• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - acting - Page 3
Tag:

acting

મનોરંજન

સોહા અલી ખાને છ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા પાછળનું આપ્યું સાચું કારણ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

શનિવાર 

એક્ટિંગથી લગભગ છ વર્ષ દૂર રહીને અભિનેત્રી સોહા અલી ખાન હવે વેબ સિરીઝ 'કૌન બનેગા શિખરવતી'થી કમબેક કરી રહી છે. મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રી કહે છે કે હવે હું અભિનયની દુનિયામાં પરત ફરવા માંગુ છું. મને સમજાયું કે આ સમયે હું એક માતા અને અભિનેતા બંનેનો રોલ કરી શકું છું.અભિનેત્રી ઉમેરે છે, "ઘણીવાર લોકો મને પૂછે છે કે હું શા માટે બહાર નથી જતી? હું કેમ કામ નથી કરતી. હું બીજું પુસ્તક કેમ નથી લખતી? પરંતુ જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે હું ખૂબ ખુશ હતી.કારણ કે હું આ બધા લોકોને જવાબ નહોતો આપવાનો. જો કે, થોડા સમય પછી ધીમે ધીમે વસ્તુઓ ફરીથી ખુલવા લાગી. પણ પછી મને આ શો (કૌન બનેગા શિખરવતી)ની ઓફર મળી. તે પણ જ્યારે કોરોના ટોચ પર હતો. પરંતુ અમે રાજસ્થાનમાં બાયો બબલ બનાવવામાં અને ત્યાં શૂટ કરવામાં સફળ રહ્યા."

સોહા કહે છે કે હું સારી રીતે જાણું છું કે અભિનય એ "સમય લેતો વ્યવસાય" છે. આ માટે 12-14 કલાક ઘરથી દૂર રહેવું પડે છે , પરંતુ હવે હું તે સમય આપી શકું છું.કુણાલ ચોવીસ કલાક શૂટિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં બાળકની સાથે માતા-પિતામાંથી કોઈ એક સાથે રહેવું જરૂરી હતું. તેથી મેં ઘણી ઓફરો ઠુકરાવી દીધી. કારણ કે તે સમયે મારી દીકરીને મારી જરૂર હતી. પરંતુ હવે તે સ્વતંત્ર બની રહી છે. તેથી મને લાગ્યું કે આ સમયે હું મારી કારકિર્દી પર ધ્યાન આપી શકું છું.

રિલીઝ પહેલા કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’, તેલંગાણા હાઈકોર્ટમાં PIL દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

પીઢ અભિનેત્રી  શર્મિલા ટાગોર અને દિવંગત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી, સોહાએ "રંગ દે બસંતી", "આહિસ્તા આહિસ્તા", "મુંબઈ મેરી જાન" અને "સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ" જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દિલ જીતી લીધા હતા. લીધેલ. જો કે, પુત્રી ઇનાયાના જન્મ પછી, તેણે 2018 માં આવેલી ફિલ્મ "સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર 3" પછી બ્રેક લીધો હતો.

January 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અનુષ્કા શર્મા સિલ્વર સ્ક્રીન પર પાછા ફરવાની કરી રહી છે તૈયારી, આટલા પ્રોજેક્ટ માં એક સાથે કરશે કામ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 1, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

શનિવાર

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે અને તે પડદા પર જોવા મળશે. તે છેલ્લે આનંદ એલ રાયની ‘ઝીરો’ માં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. જોકે, આ વખતે અભિનેત્રી એક નહીં પરંતુ ત્રણ પ્રોજેક્ટ સાથે વાપસી કરી રહી છે. આમાંના બે પ્રોજેક્ટર સિલ્વર સ્ક્રીનના અને એક OTTના છે.

મીડિયા  ના એક અહેવાલ મુજબ, એક સૂત્રએ કહ્યું, “ફિલ્મ ઉદ્યોગ માટે 2022 માં સૌથી સારી બાબત એ છે કે અનુષ્કા શર્મા ફિલ્મોમાં પરત ફરી રહી છે. તે ત્રણ મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે, જેઓ મોટા પડદે એન્ટરટેઈનર્સ છે અને મોટી રકમનો OTT પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.તેમનો OTT પ્રોજેક્ટ વેબ સિરીઝ નથી પરંતુ એક ફિલ્મ છે, જે ભારતમાં ખૂબ મોટી માનવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પ્રોજેક્ટ્સની જાહેરાત વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે અને દેખીતી રીતે અનુષ્કાના ચાહકો આનાથી ઘણા ખુશ થશે.

