલ દ્વારા અથવા કમિશનર ઓફ સ્ટેટ એક્સાઇઝ, 2જી માળ, જૂના જકાત ઘર, શહીદ ભગત સિંહ માર્ગ, ફોર્ટ મુંબઈ 400023 પર પોસ્ટ દ્વારા મોકલવા અપીલ કરી છે. વાંધા અને સૂચનો 29 જૂન સુધી સ્વીકારવામાં આવશે

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version