• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - covid restriction
Tag:

covid restriction

રાજ્ય

દારૂના શોખોનો માટે માઠા સમાચાર- હવે દારૂની હોમ ડિલિવરી મળતી થશે બંધ- મહારાષ્ટ્ર સરકાર લેશે નિર્ણય- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં(Corona period) લોકડાઉન(Covid19 Lockdown) દરમિયાન લોકોને દારૂની બોટલો(Bottles of liquor) ઘર સુધી પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. જોકે બહુ જલદી હવે દારૂની હોમ ડિલિવરી(Home delivery of liquor) બંધ થાય એવી શક્યતા છે.

રાજ્યના ગૃહ વિભાગે(State Home ministry) આબકારી કમિશનરને તમામ દારૂના વેપારીઓને(liquor dealers) દારૂની હોમ ડિલિવરી બંધ કરવાની સૂચના આપી છે. લોકડાઉન દરમિયાન દારૂની દુકાનોમાં લાંબી લાઈન ઉમટતી હોવાનો અનેક બનાવ બન્યા હતા. તેથી સામાજિક અંતર(Social distance) જાળવી શકાય તે માટે દારૂની હોમ ડિલિવરી સેવાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું

જોકે હવે ગૃહ વિભાગે આબકારી કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે દારૂના વેચાણની પૂર્વ મહામારી પદ્ધતિ લાગુ કરવામાં આવે અને દારૂની હોમ ડિલિવરી સેવા નાબૂદ કરવામાં આવે. આબકારી કમિશનરને(Excise Commissioner) લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોવિડ સંબંધિત પ્રતિબંધો(Covid restriction) માટેનો પ્રોટોકોલ પાછો ખેંચવાને કારણે હોમ ડિલિવરીની મંજૂરી આપવાનો નિર્ણય આપોઆપ પાછો ખેંચી લેવામાં આવ્યો છે કારણ કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   ઉત્તરાખંડ ચંપાવત પેટાચૂંટણીમાં મુખ્યમંત્રીએ પુષ્કર સિંહ ધામી લહેરાવ્યો જીતનો પરચમ- આટલા હજાર મતોથી જીત્યા  

જોકે, આબકારી વિભાગે કહ્યું છે કે સરકાર તમામ કાયદાકીય અને સામાજિક પરિબળોને ધ્યાનમાં લીધા બાદ જ આ અંગે નિર્ણય લેશે. તે જ સમયે, રિટેલર્સ(Retailers) આબકારી કમિશનરની સૂચના સુધી દારૂની હોમ ડિલિવરી ચાલુ રાખશે. જો કે ઘરે ઘરે કેટલો દારૂ પહોંચાડવામાં આવે છે તે અંગે કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ રોગચાળો(Epidemic) ફાટી નીકળ્યો ત્યારથી લાખો લોકોએ ઘરે દારૂ મંગાવવાનું શરૂ કર્યું છે
 

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

RBIનો ચોંકાવનારો અહેવાલઃ કોરોનાના ઝટકાથી દેશની અર્થવ્યવસ્થાને બહાર આવતા આટલા વર્ષો નીકળી શકે છે.  જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona outbreak) આજે દેશમાં નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ કોરોનાએ દેશના અર્થતંત્રને(Economy) સંપૂર્ણપણે હચમચાવી નાખ્યું છે. RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) એ કહ્યું કે છે દેશને આમાંથી બહાર  આવવામાં 12 વર્ષનો સમય  લાગશે. કેન્દ્રીય રિઝર્વ બેંકની રિસર્ચ ટીમ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. છેલ્લા 3 વર્ષમાં ભારતને ઉત્પાદનમાં 50 લાખ કરોડથી પણ વધુ નુકસાન થયું છે.

RBIના રિપોર્ટ અનુસાર, કોરાનાથી થયેલા નુકસાન માંથી બહાર નીકળતા ભારતને વર્ષ 2034-35 સુધીનો સમય લાગી શકે છે. આ સિવાય 2020-21, 2021-22 અને 2022-23 માટે ઉત્પાદન ખાધ અનુક્રમે રૂ. 19.1 લાખ કરોડ, રૂ. 17.1 લાખ કરોડ અને રૂ. 16.4 લાખ કરોડ રહેવાનો અંદાજ છે.

નાણાકીય વર્ષ 2021-22 માટે ચલણ અને નાણા પરના RBIના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોનેટરી અને ફીસ્કલ પોલિસી(Monetary and fiscal policy) વચ્ચે સામયિક સંતુલન જાળવવું એ સ્થિર વૃદ્ધિ તરફનું પ્રથમ પગલું હોવું જોઈએ. જો કે, કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે આ રિપોર્ટ તેનો પોતાનો અભિપ્રાય નથી પરંતુ રિપોર્ટ તૈયાર કરનારાઓના મંતવ્યો રજૂ કરે છે.

આ સમાચાર પણ વાંચો : એમેઝોનના બે મોટા વેપારીઓ પર સીસીઆઈના દરોડા પડ્યા. વેપારી સંગઠન રાજી થયા.

