Site icon

Western Railway:પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે :

Western Railway will run special trains between Sabarmati to Lucknow and Bhavnagar to Lucknow.

Western Railway will run special trains between Sabarmati to Lucknow and Bhavnagar to Lucknow.

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે 

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે.

ટ્રેન નંબર 09237 ભાવનગર – લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ 04.00 કલાકે લખનઉ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :HMPV Virus News : શું ચીનમાં ફેલાતો HMPV વાઇરસ મહામારી બનશે? વિશ્વ આરોગ્ય સંગઠનની આવી પ્રતિક્રિયા, કહ્યું – ડરવાની કોઈ જરૂર નથી!

માર્ગમાં આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અચ્છનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે.

ટ્રેન નંબર 09477 અને 09237 નું બુકિંગ 09.01.2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.  

ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version