Tag: currency

  • ક્રાઇમ ન્યૂઝ : ફાટેલી નોટ આપવામાં આવતા ગ્રાહક ગુસ્સે; દુકાનદારના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી.

    ક્રાઇમ ન્યૂઝ : ફાટેલી નોટ આપવામાં આવતા ગ્રાહક ગુસ્સે; દુકાનદારના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી.

    News Continuous Bureau | Mumbai

    લુધિયાણાના હૈબોવલ વિસ્તારમાં એક હિચકારી ઘટના સામે આવી છે. અહી 36 વર્ષીય દુકાનદારને 10 રૂપિયાની નોટના મામલે આગ ચાંપવામાં આવી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, શેખર મૃતકનો વતની હતો અને તેની શાકભાજીની દુકાન હતી. આરોપી રવિએ બુધવારે રાત્રે શેખરની દુકાનમાંથી શાકભાજી ખરીદી હતી. તે સમયે તેને ફાટેલી 10 રૂપિયાની નોટ મળી હતી.

    આથી તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. રવિએ ગુસ્સામાં આવીને શેખર પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. જેના કારણે શેખરનું માથું, પીઠ અને ખભા દાઝી ગયા હતા.

    ખરેખર શું થયું?

    પોલીસના જણાવ્યા અનુસાર, રવિએ બુધવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ શેખર પાસેથી 20 રૂપિયાની કિંમતનો મૂળો ખરીદ્યો હતો. આ વખતે તેણે શેખરને 50 રૂપિયાની નોટ આપી. બાકીના 30 રૂપિયા પરત કરતી વખતે શેખરે ફાટેલી નોટ આપી દીધી હતી.

    આથી રવિએ નોટ શેખર પર ફેંકી દીધી. આનાથી શેખર ગુસ્સે થઈ ગયો. જે બાદ બંને વચ્ચે મારપીટ થઈ હતી. રોષે ભરાયેલા રવિએ શેખર પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી.

  • ઓસ્ટ્રેલિયા ચલણી નોટમાંથી મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીર હટાવશે, જાણો કેમ.

    ઓસ્ટ્રેલિયા ચલણી નોટમાંથી મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીર હટાવશે, જાણો કેમ.

     

    News Continuous Bureau | Mumbai

    ઓસ્ટ્રેલિયન સરકારે પોતાની બેંક નોટોમાંથી મહારાણી એલિઝાબેથની તસવીર હટાવવાનો નિર્ણય લીધો છે. હવે ઓસ્ટ્રેલિયાની ચલણી નોટો પર બ્રિટનની દિવંગત રાણીની તસવીર જોવા નહીં મળે. બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ સરકારે નોટોને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. રાણીના ફોટાના બદલે હવે દેશની સ્વદેશી સંસ્કૃતિનો ઈતિહાસ નોટ પર દર્શાવવામાં આવશે. રિઝર્વ બેંક ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સંઘીય સરકારના નેતાઓ વચ્ચેની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    નોટમાંથી રાણીની તસવીર કેમ હટાવવામાં આવશે?

    ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંકનું કહેવું છે કે 5 ડોલરની ચલણી નોટમાંથી સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયનું ચિત્ર હટાવી દેવામાં આવશે. બેંકે કહ્યું કે ઓસ્ટ્રેલિયા તેની સ્વદેશી સંસ્કૃતિના ઈતિહાસને પ્રતિબિંબિત કરવા અને સન્માન આપવા માટે નવી ડિઝાઈન સાથે નોટોનું ઉત્પાદન કરશે.

    રિઝર્વ બેંક ઑફ ઑસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ફેડરલ સરકાર સાથે પરામર્શ કર્યા પછી લેવામાં આવ્યો છે, જે ફેરફારને સમર્થન આપે છે. ઓસ્ટ્રેલિયન સંસદની તસવીર નોટની બીજી બાજુ રહેશે.

    બ્રિટન સાથેના સંબંધો પર ચર્ચા

    ગયા વર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ ઓસ્ટ્રેલિયામાં બ્રિટન સાથેના સંબંધો અંગે ચર્ચા ચાલી રહી છે. કિંગ ચાર્લ્સ III, જે તેની માતાના મૃત્યુ પછી બ્રિટિશ રાજા બન્યા. તેઓ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમની બહારના અન્ય 12 કોમનવેલ્થ દેશોના રાજ્યના વડા છે, જો કે તેમની ભૂમિકા મોટાભાગે ઔપચારિક છે.