RBIની રિસર્ચ ટીમે કહ્યું કે રોગચાળો(Epidemic) હજુ સમાપ્ત થયો નથી. ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણ હજુ પણ ફેલાયેલું છે. જોકે, તમામ દેશોની અર્થવ્યવસ્થાઓ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે.

RBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાને કારણે ભારતને ઉત્પાદન, આજીવિકા અને જીવનના સંદર્ભમાં ઘણું નુકસાન થયું છે અને તેમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો લાગી શકે છે. અહેવાલ મુજબ, 'આર્થિક પ્રવૃત્તિઓ બે વર્ષ પછી પણ ભાગ્યે જ પ્રી-કોવિડ સ્તરે પહોંચી છે. ભારતની આર્થિક પુનઃપ્રાપ્તિ રોગચાળાના આંચકા સિવાય ઊંડા માળખાકીય પડકારોનો પણ સામનો કરી રહી છે. આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે પણ આર્થિક વ્યવસ્થાની ગતિ ધીમી કરી દીધી છે. યુદ્ધના કારણે કોમોડિટીના ભાવમાં વધારો, વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ નબળો પડવાથી અને વૈશ્વિક નાણાકીય સ્થિતિએ પણ મુશ્કેલીઓ ઊભી કરી છે.

 

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

તો શું મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત કરાશે? કેન્દ્રએ લખ્યો પત્ર. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશના અમુક રાજ્યોમાં ફરી કોરોના(covid cases in India)એ માથું ઊંચક્યું છે. કોરોના કેસમાં ફરી હળવો વધારો(Covid cases rise) થઈ રહ્યો છે. એવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એકવાર માસ્ક ફરજિયાત(Mask rule) પહેરવાનું લાગુ કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના (Covid in control)સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જતા ગુડી પડવા(Gudi Padwa)ના દિવસે સરકારે (Maharashtra Govt) કોરોનાના પ્રતિબંધક નિયમો હટાવી દીધા હતા, એ સાથે જ માસ્ક પહેરવાનું મરજિયાત કરી નાખવામાં આવ્યું હતું. જોકે છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં હળવો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનું કારણ બની શકે છે.

તો દિલ્હી (Delhi)સહિત અમુક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી કેન્દ્ર સરકારે (Central govt) મહારાષ્ટ્રની સાથે વધુ પાંચ રાજ્યોને પત્ર લખ્યા છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો છે. તેથી હવે મહારાષ્ટ્રમાં ફરીથી નવા પ્રતિબંધો લાગુ પડશે? શું માસ્ક ફરીથી ફરજ પાડવામાં આવશે? એવા સવાલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ભ્રષ્ટાચારના ઓલમ્પિકમાં શિવસેના ગોલ્ડ મેડાલિસ્ટ, ભાજપના આ નેતાનો કટાક્ષ.. જાણો વિગતે

કોરોના દર્દીઓની(Covid Patients) વધતી સંખ્યાને જોતા કેન્દ્ર સરકારે બુધવારે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. કોરોનાને કારણે દિલ્હી અને આસપાસના સરહદી વિસ્તારોમાં જેમ કે નોઈડા(Noida), એનસીઆર(NCR) અને ચંદીગઢમાં(Chandigarh) ચિંતા વધી ગઈ છે. દર્દીઓની સંખ્યા મોટી નથી. પરંતુ પોઝિટિવ રેટ(Positivity rate) 8% થઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) મુજબ, 5% જોખમી કહેવાય છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં 632 નવા કોરોનાના કેસ નોંધાયા  છે. તેથી આ પૃષ્ઠભૂમિમાં કેન્દ્રની બેઠક મહત્વની માનવામાં આવે છે.

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને મળશે રાહત. ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 29, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન નિયમોના ઉલ્લંઘનના સંબંધમાં દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે જાહેરાત કરી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન, રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓ પર કલમ 188 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ સામે કેસ નોંધાયા હોવાથી તેમને પાસપોર્ટ મેળવવામાં તકલીફ થતી હતી. કેસ પાછા ખેંચવાના કારણે વિદ્યાર્થીઓને રાહત મળશે.

દિલીપ વળસે પાટીલે મીડિયા હાઉસને જણાવ્યા મુજબ આ દરખાસ્ત હવે રાજ્ય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે અને દરખાસ્ત મંજૂર થતાંની સાથે જ કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પ્રથમ કેસના લગભગ ત્રણ મહિના પછી, 11 માર્ચ, 2020 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા COVID-19 ને રોગચાળો જાહેર કર્યા પછી, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક લોકડાઉન રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારે રોગચાળાના કોરોના વાયરસ ના પછીના તબક્કામાં સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  તો ભર ઉનાળે મહારાષ્ટ્રમાં છવાઈ જશે અંધારપટ! વીજ વિતરણ માં કર્મચારીઓ હડતાળ પર, સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ.. જાણો વિગતે

આવા તમામ લોકડાઉન દરમિયાન, ખાસ કરીને રોગચાળાના શરૂઆતના મહિનાઓમાં, કડક નિયમો મૂકવામાં આવ્યા હતા અને ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ કરવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા અથવા કર્ફ્યુના સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવા સહિત COVID-19 માર્ગદર્શિકા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પણ લાદવામાં આવ્યો હતો.

March 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક