• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - corruption - Page 5
Tag:

corruption

રાજ્ય

CBI, ED, ઈન્કમ ટેક્સ કેન્દ્રીય કેબિનેટના સભ્યો હોવાની આ પક્ષે કરી ભાજપ પર ટીકા; જાણો વિગત

by Dr. Mayur Parikh February 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

શનિવાર.

ભાજપે ફરી એક વખત મહાવિકાસ આઘાડીના નેતાઓને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે.  ભાજપે શિવસેનાના પ્રવક્તા અને રાજ્ય સભાના સાંસદ સંજય રાઉતના નજીકના મિત્ર પર મુંબઈના જંબો કોવિડ સેન્ટરનો ભ્રષ્ટાચારનો આરોપ કરવાની સાથે જ તેમના પરિવારની  ED દ્વારા ચાલી રહી તપાસથી સંજય રાઉત ઉકળી ગયા હોવાનું જણાઈ રહ્યું છે.

CBI, ED, ઈન્કમ ટેક્સ કેન્દ્રીય કેબિનેટના સભ્યો હોવાની આકરી ટીકા શિવસેનાએ કરી છે. છેલ્લા બે દિવસમાં EDએ શિવસેના સાંસદ સંજય રાઉતના પરિવાર અને સંબંધીઓના નાણાકીય વ્યવહારની તપાસ શરૂ કરી છે. મહાવિકાસ આઘાડીના ઘણા નેતાઓ કેન્દ્ર સરકારના રડાર પર છે. શિવસેનાના મુખપત્ર 'સામના'એ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. દિલ્હીના વર્તમાન શાસકોને દેશ માટે બલિદાન, રક્તપાત, બલિદાન વગેરે સાથે કોઈ લેવાદેવા નથી. દેશ બે-પાંચ ઉદ્યોગપતિઓની આસપાસ ફરે છે. કેન્દ્રના શાસકો સરકાર શું હોય છે તે ભૂલી ગયા છે એવો કટાક્ષ પણ આ અખબારમાં કરવામાં આવ્યો છે.

ઉત્તરાખંડ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની કડક કાર્યવાહી, આટલા બળવાખોરો નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા; જાણો વિગતે

February 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લો બોલો!! અનિલ દેશમુખે એક્સાઈસ ખાતામાં પણ કર્યો બદલીઓમાં ભ્રષ્ટાચારઃ આ અધિકારીએ કર્યો આરોપ; જાણો વિગત

by Dr. Mayur Parikh February 1, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

મંગળવાર. 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીએ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ જ્યારે ગૃહ પ્રધાન હતા ત્યારે પોલીસ અધિકારીઓની બદલી માટે લિસ્ટ મોકલતા હોવાની કબૂલાત કરી છે. તેથી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે, તેમાં હવે તેઓ અન્ય વિભાગોના પ્રધાન હતા ત્યારે પણ આવી બદલીના સંદર્ભમાં ભ્રષ્ટાચાર કરતા હતા, એવો ચોંકાવનારો ખુલાસો  વધુ એક નિવૃત્ત પ્રશાસકીય અધિકારીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો છે. તેથી દેશમુખની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક મુશ્કેલીમાં મુકાયા, એનસીએસસીએ મુંબઈ પોલીસને આપ્યો આ આદેશ; જાણો વિગતે

અનિલ દેશમુખ હાલમાં EDની કસ્ટડીમાં છે. તેમના પર પોલીસ બદલીઓમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. અન્ય એક વહીવટી અધિકારીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે દેશમુખ જ્યારે એક્સસાઈ વિભાગના રાજ્ય મંત્રી હતા ત્યારે પણ આવો જ ભ્રષ્ટાચાર આચરતા હતા. ભૂતપૂર્વ અધિકારી આનંદ કુલકર્ણીએ અંગ્રેજી અખબારને કહ્યું કે તેઓ 2000-2001 સુધી દેશમુખના એક્સસાઈઝ ખાતાના પ્રધાન હતા, અને કુલકર્ણી તે વિભાગના કમિશનર હતા. તે સમયે દેશમુખે તેમને રાજ્યમાં 90 એક્સાઈઝ ઇન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરોની બદલીની યાદી મોકલી હતી. આમાંની ઘણી બદલીઓ ગેરકાયદેસર રીતે કરવાની હતી. તેમના આદેશનો વિરોધ કરવાને કારણે તેમની બીજા ખાતામાં ટ્રાન્સફર ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી.

