Site icon News Continuous Bureau | Mumbai

કામરેજના નવી પારડીનું પરિવાર સાળંગપુર દર્શને ગયું અને તસ્કરો બંધ ઘરમાં હાથ ફેરો કરી ગયા.

મૂળ કામરેજના ઘલાના વતની અને હાલ ધોરણ પારડી ખાતે પટેલ ફળિયામાં રહેતા પીપોદરા ખાતેની માનસી ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

theft at kamrej during day time

theft at kamrej during day time

News Continuous Bureau | Mumbai
ગત 14 એપ્રિલના રોજ આખો પરિવાર નવી પારડી ખાતેથી રાત્રીના આઠ વાગ્યા આસપાસ સાળંગપુર ખાતેના હનુમાનજી મંદિરે દર્શન માટે ગયા હતા.સાળંગપુર મંદિર પહોંચેલા પરિવારને તેમના સંબંધિત જનોએ ઘરનું તાળું તૂટ્યું હોવાનું જણાવ્યું હતું.અજય પટેલે મંદિર સાળંગપુર મંદિર ખાતેથી તેમના ધોરણ પારડી ખાતેના ઘરની સામે રહેતા વ્યક્તિને ઘર જોવાની જાણ કરી હતી. ત્યારે ઘરનો કબાટ ખુલ્લો તેમજ સામાન વેર વિખેર હાલતમાં પડેલો હોવાની વાત બહાર આવી હતી.પરિસ્થિતી પામી ગયેલા પરિવારજનો સાળંગપુર મંદિર ખાતેથી પરત ફરતા રાત્રીના સાડા સાતેક વાગ્યા આસપાસ ધોરણ પારડી આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: મધ્યપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, બે માલગાડીઓ સામસામે ટકરાઈ, ભીષણ આગ લાગી, ઘણી ટ્રેનો રદ્દ

Join Our WhatsApp Community

પરિવારના મુખીઆએ તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડા ₹.35 હજાર,સોનાની ચેન,સોનાની કાનની કડી,સોનાની વીટી,સોનાના રવા તેમજ ચાંદીના પાયલ સહિત રોકડા રૂપિયા મળી કુલ 1.20 લાખની કિંમતનો મુદ્દામાલ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી થયા અંગેની હકીકત ધ્યાનમાં આવતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકારની ચોરીને કારણે આખા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે.

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version