ઈરફાન ખાનના નિધન બાદ રિલીઝ થશે તેમની છેલ્લી ફિલ્મ, ફરી જોવા મળશે તેમની એક્ટિંગ નો જાદુ ; જાણો વિગત

અનુષ્કા શર્માની ઝીરો ભલે ફ્લોપ ગણાતી હોય પરંતુ તે પણ 300 કરોડની ફિલ્મનો ભાગ રહી ચુકી છે. તેમની ફિલ્મો સુલતાન, પીકે અને સંજુના નામ આ યાદીમાં આવે છે. એકવાર એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે ભારતીય ક્રિકેટ પ્લેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં કામ કરશે, પરંતુ આ સમાચારને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા હતા. હવે તેના નવા પ્રોજેક્ટ્સ શું હશે તેની રાહ જોઈ શકાય છે.અનુષ્કાના અંગત જીવનની વાત કરીએ તો તે હાલમાં તેના પતિ અને પુત્રી વામિકા સાથે ઘણો સમય વિતાવી રહી છે. અનુષ્કા આ વર્ષે વામિકાની માતા બની હતી, પરંતુ તે તેની પુત્રીને લાઈમલાઈટથી દૂર રાખે છે અને ફોટોગ્રાફર્સને પણ વિનંતી કરી હતી કે તે તેની પુત્રીનો ફોટો કોઈની સાથે ક્લિક કે શેર ન કરે.

January 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની હિના ખાનને અભિનય માં નહોતો રસ, નસીબે બનાવી એક્ટર; જાણો અભિનેત્રી શું બનવા માંગતી હતી

by Dr. Mayur Parikh December 31, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

શુક્રવાર

ટીવી જગત ની મશહૂર અભિનેત્રી હિના ખાન તેના અભિનયના બળ પર લાખો દિલો પર રાજ કરે છે. તેણે પોતાના શાનદાર અભિનયથી એક અલગ જ ઓળખ બનાવી છે. હિનાને ટેલિવિઝન પર 'સંસ્કારી બહુ'નું પાત્ર ભજવીને ઓળખ મળી અને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. હિના ઘણી ટીવી સિરિયલોથી લઈને રિયાલિટી શોનો ભાગ બની ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે આટલી  મહાન કલાકાર ક્યારેય એક્ટર બનવા માંગતી ન હતી. વાસ્તવમાં હિના ખાન પત્રકાર બનવા માંગતી હતી પરંતુ નસીબે તેને એક્ટર બનાવી દીધી.

હિના બાળપણથી જ ભણવામાં ધ્યાન આપતી છોકરીઓમાંની એક હતી. તેમણે વર્ષ 2009માં તેમની માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) ડિગ્રી મેળવી. જેનું શિક્ષણ તેણે સીસીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુડગાંવમાંથી કર્યું છે. તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, તેણી પ્રથમ પત્રકાર બનવા માંગતી હતી. કેટલાક કારણોસર તે આમ કરી શકી નહીં, તેથી તેણે એર હોસ્ટેસ બનવા માટે અરજી કરી. પરંતુ આ દરમિયાન બીમારીના કારણે તે આ ક્ષેત્ર માં  પણ જઈ શકી નહીં.હિનાને ટીવીની દુનિયા અને એક્ટિંગમાં કોઈ રસ નહોતો. પરંતુ નસીબમાં કદાચ કંઈક બીજું હતું. દિલ્હીમાં અભ્યાસ કરતી વખતે, તેણે મિત્રોના કહેવા પર સિરિયલ માટે ઓડિશન આપ્યું અને કાસ્ટિંગ ડિરેક્ટરે તેને તરત જ પસંદ કરી લીધી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરાની મુખ્ય ભૂમિકા માટે તેણીને ફાઈનલ કરવામાં આવી હતી.

બોલિવુડ ફિલ્મ જગત માં કોરોનાનો કહેર યથાવત, હવે વધુ એક જાણીતી અભિનેત્રી થઈ કોરોના સંક્રમિત; ઘરમાં થઇ આઇસોલેટ

