News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલ્વે, અમદાવાદ ડિવિઝનના વટવા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે આરક્ષિત રેલ્વે ટિકિટ મેળવવા હેતુ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ની સુવિધા શરૂ કરવામાં આવી છે.
વટવા સ્ટેશન પર રિઝર્વેશન સુવિધા સોમવારથી શનિવાર સવારે 08:00 થી 12:00 અને 16:00 થી 20:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે અને રવિવારે આ સેવા સવારે 08:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વટવા સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટિંગ સિસ્ટમ (PRS) શરૂ થવાથી, વટવા અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ટિકિટ રિઝર્વેશન માટે મણિનગર, કાલુપુર કે અન્ય સ્ટેશનો પર જવાની જરૂર રહેશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર
પશ્ચિમ રેલ્વે મુસાફરોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને તેમની મુસાફરીને વધુ સરળ અને અનુકૂળ બનાવવા વિનંતી કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.