• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cancelled - Page 2
Tag:

cancelled

Gandhidham-Palanpur-Gandhidham Express will remain partially cancelled.
કચ્છ

Gandhidham Express: આ તારીખ એ ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

by Zalak Parikh April 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Gandhidham Express: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. જે નીચે મુજબ છે:-

આ સમાચાર પણ વાંચો: Global Capability Center Policy: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી’ લોન્ચ કરી, 2025-30 દરમિયાન આટલી નોકરીઓનું સર્જન થશે.

04 એપ્રિલ 2025ની ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

April 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Train Cancel Update Ahmedabad-Howrah Express and Porbandar-Santragachhi Kaviguru Express trains will remain cancelled; Know the reason
અમદાવાદ

Train Cancel Update : મુસાફરોને થશે હેરાનગતિ… અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનો રહેશે રદ્દ; જાણો કારણ

by kalpana Verat March 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Train Cancel Update: દક્ષિણ પૂર્વ રેલવેમાં ખડગપુર મંડળના સાંતરાગાછી સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :-

*રદ ટ્રેનો*
1. 16 મે 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રદ રહેશે.
2. 17 મે 2025 ના રોજ હાવડાથી ચાલનારી ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
3. 9 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.
4. 11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.

Train Cancel Update:  રિશિડ્યુલ ટ્રેન

• 16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 2 કલાક રિશિડ્યુલ રહેશે.

ટ્રેનોના સમય, રોકાણ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Train Cancel Updates Four trips of Ahmedabad-Ekta Nagar Heritage Special train will be cancelled
અમદાવાદ

Train Cancel Updates : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ રહેશે રદ; જાણો કારણ..

by kalpana Verat February 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Train Cancel Updates : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને એકતા નગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ને (POH) મરમ્મત કાર્યને કારણે રદ કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:

  •         01, 02, 08 અને 09 માર્ચ 2025 ની ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

 

આ સમાચાર પણ વાંચો:  Indian Railway Train Update: યાત્રીઓ માટે ખાસ સમાચાર, ઈન્જિનિયરિંગ કાર્યના કારણે આવતીકાલથી અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનોના રૂટમાં કરાશે ફેરફાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
samay raina gujarat shows cancelled after ranveer allahbadia inappropriate comment
મનોરંજન

Samay Raina: રણવીર અલ્હાબાદિયા ને શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’પર બોલાવવો સમય રૈના ને પડ્યો ભારે, સ્ટેન્ડ-અપ કોમેડિયન ના એક-બે નહીં આટલા શો થયા રદ

by Zalak Parikh February 13, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Samay Raina: સમય રૈના એ તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયા ને બોલાવ્યો હતો જેમાં રણવીરે માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ પછી, લોકોએ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ વાત કરવાનું શરૂ કર્યું. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હવે રણવીરના માતા-પિતા પર કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીની અસર રૈનાના અન્ય શો પર પડી છે, જે રદ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia family: એજ્યુકેટેડ ફેમિલી માંથી આવતા રણવીર અલ્હાબાદિયા ની એક ટિપ્પણી ને કારણે શરમ માં મુકાયા માતા પિતા, જાણો યુટ્યૂબર ના પરિવાર વિશે

સમય રૈના ના શો થયા રદ 

મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દાવો કર્યો છે કે ગુજરાતમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો રદ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે એપ્રિલમાં યોજાનાર રૈનાના શોની ટિકિટ હવે ઓનલાઈન પ્લેટફોર્મ બુક માય શો પર વેચાણ માટે ઉપલબ્ધ નથી. ગુજરાત VHP પ્રવક્તા એ હતું કે, ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના રાજ્યમાં 4 શો કરવાના હતા. આ શો ૧૭ એપ્રિલે સુરતમાં, ૧૮ એપ્રિલે વડોદરામાં અને ૧૯ અને ૨૦ એપ્રિલે અમદાવાદમાં યોજાવાના હતા.પરંતુ એવું લાગે છે કે ગુજરાતમાં તેમના વિરુદ્ધ લોકોના રોષને કારણે આ ચારેય શો રદ કરવામાં આવ્યા છે.જોકે, આ શોની ટિકિટ સવાર (બુધવાર) સુધી ઉપલબ્ધ હતી. હવે એવું લાગે છે કે તેને પોર્ટલ પરથી દૂર કરવામાં આવી છે.’

