કોરોનાની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ હતી
આ દરમિયાન વેક્સીન એકમાત્ર વિકલ્પ હોવાથી રસીકરણ માટે નાગરિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
જોકે હવે રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવતા રસીકરણ અભિયાન પણ ધીમું પડ્યું છે.
ઉસ્માનાબાદના તુલજાપુર તાલુકાના વડગાંવ (કાટી) ગ્રામ પંચાયત દ્વારા માત્ર 50 લોકોને રસી આપવામાં આવી હતી. તો પરભણીના રસીકરણ કેન્દ્રમાં ફક્ત 25 લોકોને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા, આ જ કેન્દ્રો પર 300 થી 400 લોકોને રસી આપવામાં આવી રહી હતી.
બ્રેકિંગ ન્યુઝ : એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા ના ઘરે એન.આઇ.એ નો છાપો. જાણો વિગત..
