Site icon News Continuous Bureau | Mumbai

કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મહારાષ્ટ્ર સરકારે કરિયાણાની દુકાનો અને મોલ્સમાંથી વાઇન વેચવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયના અમલ પહેલા રાજ્યના આબકારી વિભાગે રાજ્યના નાગરિકો પાસેથી 29 જૂન સુધી વાંધા-સૂચનો મંગાવ્યા છે.

Join Our WhatsApp Channel

જો વાઇન સહેલાઈથી ઉપલબ્ધ થશે તો સામાન્ય લોકોના બાળકો વ્યસન તરફ વળશે એવો દાવો અનેક સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા મહેસૂલ વધારવાનો નિર્ણય લોકોના હિતની વિરુદ્ધ હોવાથી અનેક સામાજિક સંસ્થાઓ પણ તેની સામે રસ્તા પર ઉતરી આવી હતી. પરિણામે, સરકારે હવે રાજ્યના નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. મળેલા વાંધાઓ અને સૂચનોને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : અનામતને લઈને કેરળ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો, જાણો વિગતે

વિપક્ષ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓએ કરિયાણાની દુકાનોમાંથી દારૂના વેચાણનો ઉગ્ર વિરોધ કર્યો છે. લોકો અને સામાજિક કાર્યકરોના આક્રોશને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે સામાન્ય જનતાને સૂચનો અને વાંધાઓ નોંધાવવા માટે એક અલગ ઈ-મેલ જાહેર કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બજેટ સત્રમાં વિપક્ષે રાજ્ય સરકારના દારૂ વેચવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી.

આબકારી કમિશનરે વાંધા અને સૂચનો dycomm-inspection@mah.gov.in પર મેઇલ દ્વારા અથવા કમિશનર ઓફ સ્ટેટ એક્સાઇઝ, 2જી માળ, જૂના જકાત ઘર, શહીદ ભગત સિંહ માર્ગ, ફોર્ટ મુંબઈ 400023 પર પોસ્ટ દ્વારા મોકલવા અપીલ કરી છે. વાંધા અને સૂચનો 29 જૂન સુધી સ્વીકારવામાં આવશે

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version