Tickets for comedian Samay Raina’s shows in Gujarat not available for sale; VHP says events cancelled#SamayRaina https://t.co/xw90Ml7F82

— The Indian Express (@IndianExpress) February 13, 2025


સમય રૈના એ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેને યુટ્યુબ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો દૂર કરી દીધા છે. હવે આ જોતા એવું લાગે છે કે સમય એ રણવીર ને પોતાના શો માં બોલાવી ને ભૂલ કરી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mahakumbh Amrit Snan :Stampede at Maha Kumbh 2025 , Mauni Amavasya Amrit Snan Cancelled
Main PostTop Postરાજ્ય

Mahakumbh Amrit Snan :મહાકુંભમાં નાસભાગ, અનેક ઘાયલ! આજનું અમૃત સ્નાન રદ; જાણો હવે ક્યારે થશે..

by kalpana Verat January 29, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Mahakumbh Amrit Snan : મહાકુંભના અવસરે, આજે મૌની અમાવસ્યાના દિવસે સંગમ કિનારે નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને કેટલાક લોકો બેભાન પણ થઈ ગયા છે. વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મેળામાં થયેલી નાસભાગ ને કારણે નિરંજની અખાડાએ સ્નાનયાત્રા બંધ કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી યોગી પાસેથી આ અકસ્માતની માહિતી મેળવી છે.

 

🚨 #महाकुंभ में भगदड़ की अफवाह से हड़कंप!🚨

⚠️ देर रात 2 बजे अफवाह के चलते बेकाबू भीड़ में भगदड़…
🚑 कई एंबुलेंस रवाना , लोगों के दबने की आशंका…
🛑 NSG और BSF जवानों ने संभाला मोर्चा, हालात काबू में…

📢 अफवाहों से बचें, सतर्क रहें… 🙋🏻‍♀️#mahakumbh2025prayagraj… pic.twitter.com/qnYdst34tK

— मनीषा चौधरी 🧚 (@Cute_Manisha_16) January 29, 2025

Mahakumbh Amrit Snan : આજના અમૃત સ્નાન પર પ્રતિબંધ  

અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે ભીડની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્નાન મુલતવી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે થયેલી નાસભાગ ને કારણે સ્નાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળા વિસ્તારમાં લાખો ભક્તો હાજર રહે છે. આ સંદર્ભે, દરેકને આજના સ્નાનને રદ કરવા વિનંતી કરવામાં આવી છે. હવે આપણે આગામી વસંત પંચમીએ સ્નાન કરીશું.

Mahakumbh Amrit Snan :સીએમ યોગીએ અખાડા પરિષદ સાથે વાત કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ સમગ્ર મામલા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે અખાડાઓને અમૃત સ્નાન મુલતવી રાખવા વિનંતી કરી. મુખ્યમંત્રીએ અખાડાઓના નેતાઓ અને અખાડા પરિષદના સભ્યો સાથે ચર્ચા કરી. વધુમાં, લોકોને અખાડાના ખાસ માર્ગો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mahakumbh Stampede News :મહાકુંભ મેળામાં સંગમ કિનારે નાસભાગ, ઘણા લોકોના મોત, 50 થી વધુ ઘાયલ, તમામ અખાડાઓનું અમૃત સ્નાન રદ..

 Mahakumbh Amrit Snan :મૌની અમાવસ્યા પર ભીડ એકઠી થઈ

મહાકુંભના અવસર પર, મૌની અમાવસ્યાના એક દિવસ પહેલા ભક્તોની ભીડ એકઠી થવા લાગી. પ્રયાગરાજના રસ્તાઓ અને શેરીઓમાં દરેક જગ્યાએ લોકોની ભીડ છે. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર એટલી બધી ભીડ છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. મૌની અમાવસ્યા પ્રત્યે ભક્તોનો ઉત્સાહ એટલો પ્રબળ છે કે તેઓ દરેક પ્રકારની મુશ્કેલી સહન કરવા તૈયાર હોય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sharad Pawar Health Sharad Pawar's Public Events Over Next 4 Days Cancelled Due To Ill-Health
Main PostTop Postરાજ્ય

Sharad Pawar Health :રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારની તબિયત લથડી, આગામી ચાર દિવસના આયોજિત કાર્યક્રમો રદ! જાણો શું થયું છે તેમને..

by kalpana Verat January 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Sharad Pawar Health : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ  પવારે તેમનો આગામી 4 દિવસનો પ્રવાસ રદ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત બગડી ગઈ છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. જે બાદ પવારે તેમનો 4 દિવસનો પ્રવાસ રદ કર્યો છે.