February 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે ભાજપના આ નેતાની સરખામણી કરી આઈટમ ગર્લ સાથે; જાણો વિગત,

by Dr. Mayur Parikh January 25, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022  

મંગળવાર.

મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના કૌભાંડો બહાર લાવવાનો દાવો કરનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા પ્રધાન નવાબ મલિકે બરોબરની ટીકા કરી છે. નવાબ મલિકે કિરીટ સોમૈયાને ભાજપની આઈટમ ગર્લ ગણાવી હતી.

કિરીટ સોમૈયા એટલે એકાદ ફિલ્મની આઈટમ ગર્લ હોવાની નવાબ મલિકે ટીકા કરી છે. હાલ નાંદેડના પ્રવાસે રહેલા નવાબ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતા સમયે કહ્યું હતું કે ફિલ્મ સારી રીતે ચાલે એટલે તેમાં એક આઈટમ ગર્લની આવશ્યકતા હોય છે. કિરીટ સોમૈયાએ રાજકીય ક્ષેત્રના ભાજપના આઈટમ ગર્લ પ્રમાણે છે. સમાચાર કેવી રીતે બને તે માટે રાજકરણની આઈટમ ગર્લનો કાર્યક્રમ ચાલુ છે.

અરે વાહ, હવે ગંગા મૈયાની દૈનિક આરતીની જેમ થશે નર્મદા મૈયાની આરતી, ગોરાના ઘાટે આટલા રૂપિયા આપી ઉતારી શકશો નર્મદા મૈયાની આરતી

કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના નેતાઓની સતત ટીકા કરી રહ્યા છે. દસ્તાવેજોનો આધાર લઈને તે શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ સામે આરોપ કરી રહ્યા છે. તેથી ED આ નેતાઓની પાછળ હાથ ધોઈને પડી જાય છે એવો આરોપ પણ નવાબ મલિકે કર્યો હતો.

January 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મનપા એટલે શિવસેના માટે કમાણીનું સાધનઃ ભાજપના આ નેતાએ કરી ફરી ઉદ્ધવ ઠાકરેની ટીકા.

by Dr. Mayur Parikh January 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022          

મંગળવાર.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ફરી સક્રિય થઈ ગઈ છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ફરી એક વખત  શિવસેના પર નિશાન તાક્યું છે. મુંબઈ મહાનગરપાલિકા એ શિવસેના માટે ફક્ત કમાણીનું સાધન હોવાની આકરી ટીકા તેમણે મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરે પર   કરી છે.

મંગળવારે બપોરે કિરીટ સોમૈયાએ  પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં મુંબઈ મહાનગરપાલિકાની  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યશવંત જાધવ અને મુંબઈના મેયર કિશોરી પેડણેકર પર તેમણ અનેક આરોપ કર્યા હતા.   કોન્ફરન્સમાં તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે યશવંત જાધવે કોવિડ સમયગાળા દરમિયાન તેમના અને તેમના સંબંધીઓના ખાતામાં 15 કરોડ રૂપિયા ડાયવર્ટ કર્યા હતા. તો મુંબઈના પાલક પ્રધાને  મેયરની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનો પણ આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સોમૈયાએ કહ્યું છે કે આ મુદ્દે તેઓ તમામ સરકારી એજન્સીઓને ફરિયાદ કરશે.

 શિવસેના પર નિશાન સાધીને મુંબઈ મહાનગરપાલિકામાં અનેક કૌભાંડો થયા હોવાના  આક્ષેપ પણ ભાજપના આ નેતાએ કર્યા હતા.  કિરીટ સોમૈયાએ મુંબઈમાં  પ્રેસ કોન્ફરન્સમાં એવા આરોપો લગાવ્યા હતા કે, "ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે કોર્પોરેશન આવકનો સ્ત્રોત છે. કોવિડ કાળમાં તેમણે જે કૌભાંડો કર્યા છે, તેનો હું હવે પર્દાફાશ કરીશ."  એ સાથે જ કિરીટ સોમૈયાએ  સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

તો શું મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ ભરવો પડશે નોન-એગ્રીકલ્ચરલ ટેક્સ? ભાજપના આ નેતાએ મહેસુલ પ્રધાનને કરી આ માગણી

યશવંત જાધવે 15 કરોડ રૂપિયા તુકડા તુકડામાં આપ્યા છે. એક ખાનગી કંપનીના નામના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કિરીટ સોમૈયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ખાતામાં રૂ. 2 કરોડ, તેમની પત્ની યામિની જાધવને રૂ. 2 કરોડ, તેમના પુત્ર નિખિલ જાધવને રૂ. 50 લાખ અને તેમના બીજા પુત્ર યતિન જાધવને રૂ. 50 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

January 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકામાં આટલા કરોડ રૂપિયાનું કૌભાંડઃ ભાજપના વિધાસભ્યે લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર; જાણો વિગત

by Dr. Mayur Parikh January 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

શનિવાર.

ભાજપના કાંદીવલીના ધારાસભ્ય યોગેશ સાગરે મુંબઈ મહાનગરપાલિકા (BMC) પર પાર્ક માટે આરક્ષિત રહેલી જમીન ખાનગી બિલ્ડરને સોંપી દેવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ફરિયાદ પણ કરી છે.

બીજેપી ધારાસભ્ય યોગેશ સાગરે BMC પર ખાનગી બિલ્ડરને 500 કરોડ રૂપિયાનો નફો કરાવી આપવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્ય યોગેશ સાગરે પાલિકા પર પાર્ક માટે અનામત રહેલી જગ્યા ખાનગી બિલ્ડરને સોંપવાનો આરોપ લગાવ્યો હતો અને પત્રમાં લખ્યું છે કે મુંબઈનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા સમયે જુદા જુદા રિઝર્વેશન પ્રસ્તાવિત કર્યા હતા. પરંતુ હવે

 મહાનગરપાલિકાના ભ્રષ્ટ કારભારને કારણે હવે મુંબઈમાં બગીચા અને રમતગમતના મેદાનો નષ્ટ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ખાનગી બિલ્ડરને પાલિકા હસ્તક હેઠળનું ઉદ્યાન માટે અનામત રહેલું અને કોઈ પણ પ્રકારનું અતિક્રમણ નહીં ઘરાવતો પ્લોટ આપી દેવામાં આવ્યો છે. એના બદલામાં પાલિકાએ  બિલ્ડર પાસેથી જમીનના પ્લોટનો કબજો લીધો છે, પરંતુ તે જુદી જુદી મંજૂરીઓમાં અટવાઈ પડયો છે. આ પ્લોટ પાલિકાએ માહુલ પમ્પિંગ સ્ટેશનના બાંધકામ માટે લીધો છે.

હેં! મુંબઈના ભાજપના આ નેતાને પરિવાર સહિત જાનથી મારી નાખવાની મળી ધમકી; જાણો વિગત

 મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પાંચસો કરોડના ભ્રષ્ટાચારના આ કેસને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવા સૂચના આપવાની માગણી યોગેશ સાગરે કરી છે. તેમ જ પાલિકાની સત્તાધારી શિવસેનાને ચેતવણી આપી છે કે જો આ પ્લોટ બિલ્ડરને આપવાના નિર્ણય પર પુનર્વિચાર નહીં કરવામાં આવે તો ભાજપ તેની સામે આકરી લડત ચલાવશે.

January 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શું ભ્રષ્ટાચારને કારણે મુંબઈ શહેરમાં ફાયર બ્રિગેડ નું ગણિત બગડ્યું? શું એન.ઓ.સી માત્ર 10 હજાર રૂપિયામાં વેચાય છે? જાણો ચોંકાવનારો મીડિયા અહેવાલ.

by Dr. Mayur Parikh November 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

મુંબઈ શહેરમાં દરેક ઊંચી ઇમારત એ પોતાનું ફાયર ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ ફાયર ઓડિટ બિલ્ડિંગમાં રહેલા તમામ ફાયર ફાઈટિંગ ના ઉપકરણો યોગ્ય રીતે ચાલતા હોય તો જ મળે છે. જોકે મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મુંબઈ શહેરમાં માત્ર દસ હજાર રૂપિયામાં ફાયરનું એનોસી મળે છે. વાત એમ છે કે આ કામ માટે પ્રાઈવેટ સંસ્થાઓની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રાઇવેટ સંસ્થાઓ ભ્રષ્ટાચારના માધ્યમથી આડેધડ પૈસા વસુલે છે તેઓ અહેવાલ છે. આ પ્રકારની એનઓસી ને કારણે બિલ્ડિંગમાં જ્યારે આગ લાગે છે ત્યારે ઉપકરણો રહેલી ગડબડ જણાઈ આવે છે. આવા સમયે ફાયરબ્રિગેડ પણ કશું કરી શકતું નથી.

