મુંબઈનો ડોન ફરી એકવાર જેલની બહાર આવ્યો. આ વખતે 28 દિવસની રજા મળી.. જાણો કોણ છે આ અંડરવર્લ્ડનો ‘ડેડી’

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

8 જુલાઈ 2020

અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળીને 28 દિવસનો ફર્લો પર જેલ બહાર આવવાની મંજુરી મળી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ગઈકાલે અરુણ ગવલીને જામીન આપી દીધા છે. નોંધનીય છે કે અરૂણ ગવળી થોડા દિવસો પહેલા જ તેની પેરોલ પૂર્ણ કર્યા પછી નાગપુર જેલમાં પાછો ફર્યો હતો. ગવળીએ 30 નવેમ્બર, 2019 ના રોજ જેલના વહીવટ સમક્ષ ફર્લો રજા માંગવા માટે અરજી કરી હતી. પરંતુ સાત મહિનાનો સમયગાળો છતાં તેની અરજીની સુનાવણી થઈ ન હતી.

આ ઉપરાંત અરુણ ગવળીને, આ પહેલાં આઠ વખત જેલમાંથી વિવિધ કાનુની અધિકારો હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, ગવળીના વકીલોએ દલીલ કરી હતી કે તેમણે નિર્ધારિત સમયની અંદર જેલમાં પાછો ફર્યો હતો અને કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. વકીલની આ દલીલ સ્વીકારીને કોર્ટે ગવલીને 28 દિવસની ફર્લો રજા આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના દરમ્યાન લોકડાઉન થવાને કારણે અરૂણ ગવળીની પેરોલ એક વખત લંબાવાઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે મુંબઈમાં એક શિવસેનાના નેતાની હત્યાના મામલે અરુણ ગવળીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More