 Sharad Pawar Health :ખાંસીના કારણે બોલવામાં તકલીફ  

મીડિયા રિપોર્ટ મુજબ શરદ પવારને ખાંસીના કારણે બોલવામાં તકલીફ પડી રહી છે. તેથી, તેઓ કાર્યક્રમોમાં ભાષણ આપી શકતા નથી. પરિણામે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ માહિતી આપી છે કે આગામી ચાર દિવસ માટેના તેમના તમામ આયોજિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. NCP (SP) પાર્ટીના પ્રમુખ શરદ પવારે તબિયત બગડતા તેમના તમામ પ્રવાસ રદ કર્યા છે. ડોક્ટરોએ તેમને ચાર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ… અમિત શાહે શિંદેની ખુરશી નારાજ છગન ભુજબળને આપી; ચર્ચાનું બજાર ગરમ…

 Sharad Pawar Health :આરામ કરવાની સલાહ 

ડોક્ટરોએ શરદ પવારને થોડા દિવસો સુધી સતત વ્યસ્ત રહેવાનું ટાળવાની સલાહ પણ આપી છે. હાલ પૂરતું, શરદ પવાર ઘરે આરામ કરશે કારણ કે તેમને શરદી થઈ છે. શરદ પવાર હાલમાં પુણેમાં છે. ટૂંક સમયમાં મુંબઈ પરત ફરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra CM news Mahayuti’s Mumbai Meet Cancelled, Shinde Leaves For His Village
રાજ્યMain PostTop Post

Maharashtra CM news : મહારાષ્ટ્રમાં CM અને સરકાર પર સસ્પેન્સ વધ્યું, મહાયુતિની બેઠક અચાનક થઇ રદ્દ; ચર્ચાનું બજાર ગરમ…

by kalpana Verat November 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Maharashtra CM news : મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીએમ એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં સ્થિત તેમના ગામમાં જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પરત ફરે તેવી શક્યતા છે. અગાઉ, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ – સીએમ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા કરવા મોટી બેઠક યોજાવાની હતી.

 Maharashtra CM news : એકનાથી શિંદે ગામ જવા રવાના

એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક એકનાથી શિંદે સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા બાદ આ બેઠક ફરીથી યોજાશે અને બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અલગથી વાત કરી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, એનસીપી સાંસદ સુનીલ તટકરે પણ અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી પરંતુ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.

 Maharashtra CM news : દિલ્હી બેઠક સારી અને સકારાત્મક 

બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે જેમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના નિરીક્ષકો રવિવારે મુંબઈમાં રહેશે. મહારાષ્ટ્રમાં 2જી ડિસેમ્બરે શપથ ગ્રહણ થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra CM News : મહારાષ્ટ્રના નવા સીએમ કોણ બનશે? દિલ્હી પછી આજે મુંબઈમાં થશે બેઠક; CMના નામ પર લાગશે મોહર.. 

 Maharashtra CM news :  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને 233 સીટો મળી

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહાયુતિને 233 સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળવા છતાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રી માટે તેની પસંદગી નક્કી કરી નથી.

280 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો – એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCP – અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ration Card Ration cards may get cancelled after three months
દેશ

Ration Card: રેશનકાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર! સરકાર આ લોકોના રેશનકાર્ડ રદ કરવાની કરી રહી છે તૈયારી

by kalpana Verat October 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ration Card: ભારતની કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની આ યોજનાઓનો લાભ દેશના લોકોને મળે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે લાવવામાં આવે છે. જેમને મદદની જરૂર છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેમને પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે પણ સખત મહેનત કરવી પડે છે.

Ration Card: સરકાર આ લોકો સામે કાર્યવાહી કરવાની કરી રહી છે તૈયારી 

ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા લોકોને ઓછા ભાવે રાશન પૂરું પાડે છે. સરકારે આ માટે લોકોને રાશન કાર્ડ પણ જારી કર્યા છે. પરંતુ હવે રેશનકાર્ડ ધારકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રેશનકાર્ડ ધારકોએ 3 મહિનાથી રાશન લીધું નથી. હવે સરકાર તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