લ્યો કરો વાત? મુંબઈ શહેરમાં પાંચ હજાર રૂપિયામાં વેચાય છે રીક્ષા. હવે આ વાતનો ખુલાસો થયો, અનેકની ધરપકડ

હવે આ મામલે ફાયર ફાઈટીંગ ડિપાર્ટમેન્ટમાં ઘમાસાણ થયું છે. તેમજ આવનારા દિવસોમાં આ સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

November 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અજિત પવારની મુશ્કેલીઓ વધી; કિરીટ સોમૈયાએ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા પ્રસ્તુત કર્યા

by Dr. Mayur Parikh October 21, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ઉપમુખ્યમંત્રી અજિત પવારની મુશ્કેલીઓમાં વધારો થયો. ગઇકાલે ભાજપના નેતા કિરીટ સોમૈયા મુંબઈના ઇડી કાર્યાલયમાં પહોંચ્યા હતા અને સાતારા સ્થિત જરંડેશ્વર સાકર કારખાનામાં અજિત પવારની ભાગીદારી સંદર્ભે દસ્તાવેજો અને પુરાવા પ્રસ્તુત કર્યા હતા.

સોમૈયાએ જણાવ્યું હતું કે જરંડેશ્વર કારખાનામાં ગુરુ કમોડિટી કંપનીની ભાગીદારીની તપાસ થવી જોઇએ. બે મોટા પ્રમોટર્સ દ્વારા સો કરોડ રૂપિયાની વગર વ્યાજની રકમ અજિત પવારને આપવામાં આવી હતી. જે હજી સુધી ઉપયોગમાં લેવાઈ નથી. છાપે મારી બાદ પવારે આ સાથે તેની બહેનોના સંબંધ હોવાની વાત નકારી હતી, પરંતુ હવે સાફ દેખાઈ રહ્યું છે કે તેમણે પોતાની બહેનો સાથે મળીને આ ભ્રષ્ટાચાર કર્યો છે. કારણકે જરંડેશ્વર કારખાનામાં માલિકી તેમની બહેનના નામ પર છે. જ્યારે તેમના બનેવીઓનું નામ ભાગીદારોમાં છે.

ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું અધ્યક્ષપદ છોડશે, જાણો શું છે તેમની ભાવિ યોજના

કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે આ કારખાના સાથે જોડાયેલા કારીગરો અને ખેડૂતોને કોઈ પણ નુકસાન નહીં થાય. 

October 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શૉકિંગ! થાણે પાલિકામાં ભ્રષ્ટાચારનું દૂષણ : હપ્તાખોરીને કારણે ફેરિયા વધી ગયા, નગરસેવકોએ કર્યો આરોપ; જાણો વિગત

by Dr. Mayur Parikh September 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

થાણે  મહાનગરપાલિકામાં હપ્તાખોરી વધી ગઈ છે, તેમ જ જુદાં-જુદાં સંગઠનોને કારણે ફેરિયાઓ પણ વધી ગયા છે એવો આરોપ થાણેના તમામ પક્ષના નગરસેવકોએ કર્યો હતો. થાણેમાં ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવા ગયેલા થાણેના આસિસ્ટન્ટ કમિશનર પર ફેરિયાઓએ હુમલો કર્યો હતો. એમાં મહિલા અધિકારી કલ્પિતા પિંપળેની બે આંગળી કપાઈ ગઈ હતી.

આ પ્રકરણ બાદ સોમવારે થાણે પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકોએ થાણે પાલિકા પ્રશાસનના ભ્રષ્ટાચારી કારભારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પાલિકા પ્રશાસનમાં હપ્તાખોરી અને ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોવાથી ફેરિયાઓની દાદાગીરી વધી ગઈ હોવાનો આરોપ પણ નગરસેવકોએ કર્યો હતો. ફેરિયાઓની બનેલી સમિતિને પણ બરખાસ્ત કરવાની માગણી  નગરસેવકોએ કરી હતી.

