Uddhav Thackeray: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! ઉદ્ધવ-શિંદે સંઘર્ષમાં સંભાજીનગર (Aurangabad) કેમ બન્યું નવું કેન્દ્ર?

સંભાજીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તણાવ ચરમસીમા પર; ઉદ્ધવના પ્રવાસ પહેલાં શિંદેએ અચાનક કાર્યક્રમ જાહેર કર્યો

by aryan sawant
Uddhav Thackeray મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! ઉદ્ધવ-શિંદે સંઘર્ષમાં સંભાજીનગર

News Continuous Bureau | Mumbai
Uddhav Thackeray  મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે જબરદસ્ત રાજકીય જંગ જોવા મળી રહ્યો છે. બંને તરફથી આકરા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે બંને જૂથોની નજર સંભાજીનગરની મહાનગરપાલિકા પર ટકેલી છે. આ જ કારણ છે કે આ રાજકીય લડાઈ વધુ તીવ્ર બની છે. ઉદ્ધવ ઠાકરેના પ્રવાસ પહેલાં એકનાથ શિંદેએ પણ તાત્કાલિક સંભાજીનગરનો કાર્યક્રમ જાહેર કરીને રાજકીય ગરમી વધારી દીધી છે.

સંભાજીનગર મહાનગરપાલિકા પર લડાઈ

છત્રપતિ સંભાજીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઉદ્ધવ ઠાકરે શનિવારે સંભાજીનગરની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે.આ યોજના તેમની પહેલી થી જ નક્કી હતી.તેના એક દિવસ પહેલાં જ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે અચાનક પ્રવાસનું એલાન કરીને ક્ષેત્રની રાજકીય ગરમીમાં વધારો કર્યો છે. ઉદ્ધવ અને એકનાથ બંને નેતાઓ સંભાજીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં પોતાનો કબજો જમાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.

શિંદે જૂથનો અચાનક શક્તિ પ્રદર્શનનો આદેશ

શનિવારે ઉદ્ધવ ઠાકરેનો પહેલેથી નક્કી કાર્યક્રમ થવાનો છે, જ્યાં તેઓ પક્ષના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે, રોડ શો કરશે અને એક મોટી જનસભાને સંબોધશે. પરંતુ આ વચ્ચે, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે અચાનક પોતાના સંભાજીનગર પ્રવાસનું એલાન કરીને રાજકીય હલચલ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથને ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમની જાણ થતાં જ, તેમણે તરત જ પોતાના સ્થાનિક નેતાઓને સક્રિય કરી દીધા અને ઉદ્ધવના પ્રવાસના એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે શક્તિ પ્રદર્શન કરવાનો આદેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Live Frogs: ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, જેણે સૌને ચોંકાવી દીધા,એક કે બે નહીં, અધધ આટલા જીવતા દેડકા ગળી ગઈ વૃદ્ધ મહિલા,જાણો પછી તેની સાથે શું થયું

બંને જૂથો વચ્ચે પ્રતિષ્ઠાની જંગ

સંભાજીનગર મહાનગરપાલિકા પર અગાઉ અવિભાજિત શિવસેનાનું શાસન હતું, પરંતુ હવે બંને જૂથો વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ તેના ચરમ પર છે. રાજકીય જાણકારોનું કહેવું છે કે આ પગલું સંભાજીનગર મહાનગરપાલિકા પર કબજાની જંગને વધુ તેજ કરનારું સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્તરે બંને પક્ષોએ કાર્યકર્તાઓની મીટિંગ, બેનર-પોસ્ટર અને રેલીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવનારા દિવસોમાં સંભાજીનગરનું રાજકારણ વધુ ગરમ થવાના અણસાર છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More