Site icon

દિલચસ્પ વિગત : મહારાષ્ટ્ર ના આ શહેરમાં એક નહીં પણ સત્તરવાર રોગ ની લહેર આવી હતી.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર.

       કોરોનાને લીધે છેલ્લા એક વર્ષમાં બધા ત્રાહિમામ પોકારી ગયા છે. આ મહામારીથી સામાન્ય જનતાથી લઈ ને પ્રશાસન અને તબીબો વગેરે ત્રસ્ત થઇ ગયા છે.ત્યાંજ લગભગ આજથી દોઢસો વર્ષ પહેલાં, પ્લેગના ની મહામારી આવી હતી. ઈ.સ.1850 થી 1945 દરમિયાન મહારાષ્ટ્ર જિલ્લામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. તેના ઘણા ઐતિહાસિક પુરાવા મિરાજ ઇતિહાસ સંશોધન મંડળ દ્વારા આપવામાં આવ્યા છે.

    પાછલા એક વર્ષમાં આ સંસ્થા એ તે સમયના પ્લેગ વિશે ત્યારની લિપિમાં દસ્તાવેજોનો અભ્યાસ કર્યો છે. પ્લેગમાં તે સમયે સાંગલીમાં એક વ્યક્તિના મૃત્યુની નોંધ છે. આ રોગચાળાને નાબૂદ કરવા માટે તે સમયે કરવામાં આવતી પૂજા અને ધાર્મિક વિધિઓના રેકોર્ડ પણ છે.1850 થી 1870 સુધી સાંગલીમાં આવા ચેપી રોગોના વારંવાર પ્રકોપના રેકોર્ડ છે.ત્યારે સાંગલી સહિતના વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. લોકો સ્થળાન્તર કરી ગયા હતા.1897 અને 1945 ની વચ્ચે, જિલ્લામાં 16 વાર પ્લેગની લહેર આવી હતી.દરરોજ 20 થી 50 મૃત્યુના રેકોર્ડ છે.આ આંકડા તત્કાલીન વસ્તી કરતા વધારે છે. તત્કાલીન વસાહતી અને બ્રિટીશ વહીવટી તંત્રે પ્લેગને નિયંત્રણમાં રાખવા સખત પ્રયાસો કર્યા. લોકોને બળજબરીથી ગામમાંથી કાઢીને ખાસ કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા.સરકાર કક્ષાએ ઘણા વર્ષો સુધી  રસીકરણ, દવાઓ, લોક જાગૃતિ અભિયાન શરૂ કરાયા હતા.

મહત્વપૂર્ણ સમાચાર : મુંબઈ શહેરમાં હવે ગાડી ઉપર કમ્પલસરી લગાડવા પડશે આ ત્રણ રંગના સ્ટીકર. જેના આધારે પ્રવાસ કરવા મળશે.
 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version