તે સમયે હિના ખાન માત્ર 20 વર્ષની હતી અને આ કારણથી તે તેના માતા-પિતાને જાણ કર્યા વિના મુંબઈ પહોંચી ગઈ હતી. ઘણા અઠવાડિયા પછી, તેણે તેના ઘરે આ વિશે જણાવ્યું. તેનો પરિવાર આ માટે તૈયાર ન હતો પરંતુ સિરિયલને સારી ટીઆરપી મળવા લાગી, ત્યારબાદ બધુ બરાબર થઈ ગયું.હિના ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં લગભગ 8 વર્ષ કામ કર્યું હતું. બાદમાં તેણે અન્ય કેટલાક પ્રોજેક્ટ્સને કારણે શો છોડવો પડ્યો હતો. આ દરમિયાન તે ટીવી સીરિયલ 'કયામત'માં પણ જોવા મળી હતી. આ સિવાય હિના ખાન 'પરફેક્ટ બ્રાઈડ', 'સપના બાબુલ કા', 'વારિસ' જેવી સીરિયલ્સ અને 'ફિયર ફેક્ટર', 'માસ્ટર શેફ', 'ઈન્ડિયા બનેગા મંચ' જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. એટલું જ નહીં તે ફેમસ શો 'બિગ બોસ-11'માં પણ જોવા મળી ચૂકી છે.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આ સુપરસ્ટાર્સની દીકરીઓને ઍક્ટિંગ પ્રત્યે છે સખત નફરત; જાણો તે સુપરસ્ટાર્સની દીકરીઓ વિશે

by Dr. Mayur Parikh October 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

મંગળવાર

આપણે ઘણી વાર બૉલિવુડ ઇન્ડસ્ટ્રીમાં જોયું છે કે તેમનાં બાળકો પણ તેમના પિતાની જેમ સફળ અભિનેતા બનવા માગે છે. આજે આ રિપૉર્ટમાં અમે એવા સુપરસ્ટાર્સની દીકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ક્યારેય ઍક્ટિંગનું સપનું પણ નહોતું જોયું અથવા એમ કહીએ કે તે બધાંને ઍક્ટિંગથી નફરત છે.

આહાના દેઓલ

બૉલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા દેઓલની નાની પુત્રી આહાના દેઓલ બી-ટાઉનની ચમકથી દૂર રહે છે. તેને અભિનયમાં પણ કોઈ રસ નથી.

અલવીરા ખાન અને અર્પિતા ખાન

બૉલિવુડના પ્રખ્યાત લેખક સલીમ ખાનની દીકરીઓએ પણ અભિનયની દુનિયામાં કરિયર બનાવવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.

કૃષ્ણા શ્રોફ

જૅકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફને પણ અભિનયમાં રસ નથી. કૃષ્ણા પોતાની ફિટનેસ અને બોલ્ડ તસવીરોથી ફેન્સમાં હંમેશાં ધૂમ મચાવતી હોય છે.

પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત

સુનીલ દત્ત અને નરગિસની દીકરીઓ પ્રિયા દત્ત અને નમ્રતા દત્તને પણ ઍક્ટિંગમાં રસ નથી.

રિયા કપૂર

અનિલ કપૂરની દીકરી રિયા કપૂરનાં તાજેતરમાં લગ્ન થયાં છે. રિયાને અભિનયની દુનિયામાં આવવામાં રસ નથી.

રિદ્ધિમા કપૂર સાહની

સ્વર્ગીય અભિનેતા ઋષિ કપૂર અને તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી નિતુ સિંહની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની પણ અભિનયની દુનિયાથી દૂર રહે છે.

સાચી કુમાર અને સિયા કુમાર

કુમાર ગૌરવની દીકરીઓ સાચી કુમાર અને સિયા કુમાર પણ બૉલિવુડની લાઇમલાઇટથી દૂર રહે છે.

શ્વેતા બચ્ચન નંદા

બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પીઢ અભિનેત્રી જયાની પુત્રી શ્વેતાને અભિનયમાં રસ નથી. જ્યારે તેનો ભાઈ અભિષેક બૉલિવુડ અભિનેતા છે.

ત્રિશાલા દત્ત

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત વિદેશમાં રહે છે. ત્રિશાલા સોશિયલ મીડિયા પર સક્રિય છે, પરંતુ તેને તેના પિતાની જેમ બૉલિવુડમાં ઍક્ટિંગ કરવાનો કોઈ શોખ નથી.

ભોપાલમાં આ વેબ સિરીઝના સેટ પર બજરંગ દળે કર્યો હુમલો, નિર્માતા-નિર્દેશકના ચહેરા પર ફેંકાઈ શાહી; જાણો વિગત

October 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

મીનાક્ષી શેષાદ્રિ,સંગીતા બિજલાની બાદ હવે ડૉનની ગર્લ ફ્રેન્ડ રહી ચૂકેલી આ અભિનેત્રીને જાગી ફરી અભિનય કરવાની ઇચ્છા; જાણો વિગત

by Dr. Mayur Parikh July 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧

શનિવાર

ફિલ્મ ‘રામ તેરી  ગંગા મેલી’થી રાતોરાત લોકપ્રિય બનેલી અને એક સમય દરમિયાન અંધારી આલમના ડૉન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અભિનેત્રી મંદાકિની બે દાયકા પછી ફરી અભિનય કરવા જઈ રહી છે.

