Site icon News Continuous Bureau

પક્ષમાં થતું વધુ ગળતર રોકવા એકલા અટુલા પડેલા ઉદ્ધવ ઠાકરેની ઈમોશનલ સ્પીચ-કહ્યું મારી પાસે આપવા કઈ બચ્યુ નથી-જાણો બીજું શું કહ્યું

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી(Chief minister) બની ગયેલા એકનાથ શિંદેના(Eknath shinde) બળવા બાદ હવે શિવસેના(Shivsena president) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav thackeray) તેમની પાર્ટીને ફરી બેઠી કરવા માટે પદાધિકારીઓની બેઠકો(Meetings) યોજવાનું શરૂ કરી દીધું છે. પક્ષમાં ધારાસભ્યો(MLA) બાદ હવે સાંસદો પણ પક્ષ સામે અવાજ ઉંચો કરવા માંડ્યા છે ત્યારે પક્ષને વધુ તુટતો બચાવવા એકલા પડી ગયેલા ઉદ્ધવ મથી રહ્યા છે. મહારષ્ટ્રના જુદા જુદા શહેરોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકો ચાલી રહી છે એ દરમિયાન ભાવુક થઈ ગયેલા ઉદ્ધવે કહ્યું હતું કે મારી પાસે તમને આપવા મટે કંઈ બચ્યું નથી.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરે બુધવારે પુણે, નવી મુંબઈ(navi Mumbai) અને શાહપુરના(Shahpur) પક્ષના પદાધિકારીઓને બાંદ્રામાં(Bandra) આવેલા તેમના નિવાસસ્થાન માતોશ્રી(Matoshree) પર મળ્યા હતા. આ વખતે તેમણે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વખતે બળવાખોર ધારાસભ્યો પર કટાક્ષ પણ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનાને વધુ એક ઝટકો- આ પૂર્વ સાંસદે નેતા પદેથી ધરી દીધું રાજીનામું- લગાવ્યા મોટા આક્ષેપ 

પદાધિકારીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું આજે હું આપ સૌનો આભાર માનું છું. આજ સુધી જે આપવું શક્ય હતું  મેં આપ્યું. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે તેઓએ બધું લઈને પણ શું કર્યું. તેથી હવે મારી પાસે તમને આપવા માટે કંઈ બચ્યું નથી.  મેં જેમને આપ્યું તે બધા ગયા પરંતુ પક્ષને પોતાનું બધું આપનારા જ મારી સાથે રહ્યા છે.

કાર્યકર્તાઓનો મનોબળને મજબુત કરવા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હવે કસોટીનો સમય છે. જે ગયા તેઓ શિવસેનાને તોડવા નહીં પણ ખતમ કરવા માંગે છે. પરંતુ શિવસેના એક જ હતી અને એક જ રહેશે, તે એટલે આપણી પોતાની શિવસેના.  તેથી, આપણે હવે આપણા હાથમાં ભગવો મજબૂત રીતે પકડવાની જરૂર છે.
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version