    આ સમાચાર પણ વાંચો :   રેલવેએ મહારાષ્ટ્રના લોકોને આપી સોગાત, આ તારીખથી દોડશે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન..

    બેન્ક નોટ કેટલા સમય સુધી ડિઝાઇન કરવી?

    નોટને અપડેટ કરવાનો નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર-ડાબેરી લેબર સરકાર લોકમત માટે દબાણ કરી રહી છે. બંધારણમાં થયેલા ફેરફારો અને લોકોના જીવનને અસર કરતા નિર્ણયો પર પરામર્શની જરૂરિયાત જણાવવામાં આવી રહી છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે તે બેંક નોટોની ડિઝાઇનમાં સ્વદેશી જૂથો સાથે પરામર્શ કરશે. નવી નોટને ડિઝાઈન કરવામાં અને પ્રિન્ટ કરવામાં ઘણા વર્ષો લાગશે. ત્યાં સુધી હાલની નોટ જારી થતી રહેશે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં, ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર રીતે તેના રાષ્ટ્રગીતમાં સુધારો કર્યો હતો.

  • આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર! એક શેરની કિંમતમાં તો કેટલાંય વીઘાના ખેતરો આવી જાય!

    Newscontinuous bureau, Mumbai 

    આજકાલ દેશમાં યુવાનોમાં મુખ્યત્વે કરીને શેર બજાર(share market), ક્રીપ્ટોકરન્સી(cryptocurrency) જેવી દિશાઓમાં યુવાધનને ઘેલું લાગ્યું છે અને સૌ કોઈ આ વિષે અભ્યાસ કરીને આ ક્ષેત્રે માહિતી મેળવીને ધીરે ધીરે પ્રગતિ કરીને વ્યાપાર કરવા લાગ્યા છે. શેરબજાર(investment in share market)માં રોકાણ કરીને લોકો લાંબા ગાળામાં મોટી કમાણી કરી શકે છે. ભારત(India)માં પણ શેરબજારમાં રોકાણ નું વલણ ઝડપથી વધી રહ્યું છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. 

    રોકાણકારો(investors)ને હંમેશા સલાહ આપવામાં આવે છે કે નાની રકમ(small amount)થી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે. મોટાભાગના રિટેલ રોકાણકારો (retail investment)સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જ સમયે, વિશ્વમાં એક કરતાં વધુ મોંઘા સ્ટોક પણ છે. કેટલાક શેરના ભાવ સાંભળીને તો ભલભલા ના હોશ ઉડી જાય. તેમાં રોકાણ કરવાની તો ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે. 

    શું તમને ખબર છે દુનિયાનો સૌથી મોંઘો શેર કયો છે? તે કંપનીનો માલિક કોણ છે? ખરેખર, વિશ્વના સૌથી મોંઘા સ્ટોકની કિંમત કરોડોમાં છે. બર્કશાયર હેથવે ઈન્ક(bark shayar hathway share price) વિશ્વનો સૌથી મોંઘો શેર (world’s most expensive share)છે. આ કંપનીના એક શેરની કિંમત ૪ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

    આ સમાચાર પણ વાંચો :  રવિના ટંડનનો મોટો ખુલાસો,કરિયરની શરૂઆતમાં સ્ટુડિયોમાં કરતી હતી આ કામ

    ૨૦ એપ્રિલ સુધી બર્કશાયર હેથવે ઈન્ક.(bark shayar hathway share price)ના શેરની કિંમત  $૨૩,૫૫૦ એટલે કે ૪,૦૦,૧૯,૩૭૬ રૂપિયા હતી. દરેક રોકાણકાર આ કંપનીમાં પૈસા રોકવા માંગે છે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા ૪ કરોડ રૂપિયા હશે, તો જ તેઓ શેર ખરીદી શકશે. આવી સ્થિતિમાં, બર્કશાયર હેથવે ઈન્કમાં રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે એક સ્વપ્ન જોવા સમાન છે.

