Site icon News Continuous Bureau | Mumbai

ભાજપે ફરી એકવાર રચ્યો ઈતિહાસ.. વિધાનસભા બાદ હવે વિધાનપરિષદમાં પ્રચંડ જીત, આ પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા

 News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં વિધાનસભા ચૂંટણી(UP MLC Election)માં શાનદાર જીત મેળવ્યા બાદ ફરી એક વાર ભાજપે(BJP) જીતનો પરચમ લહેરાવ્યો છે. વિધાનસભામાં બહુમતની સાથે હવે ભાજપ વિધાન પરિષદમાં પણ બહુમતી મેળવી છે. રાજ્યમાં આવું 40 વર્ષ બાદ થયું છે. જ્યારે કોઈ પાર્ટી વિધાનસભા અને વિધાન પરિષદ બંને જગ્યાએ પ્રચંડ જીત મેળવી હોય. આ અગાઉ 1982માં કોંગ્રેસે(Congress) બંને સદનમાં બહુમત મેળવ્યો હતો. ભાજપે પ્રથમ વખત વિધાન પરિષદમાં પણ બહુમતી મેળવી છે. ભાજપે સ્થાનિક સત્તામંડળની વિધાન પરિષદની નવ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આજે 27 બેઠકો માટે થયેલી મતગણતરીમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. ભાજપ(BJP) 36માંથી 33 બેઠકો કબજે કરવામાં સફળ રહી છે. જ્યારે સપાનું ખાતું પણ ખૂલ્યું નથી.

Join Our WhatsApp Channel

જોકે ભાજપને માત્ર ત્રણ સીટો પર હારનો સામનો કરવો પડ્યો છે. તેમાંથી એક આઝમગઢ(Azamgarh), બીજી વારાણસી(Varanasi) અને ત્રીજી પ્રતાપગઢ(Pratapgarh)ની બેઠક છે. આઝમગઢમાંથી હાંકી કાઢવામાં આવેલા BJPના ભૂતપૂર્વ MLC યશવંત સિંહના પુત્ર વિક્રાંત સિંહ રિશુએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી અને બ્રિજેશ સિંહની પત્ની અન્નપૂર્ણા સિંહ વારાણસી(Varanasi)માં જીત્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : INS વિક્રાંત પ્રકરણમાં ભાજપના આ નેતા અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં નોંધાયો કેસ.. જાણો વિગતે

ભાજપ સિવાય જનસત્તા દળ એકમાત્ર એવી પાર્ટી હતી જેણે આ ચૂંટણી જીતી હતી. રાજા ભૈયાના નજીકના સાથી અક્ષય પ્રતાપ સિંહ પ્રતાપગઢ બેઠક પરથી જીત્યા. જે નવ બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ જીત્યા છે તેમાં લખીમપુર ખેરીથી અનુપ કુમાર ગુપ્તા, બાંદા-હમીરપુરથી જીતેન્દ્ર સેંગર, એટા-મૈનપુરી-મથુરાથી આશિષ યાદવ, ઓમ પ્રકાશ સિંહ, બુલંદશહેરથી નરેન્દ્ર ભાટી, અલીગઢથી ઋષિપાલ, અશોક અગ્રવાલનો સમાવેશ થાય છે. 

હરદોઈથી, મિર્ઝાપુર-સોનભદ્રથી શ્યામ નારાયણ સિંઘ અને બદાઉનથી વાગીશ પાઠક. વિધાન પરિષદની ચૂંટણીમાં મળેલી આ શાનદાર જીત બાદ ભાજપ દ્વારા રાજ્યભરમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદના નવા ચૂંટાયેલા સભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version