અરે વાહ! મુંબઈની ફૂટપાથ બનશે ચકાચક, મુંબઈ મનપા ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત

શહેરની ફૂટપાથ પર ગેરકાયદે અડિંગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવાની માગણી નગરસેવકોએ કરી હતી. આ દરમિયાન ફેરિયાઓ પાસેથી 500 રૂપિયાનો હપ્તો વસૂલમાં આવતો હોવાનો આરોપ પણ નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો હતો.

September 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોસ્ટલ રોડના કામમાં શિવસેનાએ આચર્યો ભ્રષ્ટાચાર : ભાજપના આશિષ શેલારે કર્યો આરોપ, કૌભાંડની SIT મારફત તપાસની કરી માગણી

by Dr. Mayur Parikh September 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડના કામમાં એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના નેતા આશિષ શેલારે કર્યો  છે. આ ભ્રષ્ટાચારમાં  શિવસેના ભાગીદાર હોવાનો આરોપ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ્સ (SIT) મારફત તપાસની તેમણે માગણી કરી છે.

ઑક્ટોબર ૨૦૧૮થી ૨૦૨૦ના સમયગાળામાં કોસ્ટલ રોડનું કામ ચાલતું હતું. એ દરમિયાન એમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો આર્થિક ગેરવ્યહાર થયો હોવાનું પ્રાથમિક સ્તરે જણાઈ આવ્યું છેે. આ પૂરા પ્રકરણની તપાસ SIT મારફત કરવાની માગણી આશિષ શેલારે પત્ર લખીને પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલને કરી છે. 

હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ શિમલામાં નૅશનલ હાઇવે 5 પર થયું ભૂસ્ખલન, ભારે માત્રામાં ભેખડો ધસી પડતાં રસ્તા પર ટ્રાફિક જામ; જુઓ વીડિયો

આ પૂરા કૌભાંડમાં પાલિકાની સ્થાયી સમિતિનો પણ સહભાગ હોવાની શંકા આશિષ શેલારે વ્યક્ત કરી હતી. કોરોનાકાળમાં મુંબઈમાં લૉકડાઉનમાં બધું ઠપ્પ હતું ત્યારે શિવસેનાએ આ કૌભાંડ કરી રહી હતી. તેમણે કોને કોને કૉન્ટ્રૅક્ટ આપ્યા છે, તેનાં નામ બહુ જલદી બહાર પાડવામાં આવશે. એ પહેલાં જોકે સત્તાધારી શિવસેનાએ જવાબ આપવો પડશે. અન્યથા ભાજપ કાયદેસરની લડાઈ લડશે એવી ચીમકી પણ આશિષ શેલારે આપી હતી.

September 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગંદા પાણીની પ્રક્રિયાના પ્રકલ્પમાં પ્રચંડ ભ્રષ્ટાચારઃ ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રસાદ લાડની મહાપાલિકા કમિશનર પાસે ફરિયાદ, કાળી યાદીમાં મૂકેલી કંપનીને રૂ. 14,000 કરોડથી વધુનાં ટેન્ડર અપાયા

by Dr. Mayur Parikh July 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર

  મહાપાલિકાનો ગંદા પાણીની પ્રક્રિયાનો પ્રકલ્પ, અર્થાત એસટીપીની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે પ્રશાસકીય ભ્રષ્ટાચાર હોઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે આમાં સંડોવાયેલા સંબંધિતો પર કાર્યવાહી કરવી જોઈએ અને ટેન્ડર રદ કરીને મહાપાલિકા અને વૈકલ્પિક રીતે જનતાના રૂ. 14,000 કરોડ બચાવી લેવા જોઈએ, એવી માગણી કરતો પત્ર ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે કમિશનરને લખ્યો છે.

