પાણીમાં ફેલાયું ઝેર! સાંગલી જિલ્લામાં આ નદીમાં માછલીઓ ટપોટપ મૃત્યુ પામી.. સ્થાનિકો આક્રોશમાં.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં કૃષ્ણા નદીના પટમાં હજારો માછલીઓના મોત થયાની એક ઘટના સામે આવી છે.
સાંગલી જિલ્લાના અંકેલીમાં કૃષ્ણા નદીના પટમાં હજારો માછલીઓ મરી રહી છે. નદીમાં મોટા પ્રમાણમાં દૂષિત પાણી પ્રવેશવાને કારણે માછલીઓ મૃત્યુ પામી છે.

Join Our WhatsApp Community

Thousands of fish have died in the Krishna river of Sangli.

પાણીના આ પ્રદૂષણ માટે કોણ જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નબળા સંચાલનને કારણે આંદોલનને વેગ મળે તેવી શક્યતા છે.

 

એવું કહેવાય છે કે સાંગલી શહેરમાંથી છોડવામાં આવેલા સુગર ફેક્ટરીના કાદવમાં ભળેલા પ્રદૂષિત પાણીને કારણે આ માછલીઓ મરી રહી છે. આથી શું પ્રદુષણ નિગમ આ અંગે કોઈ નિર્ણય લેશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

 

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કૃષ્ણા નદીના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળતા હોવાની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક લોકો દ્વારા વારંવારની ફરિયાદો બાદ પણ વહીવટીતંત્ર ઉંઘતુ રહ્યું હતું. વહીવટીતંત્રની બેદરકારીને કારણે પાણીનું પ્રદૂષણ એટલી હદે પહોંચી ગયું છે કે આજે હજારો માછલીઓ મરીને કિનારે પહોંચી ગઈ છે.

આવી જ એક ઘટના કોલ્હાપુરની પંચગંગા નદીમાં પણ સામે આવી છે. ત્યાં પણ પાણીમાં કોઈ ઝેરી પદાર્થ ભળવાને કારણે મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે.
 

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version