Site icon News Continuous Bureau | Mumbai

શું આવનારું વાવાઝોડું ગુજરાત ને ઘમરોળશે!? દ્વારકા-ઓખા-મોરબી થઈ ફંટાવાની શક્યતા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Channel

30 મે 2020

સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ તોળાયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી 4 અને 5 જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત છે. જો આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

જો કે હાલ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદર દ્વારા એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.

નોંધપાત્ર છે કે હવામાન ખાતા અનુસાર હજી પણ ડિપ્રેશન ઓમાન-યમન તરફ હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે.

Massive Drug Bust at Bengaluru Airport બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી 13.14 કરોડનું હાઈડ્રોપોનિક કેનાબીસ ઝડપાયું
KanjurmargBadlapur Metro14 મુંબઈગરા માટે ખુશખબર કાંજુરમાર્ગબદલાપુર મેટ્રો14 પ્રોજેક્ટને મળી મંજૂરી, મુસાફરી થશે સરળ
Bhimashankar Temple Reopens ભીમાશંકર મહાદેવના કપાટ ૫ મહિના બાદ ફરી ખુલ્યા, પ્રશાસને ભક્તોની સુરક્ષા માટે લીધા આ ૫ મોટા નિર્ણયો
Monsoon Update મહારાષ્ટ્રમાં ચોમાસું પાછું ઠેલાયું હવામાન વિભાગે જાહેર કર્યું નવું એલર્ટ, જાણો હવે કઈ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ
Exit mobile version