Site icon

આસામમાં રામ મંદિરના ભૂમિપૂજન સમારોહને લઇને બે સમુદાયોમાં ઝપાઝપી, સેનાએ કરવું પડ્યું ફ્લેગ માર્ચ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 ઓગસ્ટ 2020

આસામના સોનીતપુર જિલ્લામાં ગુરુવારે સેનાએ ફ્લેગ માર્ચ કાઢી હતી. વાસ્તવમાં અહીં રામ મંદિરના નિર્માણ માટે થનારા ભૂમિપૂજન પ્રસંગે એક દળના કાર્યકરો, બાઇક રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરતાં કરતાં ભોરા સિંગોરી મંદિર તરફ જઈ રહ્યા હતા. આ વેળા તેઓને રસ્તામાં કેટલાક લોકો એ 'કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને સમૂહમાં ફરવાની ના પાડી કેટલાક સવાલ કર્યા પછી ઝઘડો થયો હતો. આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો અને કેટલાક તોફાની લોકોએ બાઇકને આગ પણ લગાડી હતી. બંને પક્ષે આશરે દસ લોકો ઘાયલ થયા હતાં..

ઘટના બાદ તરત જ ઘટના સ્થળે પહોંચેલા સોનીતપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનરના વાહનને પણ નુકસાન થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને બાદ હવામાં ફાયરિંગ કર્યું હતું. બાઇક અને વાહન વ્યવહારમાં આગની ઘટનાને પગલે આ વિસ્તારમાં વધારાનું સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યું હતું. જિલ્લા નાયબ કમિશનરે જણાવ્યું હતું કે આ રેલી માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી.. 

બે સમુદાય વચ્ચે ની વાત તણાવ માં પરિણમી જતા, જિલ્લા પ્રશાસનની વિનંતી પર સૈન્ય સૈનિકોએ ફ્લેગ માર્ચ કાઢી હતી. એક નિવેદનમાં પોલીસે કહ્યું, "અમે પહેલાથી જ પૂછપરછ માટે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમણે કહ્યું, 'ગઈ રાતથી કોઇપણ પ્રકારની અન્ય ઘટના નોંધાઇ નથી. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે… 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version