Site icon

આખરે સાત વર્ષ બાદ ટેડીને મળ્યો ન્યાય; નેરૂલમાં માદા શ્વાનની ક્રૂરતાથી હત્યા કરનારા બે આરોપીને કોર્ટે આપી અનોખી સજા; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

સાત વર્ષ પહેલાં નેરુલમાં બે જણે ક્રૂરતાથી શ્વાનની હત્યા કરી હતી. આ બંનેને વાશી કોર્ટે અનોખી સજા કરી છે. આરોપીઓને એક મહિના સુધી પ્રાણી અધિકાર માટે કામ કરતા NGO સાથે જોડાઈને મૂક પ્રાણીઓની સેવા કરવાનો આદેશ આપ્યો છે.

 

બેલાપુર (વાશી કોર્ટ) ખાતે ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે વર્ષ 2015માં નેરુલમાં એક રખડતા ટેડી નામના કૂતરાને મારવા બદલ દોષિત ઠરેલા બે શખ્સને પ્રાણી અધિકાર જૂથ સાથે એક મહિનાની સામુદાયિક સેવા કરવાનો આદેશ આપ્યો છે.

 

નવી મુંબઈ એનિમલ પ્રોટેક્શન સેલની એનિમલ એક્ટિવિસ્ટ આરતી ચૌહાણ, જેણે આ કેસ દાખલ કર્યો હતો. તેણે કોર્ટના ચુકાદાને આવકારતા કહ્યું હતું કે ટેડીની સળિયાથી હત્યા કરવામાં આવી હતી. હેવ ટેડીને ન્યાય મળ્યો.

 11 સપ્ટેમ્બર, 2015 ના રોજ, નેરુલમાં સફલ કોમ્પ્લેક્સની બહાર માદા શ્વાનને નિર્દયતાથી સળિયા વડે મારવામાં આવી હતી. 20 દિવસ કોમામાં રહ્યા બાદ ટેડીનું મૃત્યુ થયું હતું. નેરુલ પોલીસને આ ક્રૂરતા વિશે જાણ કરવામાં આવી હતી, અને તે સમયે સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે સબમિટ કરવામાં આવ્યા હતા. કાર્યકર આરતી ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું. ચૌહાણે વધુમાં કહ્યું કે અધિકારીઓએ તેની ખાતરી કરવા માટે યોગ્ય રીતે દેખરેખ રાખવી જોઈએ કે દોષિતો દ્વારા મહિનાનો એક દિવસ છોડ્યા વિના પ્રાણીઓની સેવા કરવામાં આવે. પ્રાણીના અધિકારોની તરફેણમાં આ એક દુર્લભ આદેશ છે.

સુરતમાં ભાજપના કાર્યક્રમ હોવાથી સામાન્ય પ્રજા માટે રસ્તો બંધ

કેટલાંક પ્રાણીપ્રેમીઓએ 2015માં 'જસ્ટિસ ફોર ટેડી'ની માગણી માટે રેલી કાઢી હતી.

સિવિલ જજ (જુનિયર ડિવિઝન અને જેએમએફસી) ટીએમ દેશમુખ-નાઈકે તેમના તાજેતરના અંતિમ આદેશમાં જણાવ્યું છે કે દોષિત શખ્સોએ પ્રાણી કલ્યાણ સંસ્થામાં એક મહિનાની મફત સેવા આપવી પડશે અને દરેકે દંડ તરીકે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. 

આરોપી સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960ની કલમ 11(1) અને ભારતીય દંડ સંહિતાની કલમ 428 હેઠળ રખડતા કૂતરાઓને મારવા બદલ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો.

પીપલ ફોર એનિમલ્સ (PFA) ના પીઢ પ્રાણી કાર્યકર્તા મેનકા ગાંધીએ આ મુદ્દા પર અલગ વલણ અપનાવતા કહ્યું હતું કે મને લાગે છે કે પ્રાણીઓ પર ક્રૂરતા કરનારાઓ માટે કડક કાયદાકીય સજા હોવી જોઈએ.

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version