Site icon

Waste to Energy: ગુજરાતના બાયોગેસ પ્લાન્ટની સફળતા બન્યો અગત્યનો ભાગ, માત્ર બે વર્ષમાં 7 હજારથી વધુ પ્લાન્ટ થયા સ્થાપિત…

Waste to Energy: પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

Waste to Energy Gujarat's biogas plant has become an important part of its success, more than 7 thousand plants have been established in just two years...

Waste to Energy Gujarat's biogas plant has become an important part of its success, more than 7 thousand plants have been established in just two years...

News Continuous Bureau | Mumbai
Waste to Energy: વાયુ-પ્રદુષણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. આ પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પ્લાન્ટથી ગામડાના પરિવારોને શું લાભ થઈ રહ્યો છે, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં

ગુજરાતના ગામડાની સમૃદ્ધિમાં શ્વેત ક્રાંતિનું અમૂલ્ય યોગદાન છે. આ શ્વેત ક્રાંતિ ગામડાઓમાં ઉર્જા માટેના વિકલ્પમાં પણ ઉપયોગી બની રહી છે. સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ ગોબરધન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 7,400થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.જેના કારણે કચરાના વ્યવસ્થાપનના પ્રશ્નો ઉકેલાયા છે, બહેનોને સ્વચ્છ ઈંધણ મળ્યું છે અને ખેતીમાં ઉત્તમ ખાતર મળ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :Ukraine Russia War: યુક્રેનના ઝાપોરિઝિયામાં રશિયાએ મિસાઇલ છોડી, આટલા લોકોના મોત; જુઓ વિડીયો..

જે પરિવારોની આવક ઓછી છે તેમને બાયોગેસ પ્લાંટની સ્થાપનાના ખર્ચ માટે સરકાર અંદાજે 90 ટકા નાણાકીય સહાય આપે છે. આ અંગેની વ્યવસ્થા સમજાવે છે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ.

બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કર્યા બાદ તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે પણ જરૂરી છે. આ પ્લાન્ટના કાર્યક્ષમ ઉપયોગ માટે લોકજાગૃતિ અને શિક્ષણનું કાર્ય પણ ચાલી રહ્યું છે.

ગુજરાતના ગામડાઓ પણ આ સ્વચ્છ ઉર્જાની ક્રાંતિમાં સહભાગી થઈ રહ્યા છે. જેનાથી આપણી આવતીકાલ હરિયાળી બનશે. આ મિશનના પગલે આપણું હરિયાળા ભારતનું સ્વપ્ન તો સાકાર થશે જ, સાથો-સાથ વિશ્વ માટેના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં પણ સહાય મળશે.

આ સમાચાર પણ વાંચો :Divya Kala Mela: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનું મૂર્ત સ્વરૂપ એવો 23મો દિવ્ય કલા મેળો – 9 થી 19 જાન્યુઆરી 2024 દરમિયાન વડોદરા ખાતે યોજાશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version