પાણીમાં ફેલાયું ઝેર! સાંગલી જિલ્લામાં આ નદીમાં માછલીઓ ટપોટપ મૃત્યુ પામી.. સ્થાનિકો આક્રોશમાં.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં કૃષ્ણા નદીના પટમાં હજારો માછલીઓના મોત થયાની એક ઘટના સામે આવી છે.
સાંગલી જિલ્લાના અંકેલીમાં કૃષ્ણા નદીના પટમાં હજારો માછલીઓ મરી રહી છે. નદીમાં મોટા પ્રમાણમાં દૂષિત પાણી પ્રવેશવાને કારણે માછલીઓ મૃત્યુ પામી છે.

Join Our WhatsApp Community

Thousands of fish have died in the Krishna river of Sangli.

પાણીના આ પ્રદૂષણ માટે કોણ જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નબળા સંચાલનને કારણે આંદોલનને વેગ મળે તેવી શક્યતા છે.

 

એવું કહેવાય છે કે સાંગલી શહેરમાંથી છોડવામાં આવેલા સુગર ફેક્ટરીના કાદવમાં ભળેલા પ્રદૂષિત પાણીને કારણે આ માછલીઓ મરી રહી છે. આથી શું પ્રદુષણ નિગમ આ અંગે કોઈ નિર્ણય લેશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

 

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કૃષ્ણા નદીના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળતા હોવાની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક લોકો દ્વારા વારંવારની ફરિયાદો બાદ પણ વહીવટીતંત્ર ઉંઘતુ રહ્યું હતું. વહીવટીતંત્રની બેદરકારીને કારણે પાણીનું પ્રદૂષણ એટલી હદે પહોંચી ગયું છે કે આજે હજારો માછલીઓ મરીને કિનારે પહોંચી ગઈ છે.

આવી જ એક ઘટના કોલ્હાપુરની પંચગંગા નદીમાં પણ સામે આવી છે. ત્યાં પણ પાણીમાં કોઈ ઝેરી પદાર્થ ભળવાને કારણે મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે.
 

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version