Ration Card: આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે

સરકારનો ઉદ્દેશ્ય એ છે કે શક્ય તેટલા જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે. સરકાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ દ્વારા ઓછા ભાવે રાશન આપે છે. રાશન કાર્ડ પર દર મહિને ઓછા ભાવે રાશન લઈ શકાય છે. પરંતુ ઘણા એવા રેશનકાર્ડ ધારકો છે જેઓ મહિનાઓ સુધી તેમના રેશન કાર્ડ પર રાશન લેતા નથી. હવે સરકાર સતત 3 મહિનાથી રાશન ન લેનારાઓ સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  Iran-Israel War : ઈઝરાયેલના હવાઈ હુમલા વચ્ચે ઈરાનમાં મોટો હુમલો, આટલા પોલીસ સભ્યો માર્યા ગયા

હિમાચલ પ્રદેશમાં જે લોકોએ ત્રણ મહિનાથી રાશન લીધું નથી. સરકાર આવા લોકોના રાશન કાર્ડ બ્લોક કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે લોકો 3 મહિનાથી રાશન લઈ રહ્યા નથી. મતલબ કે તેમને રાશનની જરૂર નથી. તેથી, સરકાર તેમના રાશન કાર્ડ બ્લોક કરશે અને અન્ય જરૂરિયાતમંદ લોકોને રાશન આપશે.

Ration Card: જે લોકો ઈ-કેવાયસી કરાવતા નથી તેમના રાશન કાર્ડ પણ બંધ કરવામાં આવશે

આ ઉપરાંત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી માટે પણ જાણ કરી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. અગાઉ તેની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર હતી, પછી તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. તેથી હવે ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 1લી ડિસેમ્બર છે. જે રેશનકાર્ડ ધારકોએ 1 ડિસેમ્બર, 2024 સુધીમાં ઈ-કેવાયસી કરાવ્યું નથી. તેમના રેશનકાર્ડ પણ બ્લોક કરવામાં આવશે.

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway Mumbai local train news 35-day mega block on western line from August 27 Nearly 700 trains to be cancelled
મુંબઈ

 Western Railway : યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! પશ્ચિમ રેલવે લાઇન પર લેવાશે 35 દિવસ સુધી મેગા બ્લોક, 700 ટ્રેનો રદ થશે. જાણો કારણ.. 

by kalpana Verat August 27, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Western Railway :મુંબઈની વેસ્ટર્ન લાઇન પર રેલવે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  પશ્ચિમ રેલ્વેએ ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી રેલ્વે લાઇનના વિસ્તરણ કાર્ય માટે 35 દિવસનો મેગા બ્લોક રાખવાનો નિર્ણય કર્યો છે, જે પ્રોજેક્ટ 2008 થી ચાલુ છે. આ સમયગાળા દરમિયાન, 650 થી 700 ટ્રેનો રદ કરવામાં આવશે. અહેવાલ મુજબ, આ 4.75 કિલોમીટર લાંબા પટ પર બાંધકામનું કામ ચાલુ રહેશે, પરંતુ અધિકારીઓએ ખાતરી આપી છે કે 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન કામ બંધ કરી દેવામાં આવશે.

Western Railway :પશ્ચિમ રેલ્વે પર રાત્રે 10 કલાકનો બ્લોક

આ મેગા બ્લોક 27મી અને 28મી ઓગસ્ટની રાત્રે શરૂ થવાનો છે અને પાંચ સપ્તાહાંત સુધી ચાલુ રહેશે. મોટે ભાગે રાત્રે 10 કલાકનો બ્લોક રહેશે. પશ્ચિમ રેલ્વે (WR)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રે 10 કલાકનો મેગા બ્લોક રાખવામાં આવશે. 7 અને 17 સપ્ટેમ્બરની વચ્ચેનો નાઇટ બ્લોક સામાન્ય રીતે દિવસના આધારે 10 થી 11 વાગ્યાની વચ્ચે શરૂ થશે. 7 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના બ્લોક સિવાય અન્ય કોઈ બ્લોક લગાવવામાં આવશે નહીં. ગણપતિ ઉત્સવના દિવસોનો 5 થી 10 કલાકના મેગા બ્લોકના શિડ્યુલમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ બ્લોક્સ 5મી, 12મી, 16મી, 23મી અને 30મી તારીખે હશે.

Western Railway : ગણેશોત્સવ દરમિયાન કામ કરવામાં આવશે નહીં

અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગણેશોત્સવ દરમિયાન 4.75 કિલોમીટર લાંબા રૂટ પર કામ કરવામાં આવશે નહીં. હાલમાં 27 અને 28 ઓગસ્ટની રાત્રિથી આ કામગીરી શરૂ કરવાનો હંગામી નિર્ણય લેવાયો છે. ગયા વર્ષે નવેમ્બરમાં, જ્યારે સાંતાક્રુઝ-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠો માર્ગ નિર્માણાધીન હતો, ત્યારે 2500 થી વધુ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પાંચ સપ્તાહના અંતે લગભગ 700 લોકલ સેવાઓને અસર થશે.

