Site icon

Western Railway : મુસાફરોને નહીં થાય અસુવિધા, પશ્ચિમ રેલવે દ્વારા વટવા-હુબલી સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત

Western Railway : અમદાવાદ મંડળથી ઉપડતી વટવા-હુબલી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે સમાન સંરચના, સમય, સ્ટોપેજ તથા માર્ગ પર વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Western Railway extends the routes of Vatva-Hubli special train

Western Railway extends the routes of Vatva-Hubli special train

News Continuous Bureau | Mumbai

Western Railway : 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ઉપડતી વટવા-હુબલી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે સમાન સંરચના, સમય, સ્ટોપેજ તથા માર્ગ પર વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 07334/07333 વટવા-હુબલી-વટવા સ્પેશ્યલ

ટ્રેન સંખ્યા 07334 વટવા-હુબલી સ્પેશ્યલ, જેને અગાઉ 16 જૂન 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 14 જુલાઈ 2025 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન સંખ્યા 07333 હુબલી-વટવા સ્પેશ્યલ, જેને અગાઉ 15 જૂન 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 13 જુલાઈ 2025 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad plane crash updates: અમદાવાદ વિમાન દુર્ઘટના: વિમાનના બ્લેક બોક્સને ક્યાં ડીકોડ કરવામાં આવશે;AAIB નક્કી કરશે, સરકારે કરી સ્પષ્ટતા..

ટ્રેન સંખ્યા 07334 ના વિસ્તૃત ફેરાઓની બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version