હાલ અભિનેત્રી ફિલ્મો અને વેબ સિરીઝની સ્ક્રિપ્ટ વાંચવામાં વ્યસ્ત છે. મંદાકિનીને પોતાના કમબૅક માટે એક એવા પાત્ર અને કહાનીનેશોધી રહી છે જે તેને સારી સફળ શરૂઆત આપે.

મંદાકિનીના મૅનેજર બાબુભાઈ થિબાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે મંદાકિની ફિલ્મો અને વેબ સિરીઝ માટે કામ કરવા તૈયાર છે, પરંતુ તે ફક્ત મુખ્ય ભૂમિકાઓ નિભાવા માગે છે. હાલ તે સ્ક્રિપ્ટ વાંચી રહી છે.

ત્રણ વાર નૅશનલ ઍવૉર્ડ જીતનાર આ દિગ્ગજ અભિનેત્રીનું હાર્ટ ઍટેકથી થયું મૃત્યુ; જાણો વિગત

મંદાકિનીને ફરી કમબૅક કરવા માટે તેના ભાઈ ભાનુએ સલાહ આપી છે. તેને જાહેરમાં જોઈને હજી પણ લોકો ઓળખી કાઢે છે એથી જ ભાઈ ભાનુએ તેને ફરી સક્રિય થવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે ટેલિવિઝનની એક સિરિયલમાં તેને એક રોલ ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે મંદાકિની કમબૅક માટે તૈયાર નહોતી. આ પછી એ ભૂમિકા અનિતા રાજેએ ભજવી હતી.

July 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
હું ગુજરાતી

મળો બોરીવલીના આ સુપર ટૅલેન્ટેડ ઍક્ટરને; કારકિર્દી છે ‘આરંભ હૈ પ્રચંડ’

by Dr. Mayur Parikh May 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે ૨૦૨૧

સોમવાર

આપણી માતૃભાષા ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. બોરીવલીનો એક યુવક આ કહેવતનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે પોતાની પ્રબળ ઇચ્છાશક્તિને જોરે તેણે અભિનય ક્ષેત્રે કારકિર્દી ઘડવાની શરૂઆત કરી દીધી હતી અને આજે સીઆઇડી જેવી ટીવી સિરિયલ સહિત અનેક ગુજરાતી નાટકોમાં પણ પોતાના અભિનયનો ઓજસ દેશ-વિદેશમાં પાથરી ચૂક્યો છે.

આ વાત છે બોરીવલીમાં રહેતા સિદ્ધાર્થ ભુપ્તાણીની, જે હાલ ૨૧ વર્ષનો છે. તે જ્યારે સાતમા ધોરણમાં હતો ત્યારે તેણે ઓડિશન આપવાની શરૂઆત કરી અને ‘માતા કી ચૌકી’ સિરિયલમાં પહેલી વાર બે એપિસોડમાં પ્રિન્સનો અભિનય કર્યો. એ બાદ ૨૦૧૨માં ડીડી નૅશનલ પર ‘સંકટ મોચન હનુમાન’ સિરિયલમાં લગભગ ૪૦ એપિસોડમાં રામ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું. એપછી સરકારની પર્યાવરણ માટેની ઍડ્સ અને સીઆઇડી જેવી અતિલોકપ્રિય સિરિયલના એક એપિસોડમાં મહત્વપૂર્ણ રોલ કર્યો.

તાઉતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા; જાણો વિગતે

દસમા ધોરણમાં તેણે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માટે બ્રેક લીધો અને ત્યારબાદ મલાડની એન.એલ. કૉલેજમાં પ્રવેશ મેળવી ડ્રામા ટીમમાં જોડાયો હતો. કૉલેજ દરમિયાન તેણે કૉલેજના અનેક ડ્રામામાં કામ કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલ ૨૦૧૮માં ભજવેલા ૧૦૦x૦=૧૦૧ નાટક માટે બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ મળ્યો અને નાટકે ૧૫૦ કૉલેજોમાં બીજું સ્થાન મેળવ્યું હતું. દરમિયાન ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (IPTA) દ્વારા આયોજિત સ્પર્ધામાં તેને બેવાર મેરિટ ફોર ઍક્ટિંગનો ઍવૉર્ડ મળ્યો છે.