આ સમાચાર પણ વાંચોઃ Dahi Handi 2024: ગોવિંદા રે ગોપાલા! આ છે મુંબઈની એવી 5 ચર્ચિત જગ્યા, જ્યાં જન્માષ્ટમીએ ધામધૂમથી ઉજવાય છે દહી હાંડી ઉત્સવ; ચોક્કસ મુલાકાત લો

યોજના મુજબ, આ નવી રેલ્વે લાઇનને વિરાર તરફ જતી ટ્રેનો માટે ધીમી લાઇનમાં ફેરવવામાં આવશે, વિરાર તરફની હાલની ધીમી લાઇનનો ઉપયોગ ચર્ચગેટ તરફની ધીમી ટ્રેનો માટે કરવામાં આવશે, જે ટ્રેકનો ઉપયોગ કરે છે વિરાર જતી ફાસ્ટ લાઇન પછી ચર્ચગેટ જતી ફાસ્ટ લાઇન, ચર્ચગેટ જતી ફાસ્ટ લાઇન 5મી લાઇન અને STA 6ઠ્ઠી લાઇન હશે.

આ કામ ગોરેગાંવ-કાંદિવલી રૂટ પર લાંબા અંતરની ટ્રેનો માટે રેલવે ટ્રેકને વિભાજિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાંદિવલી-બોરીવલી કોરિડોરનું બાકીનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે

August 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UGC NET Re Exam Date 2024 Cancelled UGC-NET exam to be held in August-September, new dates for CSIR-NET out too
દેશMain PostTop Post

UGC NET Re Exam Date 2024 : UGC NET અને CSIR NET પરીક્ષાઓ માટે શેડ્યૂલ જાહેર, પરીક્ષાઓ આ તારીખો પર લેવામાં આવશે

by kalpana Verat June 29, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

UGC NET Re Exam Date 2024 : UGC-NET પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 18મી જૂને યોજાઈ હતી તેના એક દિવસ બાદ રદ ( Cancelled )  કરવામાં આવી હતી. હવે તેનું આયોજન 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે (28 જૂન) ના રોજ જાહેરાત કરી. ડાર્કનેટ પર પેપર લીક થયા બાદ પરીક્ષા રદ થયાના એક સપ્તાહ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

UGC NET Re Exam Date 2024  પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે

 NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) 2024ની નવી તારીખ જાહેર કરી છે. UGC નેટની પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. જોઈન્ટ CSIR- UGC NETની મુલતવી રાખવામાં આવેલી પરીક્ષા 25 થી 27 જુલાઈ દરમિયાન CBT મોડમાં લેવામાં આવશે. NTAની સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જારી કરીને આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Samruddhi Mahamarg : મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે પર રોંગ સાઈડથી કાર ઘૂસી,આટલા લોકોનો લીધો ભોગ..

UGC NET Re Exam Date 2024 પરીક્ષા અંગે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી

જુલાઈમાં યોજાનાર યુજીસી નેટનું આ પેપર કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે જ્યારે 18 જૂને રદ થયેલ પેપર ઓફલાઈન મોડમાં હતું. ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP)માં પ્રવેશ માટેની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) મોકૂફ રાખવામાં આવી હતી, આ ટેસ્ટ હવે માત્ર CBT મોડમાં 10 જુલાઈએ લેવામાં આવશે. સાથે પરીક્ષા અંગે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત માત્ર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

UGC NET Re Exam Date 2024 : શિક્ષણ મંત્રાલયે પરીક્ષા રદ કરી 

મહત્વનું છે કે NETની પરીક્ષા  19 જૂન 2024 ના રોજ જ રદ કરવામાં આવી હતી. જે 18 જૂને દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી, પરંતુ પેપરના થોડા કલાકો બાદ શિક્ષણ મંત્રાલયે તેને રદ કરવાની જાહેરાત કરી હતી. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું હતું કે આ પરીક્ષાની પવિત્રતા સાથે કોઈ વ્યક્તિ દ્વારા ચેડા કરવામાં આવ્યા હતા જેના કારણે તેને રદ કરવામાં આવી હતી. 

June 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક