Telangana: તેલંગાણામાં 2023માં દર કલાકે ટ્રાફિક ઉલ્લંઘન મામલે આટલા કેસ નોંધાયા…. રિપોર્ટના આંકડા ચોંકવનારા..

Telangana: તાજેતરમાં ટેક્નોલોજીના વધારા સાથે, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરનારાઓને ઓળખવા અને તેમને સજા કરવાનું હવે સરળ બન્યું છે. તેમ છતાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે.

by Bipin Mewada
Telangana In Telangana in 2023, so many cases of traffic violations were reported every hour.... The statistics of the report are shocking..

News Continuous Bureau | Mumbai

Telangana: તેલંગાણામાં વાહનચાલકોની ( motorists ) હાલત એવી છે કે ગમે તેટલા ચલણ જારી કરવામાં આવે અને કેટલો પણ દંડ વસૂલવામાં આવે તો પણ અહીં ટ્રાફિક નિયમનું ( Traffic Regulation ) ઉલ્લંઘન બંધ થવાનું નામ લેતું નથી. 2023 ના ડેટા અનુસાર, રાજ્યમાં દર કલાકે ટ્રાફિક ઉલ્લંઘનની ( traffic violations ) સરેરાશ સંખ્યા 1,731 હતી. તાજેતરમાં ટેક્નોલોજીના વધારા સાથે, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરનારાઓને ઓળખવા અને તેમને સજા કરવાનું હવે સરળ બન્યું છે. 

એક અહેવાલ મુજબ, તેલંગણામાં ટ્રાફિક નિયમ ઉલ્લંધનના ( Traffic rule violation ) કેસોની સંખ્યા વધી રહી છે. ગયા વર્ષે, રાજ્યમાં ટ્રાફિક નિયમ ઉલ્લંઘનના 1,51,63,986 કેસ નોંધાયા હતા અને તે માટે 519 કરોડ રૂપિયાનો દંડ ( penalty ) વસૂલવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે દરરોજ સરેરાશ 41,544 ટ્રાફિક ઉલ્લંઘનના કેસ નોંધાઈ રહ્યા છે અને 1.42 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ કોઈ સામાન્ય બાબત નથી.

લોકો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફરવા તૈયાર, પરંતુ નિયમોનું પાલન નથી કરવું..

દંડ લાદવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં જાગૃતિ અને જવાબદારી પેદા કરવાનો છે. પરંતુ તેમ છતાં તેઓ દંડ ભરવા માટે તૈયાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરી રહ્યા. રાજ્યના પાટનગરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ રાજ્યના નાના-મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો : India-Maldives row: ભારત માલદીવ વચ્ચેના વિવાદ વચ્ચે, હવે વ્યાપારી સંસ્થાઓએ લીધો આ મોટો નિર્ણય..

2023 ના ડેટા અનુસાર, આ સમસ્યાઓના નિરાકરણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે સાથે યોગ્ય દેખરેખની પણ જરૂર છે. રસ્તા પર ક્યાંય પણ વાહનો અટકે ત્યારે સમસ્યા સર્જાય છે. વન-વે રોડ પર વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનો અને લાલ સિગ્નલ હોવા છતાં વાહનો આગળ વધવા જેવા ઉલ્લંઘનને કારણે ટ્રાફિક સમસ્યાઓમાં વધારો થાય છે. જો 100 માંથી એક વ્યક્તિ નિયમોનું પાલન ન કરે તો પણ તેની અસર બાકીના પર પડે છે.

ભીડના સમયે જો કોઈ એક વ્યક્તિ રસ્તા પર વાહન રોકે તો પણ તે રસ્તા પરનો ટ્રાફિક બંધ થઈ જઈ શકે છે. તેથી જ ટ્રાફિક પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધી રહી છે. તેમ જ સીસીટીવી કેમેરા દ્વારા પણ કેસ નોંધાય રહ્યા છે. ઉલ્લંઘનના આધારે આ મામલામાં દંડ લાદવામાં આવે છે. જો તે ચૂકવવામાં નહીં આવે, તો વાહનો જપ્ત કરવામાં આવે છે. જો કે, આ પછી પણ, ટ્રાફિક નિયમના ઉલ્લંઘનની સમસ્યા ઓછી નથી થઈ રહી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More