182
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
પશ્ચિમ – મધ્ય રેલ્વેના કોટા રેલ્વે વિભાગમાં આગળ શનિવારે રેલ્વેના ઓવ્હરહેડ વાયરની ચોરી અંગેનું પ્રકરણ બહાર આવ્યું છે. કોટા વિભાગમાં રામગંજમંડીથી ભોપાલ જતાં નવા રેલ્વે માર્ગ પર ગુરુવારે રાત્રે આ ઘટના ઘટી હતી.
ઝાલરાપાટનથી જુનાખેડા સ્ટેશનોની વચ્ચેના 25000 વોલ્ટેજ ના ઓવ્હરહેડ વાયરોને ચોરી કાપીને લઈ ગયા. પશ્ચિમ મધ્ય રેલ્વેના પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્તના અધિકારી એ ઘટનાસ્થળની સવિસ્તાર માહિતી લીધી હતી અને ત્યાર બાદ રેલવે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ પ્રકરણ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ચોરી કરેલા ઓવ્હરહેડ વાયરની કિંમત અંદાજે દસ લાખ રૂપિયા આંકવામાં આવે છે.
મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.
You Might Be Interested In