360 એમએલડીનો બાંદરાનો ગંદા પાણીની પ્રક્રિયાનો પ્રકલ્પનો 15 વર્ષ માટે રચના, બાંધકામ, ચલાવવું અને દુરસ્તીના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયામાં મોટે પાયે ગડબડ થયાનું ધ્યાનમાં આવ્યું છે. પાત્રતા પૂર્વ માપદંડથી દસ્તાવેજોની તપાસથી હાલમાં કરાયેલી સમિતિની સ્થાપના સુધી સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ થઈ છે. મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રોને આ કોન્ટ્રાક્ટ મળે તે માટે મહાપાલિકાના સંબંધિત વિભાગે અનેક કવાયતો શરૂ કરી હોઈ અનેક ખોટી બાબતો તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, એમ લાડે જણાવ્યું છે.

ભારતમાં કોરોનાના આંકડામાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

લાર્સન એન્ડ ટુબ્રોનું ટેક્નિકલ ટેન્ડર પાસ કરીને તેને આર્થિક ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રોને મુંબઈ મહાનગર પ્રાદેશિક વિકાસ પ્રાધિકરણે તેના મોનોરોલ પ્રકલ્પમાંથી કાઢી નાખીને તેની પાસેથી રૂ. 185.4 કરોડની બેન્ક ગેરન્ટી વસૂલ કરી હતી. આ કંપની તેનો પ્રકલ્પ અમલ કરવામાં નિષ્ફળ નીવડી છે, જેથી તેને નકારવામાં આવી. આવી શરત દરેક ટેન્ડર દસ્તાવેજમાં હોય છે અને તે મહાપાલિકાના ટેન્ડર દસ્તાવેજોમાં પણ હશે એવી અમને ખાતરી છે. જોકે એમએમઆરડીએની આ કાર્યવાહી પછી પણ મહાપાલિકાએ મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રોને ટેન્ડર આપ્યાં છે. તેમાંથી નિયમોનો ભંગ થવા સાથે રાજ્યને કરોડોનું નુકસાન પણ થશે, એમ લાડે જણાવ્યું હતું.

 

ટેન્ડર રૂ. 20,000 કરોડમાં આવવાનું અપેક્ષિત હતું તે રૂ. 34,000 કરોડ થયા છે અને આ પ્રશાસકીય ભ્રષ્ટાચારનો હિસ્સો છે. ચહલ સારા આઈએએસ અધિકારી છે અને તેમણે ભ્રષ્ટાચારને બિલકુલ ચલાવી નહીં લેવું જોઈએ. જે સલાહકાર સંસ્થાએ રૂ. 14,000 કરોડ વધારીને આપવાની સલાહ આપી તેની તપાસ કરવી જોઈએ, કારણ કે તેમાં સાઠગાંઠથી ઘણી બધી બાબત બની છે. ટેન્ડર ખોલવા પૂર્વે તે કોને અપાશે એ સંબંધિત લોકોને જાણ હતી. આથી કમિશનરે કઠોર કાર્યવાહી કરવાનું જરૂરી છે.

આ રાજ્યના મુખ્ય પ્રધાને કરી મોટી જાહેરાત : કોરોનાની ત્રીજી લહેરમાં પણ ઉદ્યોગધંધા ચાલુ જ રહેશે, જાણો વિગત

આ બદનામ કંપનીને કોન્ટ્રાક્ટ આપતી વખતે તેની પરના ગંભીર આરોપ તરફ આંખ આડા કાન કરવા, મોંમાગી કિંમતે આ ટેન્ડરને માન્યતા આપીને નુકસાન કરી લેવું એ બાબતો આકલનની પાર છે. અમે આ બધી બાબતો તમને વારંવાર યોગ્ય સમયે ધ્યાનમાં લાવી આપીને પણ કોઈ પગલાં લેવાયાંનથી. કોઈ પણ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શકતા મહત્ત્વની હોય છે અને વૈશ્વિક મહામારીના આ સમયગાળામાં નાણાંની બચત કરવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવા સમયે તમારા સંબંધિત વિભાગ પાસેથી આ બંને બાબતો તરફ આશ્ચર્યજનક રીતે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો છે. આ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર જોતાં તે રદ કરવી અને યોગ્ય કાર્યવાહી કરવી એવી માગણી તેમણે કરી છે. આ સાથે તેમણે એમએમઆરડીના પત્રની, બેન્ક ગેરન્ટીના પૈસા વસૂલ કર્યાની અને કોર્ટના આદેશની નકલ પણ જોડી છે.

July 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક