Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી ગયો; પત્રકાર પરિષદમાં રેલ્વે મંત્રીનો આરોપ

બુલેટ ટ્રેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં બુલેટ ટ્રેનને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હકીકતમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા હતી. જો કે હજુ સુધી પ્રોજેક્ટના કામે વેગ પકડ્યો નથી.

Union minister blames Uddhav forAshwini vaishnaw delay in bullet train project

ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી ગયો; પત્રકાર પરિષદમાં રેલ્વે મંત્રીનો આરોપ

News Continuous Bureau | Mumbai 

બુલેટ ટ્રેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં બુલેટ ટ્રેનને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હકીકતમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા હતી. જો કે હજુ સુધી પ્રોજેક્ટના કામે વેગ પકડ્યો નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વિપક્ષે ઘણી વખત મોદી સરકારની ટીકા કરી છે. દરમિયાન રેલવે મંત્રી ( Union minister ) અશ્વિની વૈષ્ણવે આરોપ લગાવ્યો છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( bullet train project ) ઉદ્ધવ ઠાકરે ( Uddhav  ) સરકારના કાર્યકાળ દરમિયાન અટકી ગયો હતો.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે બુધવારે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે જાહેરાત કરી કે ભારતીય રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હાઈ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન અને નવા ટ્રેક પર ભાર મૂકવામાં આવશે. તેથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામમાં ઝડપ આવે તેવી શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં મીડિયા સાથે વાત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાવિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. કારણ કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી ન હતી. જો કે, સરકાર બદલાતાની સાથે જ, વર્તમાન શિંદે-ફડણવીસ સરકારે તમામ પરવાનગીઓ આપી દીધી છે અને પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :   ક્રિકેટ જગતમાં નવો રેકોર્ડ.. આજ સુધી એક પણ સીરિઝ નથી હાર્યો કેપ્ટન હાર્દિક પંડ્યા, બન્યો મેન ઓફ ધ સીરિઝ..

ગુજરાતના આઠ જિલ્લામાંથી દાદરા અને નગર હવેલીમાંથી પસાર થતી સમાંતર લાઇન પર બાંધકામ શરૂ થયું છે. વર્ષો સુધી અવઢવમાં રહ્યા બાદ, મહારાષ્ટ્ર સહિત અન્ય શહેરોમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટે તાજેતરમાં ઝડપ પકડી છે. એવો અંદાજ છે કે આ પ્રોજેક્ટ 2027માં પૂર્ણ થઈ શકે છે.

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
Exit mobile version