કૉલેજથી ઇતર ૨૦૧૭માં તેને પ્રથમ વાર ગુજરાતી નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો હતો, જેના તેણે ૩૦ શો કર્યા છે. ઇમ્તિયાઝ પટેલ લિખિત આ નાટક હતું ‘નમો નચાવે તેને કોણ બચાવે’. આ તેના જીવનનો ખૂબ મહત્વનો વળાંક હતો. એ પછી તેણે ઇમ્તિયાઝ પટેલ લિખિત અને કમલેશ મોતા દ્વારા નિર્દેશિત ‘ફ્લૅશ બૅક’ જેવા હિટ નાટકમાં કામ કર્યું.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ જેનું નામ અંકિત છે એવું ‘ઑલ ધ બેસ્ટ નાટક’ની જ્યારે વર્ષો બાદ ફરી શરૂઆત કરવામાં આવી ત્યારે સિદ્ધાર્થે પણ એમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. આ નાટકના દેશ-વિદેશમાં ૯૯ શો થયા. ૧૦૦મો શો અમેરિકામાં હતો, પરંતુ ૨૦૨૦માં કોરોનાના કારણે આ શો રદ થયો હતો. નોંધવું ઘટે કે ૨૦ વર્ષ પહેલાં આ નાટક વિવિધ ભાષામાં રચાયું હતું અને દેશ-વિદેશમાં કુલ ૧૨,૦૦૦ વાર ભજવાયું હોવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.

આ સંદર્ભે વાત કરતાં સિદ્ધાર્થે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને પડદા અને સ્ટેજ બંને પર અભિનય કરવો ગમે છે. હું હવે ક્રિયેશન તરફ વળવા ઇચ્છું છું.” સિદ્ધાર્થ પોતાની માસ્ટર ડિગ્રીની હવે શરૂઆત કરવાનો અને સાથે એન્ટરપ્રેન્યોર પણ બનવા માગે છે. તે જૉઇન્ટ ફૅમિલીમાં રહે છે અને પોતાની સફળતાનો શ્રેય પરિવારના દરેક સભ્યને આપે છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્ટિટૅલેન્ટેડ છે અને અભિનય સાથે ઍન્કરિંગ, સિંગિંગ અને ગિટાર પણ વગાડે છે. તે ડાન્સ અને અક્રોબેટિકસ પણ શીખે છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કાબૂમાં, રાજ્યમાં સક્રિય કેસમાં નોંધાયો ઘટાડો; જાણો આજના તાજા આંકડા…

May 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

વધુ એક બોલિવૂડ અભિનેતાએ છોડી એક્ટિંગ, 12 વર્ષ પછી અભિનય છોડવાનો કર્યો નિર્ણય, જાણો વિગતે…

by Dr. Mayur Parikh November 19, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 નવેમ્બર 2020 
બોલિવુડમાં કેટલાક કલાકારો પોતાના સમય પહેલા નિવૃત થઈ જાય છે. તો કેટલાકની ઉંમર થઈ હોવા છતા લીડ રોલમાં એક્ટિંગ કરી રહ્યા છે. ફિલ્મ 'જાને તુ યા જાને ના' અને 'આઈ હેટ લવ સ્ટોરી' જેવી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરનાર ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધું છે. બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનના ભાણીયા ઈમરાન ખાને એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી સ્ક્રીનથી દૂર રહેલો ઈમરાન હવે એક્ટિંગ કરશે નહીં.  

ઉલ્લેખનીય છે કે ગત દિવસોથી ઈમરાન પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણો ચર્ચામાં છે. પરંતુ આ વચ્ચે સામે આવેલા સમાચારથી ઈમરાન ખાનના ચાહકો નારાજ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ના અભિનેતા ઈમરાન ખાને 12 વર્ષ પછી એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. હવે ફિલ્મોમાં એક્ટિંગ કરતા દેખાશે નહીં. ઈમરાને હવે બીજી બાજુ પોતાનું ધ્યાન લગાવવાનું શરૂ કરી દીધુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઈમરાન ખાન હવે એક્ટિંગની જગ્યાએ ફિલ્મોનું નિર્દેશન કરવાની યોજના બનાવી રહ્યા છે.  

નોંધનીય છે કે ઈમરાન ખાને બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મો કારકિર્દીની શરૂઆત આમિર ખાનની ફિલ્મ કયામતથી કરી હતી. તેણે કિડનેપ, આઈ હેટ લવ સ્ટોરી, મેરે બ્રધર કી દુલ્હન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લી વાર તે વર્ષ 2015માં ફિલ્મ કટ્ટી બટ્ટીમાં નજરે પડ્યા હતા. વર્ષ 2018માં તેમની શોર્ટ ફિલ્મ પણ આવી હતી જેમાં તેણે નિર્દેશન કર્યુ હતું

November 19, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક