Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: PM મોદીનો સમસ્તીપુર માં લાલુ પરિવાર પર આકરો પ્રહાર: ‘આ લોકો જામીન પર ફરી રહ્યા છે, પરંતુ…’ – કહી દીધી આ મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના સમસ્તીપુરમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે કહ્યું કે મિથિલાનો જે મૂડ છે, તેનાથી નક્કી થઈ ગયું છે કે બિહાર હવે નવી રફતારથી આગળ વધશે.

PM Modi PM મોદીનો સમસ્તીપુર માં લાલુ પરિવાર પર આકરો પ્રહાર 'આ લોકો

PM Modi PM મોદીનો સમસ્તીપુર માં લાલુ પરિવાર પર આકરો પ્રહાર 'આ લોકો

News Continuous Bureau | Mumbai

PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના સમસ્તીપુરમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો. તેઓ વિવાદ વચ્ચે પરંપરાગત પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા અને તેમને મખાના ની માળા પણ પહેરાવવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, “આખું બિહાર કહી રહ્યું છે, અબકી બાર ફિર મોદી સરકાર, અબકી બાર ફિર સુશાસન સરકાર.” પોતાના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર કટાક્ષ કરતા કહ્યું કે, “અમે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ અને આ લોકો જામીન પર ફરી રહ્યા છે. આ લોકો ક્યારેય ગરીબ અને પછાત વર્ગના હિતમાં કામ નહીં કરી શકે.”

Join Our WhatsApp Channel

ગરીબ કલ્યાણ અને સુશાસન પર ભાર

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “અમારી સરકાર ગરીબોની સેવા કરી રહી છે. ગરીબને પાકું ઘર, ગરીબને મફત અનાજ, પીવાનું પાણી અને શૌચાલય સહિતની દરેક સુવિધા એનડીએ (NDA) સરકાર આપી રહી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ કર્પૂરી ઠાકુર દ્વારા બતાવેલા રસ્તા પર ચાલી રહી છે અને સરકારે તમામ પછાત વર્ગના હિતોને પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે ઓબીસી કમિશનને (OBC Commission) બંધારણીય દરજ્જો (Constitutional Status) આપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને અમારી સરકારે જ માન્યતા અપાવી છે.

આ સમાચાર પણ વાંચો : Bus accident: ”ચારે તરફ ધુમાડો અને ચીસો…’ બસ દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફર (U-7)નો હૃદયદ્રાવક અનુભવ, સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!

કર્પૂરી ઠાકુરના વારસાનું સન્માન

પીએમ મોદીએ ભારતીય રાજકારણમાં (politics) કર્પૂરી ઠાકુરના યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું, “અમે જેવા પછાત અને ગરીબ પરિવારમાંથી આવતા લોકો આજે આ મંચ પર ઊભા છીએ, તેમાં કર્પૂરીજીનો જ યોગદાન છે. તે મા ભારતીના અનમોલ રત્ન હતા.” પીએમ મોદીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાનો મોકો મળ્યો, તેને પોતાની સરકાર માટે સૌભાગ્યની વાત ગણાવી. તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (National Education Policy) સ્થાનિક ભાષામાં શિક્ષણ પર ભાર મૂકવા બદલ એનડીએ સરકારના કામની પ્રશંસા કરી.

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version