Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ પછી હર હર મહાદેવ!! હવે કાશી વિશ્વનાથ મંદિર નું સર્વેક્ષણ શરૂ. મુસલમાનોના હાથમાં થી મસ્જિદ જશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી કેસમાં વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે વિવાદિત જ્ઞાનવ્યાપી પરિસરનું સર્વેક્ષણ કરવા માટે પુરાતત્વ વિભાગને આદેશ આપી દીધા છે. આ સંદર્ભે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દલીલ કરી હતી કે આ વિસ્તારમાં આવેલી મસ્જિદ ની નીચે ભગવાન શંકરનું સો ફૂટ ઊંચું શિવલિંગ છે. આ ઉપરાંત મસ્જિદ બનાવવામાં આવી છે તે ખરી રીતે કાશી વિશ્વનાથ શંકર ભગવાન ના મૂળભૂત મંદિરને તોડીને તેના સ્થાને બનાવવામાં આવી છે.

કોર્ટમાં દલીલ થઇ ગયા પછી મસ્જિદ તરફથી તેનો બચાવ કરવામાં આવ્યો હતો.

જોકે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે સર્વેક્ષણનો આદેશ આપી દીધો છે જેને કારણે મસ્જિદ ની પેરવી કરી રહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે.

જોકે મસ્જિદની કમિટિ તરફથી સૈયદ યાસીન એ કહ્યું છે કે તેઓ સર્વેક્ષણ નહીં કરવા દે તેમજ નીચલી અદાલતના જજમેન્ટને હાઇકોર્ટમાં ચેલેન્જ કરશે.

આમ ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર પછી હવે કાશી વિશ્વનાથના શંકર મંદિર નો વારો આવ્યો છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ? કે પછી ખંડણીખોર? પ્રદીપ શર્મા એનઆઈએની તપાસ જાળ માં..

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version