    બર્કશાયર હેથવે ઈન્ક કંપનીના પ્રમુખને તમે જાણતા હશો. વોરેન બફેટને આજની તારીખમાં કોઈએ ઓળખની જરૂર નથી. વિશ્વની સૌથી મોંઘી સ્ટોક કંપની બર્કશાયર હેથવે ઈન્ક.ના વડા વોરેન બફેટ (Warren Buffett)છે. સમગ્ર વિશ્વમાં લોકો સૌથી અનુભવી રોકાણકાર વોરેન બફેટ(Warren Buffett)ને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય જાય છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફેટ બર્કશાયર હેથવેમાં ૧૬ ટકા ભાગ ધરાવે છે. 

    કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં(USA) છે. કંપનીમાં આશરે ૩,૭૨,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. ૧૯૬૫માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત ઇં૨૦ કરતા પણ ઓછી હતી.

    આ સમાચાર પણ વાંચો :  સાત દિવસમાં કાર્ડ બંધ નહીં થાય તો બેંકે ગ્રાહકને રોજના 500 રૂપિયા ચૂકવવા પડશે.. જાણો વિગતે

  • હેં!! નોટબંધીના પાંચ વર્ષ બાદ ડોંબીવલીના યુવકને મળશે નવી કરન્સી. બોમ્બે હાઈ કોર્ટે RBIને આપ્યો આ આદેશ. જાણો વિગતે,

    હેં!! નોટબંધીના પાંચ વર્ષ બાદ ડોંબીવલીના યુવકને મળશે નવી કરન્સી. બોમ્બે હાઈ કોર્ટે RBIને આપ્યો આ આદેશ. જાણો વિગતે,

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,

    ગુરુવાર,

    મેજિસ્ટ્રેટે ચુકાદો આપવામાં વિલંબ કરતા કેન્દ્રના ડિમોનેટાઈઝેશનના આદેશને પગલે ડોંબીવલીના રહેવાસીના 1.6 લાખ રૂપિયાની કિંમત કાગળના ટુકડા થઈ ગઈ હતી. જોકે યુવકે હિંમત નહીં હારતા હાઈકોર્ટમાં પીટીશન કરતા કોર્ટે જૂની  પ્રતિબંધિત નોટોને બદલીને એટલી જ કિંમતની નવી નોટો આપવાનો આદેશ RBIને આપ્યો છે.

    બોમ્બે હાઈ કોર્ટે પોતાના એક ચુકાદામાં રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ને ડોંબીવલીના રહેવાસીને તેની 1.6 લાખ રૂપિયાની જૂની પ્રતિબંધિત નોટો બદલીને તેના બદલામાં નવી માન્યતા પ્રાપ્ત નોટ આપવાનો આદેશ આપ્યો છે.

    ચીટીંગના એક કેસમાં ડોંબીવલીના કિશોર સોહોનીના પૈસા પોલીસ સ્ટેશનમાં જમા હતા. તે પૈસા નવા કરન્સીના રૂપમાં મેળવવા માટે તેને બોમ્બે હાઈ કોર્ટના દાદરા ચડવા પડયા હતા. 

    કિશોર સોહોનીના ફરિયાદ મુજબ ચીટીંગના એક કેસમાં કલ્યાણ મેજિસ્ટ્રેટે માર્ચ 2016માં આરોપીને લોકલ પોલીસ સ્ટેશનમાં 1.6 લાખ ડિપોઝીટ કરવા કહ્યું હતું. આ દરમિયાન 8, નવેમ્બર 2016માં  કેન્દ્ર સરકારે ડિમોનેટાઈઝેનની જાહેરાત કરી હતી. કિશોર સોહોનીએ મેજિસ્ટ્રેટને સતત વિનંતી કરી હતી કે નોટ બદલવાની મુદત 31 ડિસેમ્બર 2016 પહેલા તેને પૈસા લેવાની મંજૂરી આપો. છતાં મેજિસ્ટ્રેટે 20 માર્ચ 2017માં ઓર્ડર તેના પૈસા પાછા કરવાનો આદેશ આપ્યો હતો.

    કિશોર સોહોનીની પીટીટીશન મુજબ તેણે પૈસા કલેકટ કરવામાં ઉતાવળ કરી નહોતી. ત્યારબાદ કોરોનાને પગલે માર્ચ 2020માં લોકડાઉન આ ગયું હતું. ઓક્ટોબર 2020માં જયારે છેવટે તે પોલીસ સ્ટેશન તેના પૈસા લેવા ગયો હતો, ત્યારે તેના હાથમાં પ્રતિબંધિત 1,000 રૂપિયાની નોટો થમાવી દેવામાં આવી હતી. જેની કિંમત ફક્ત કાગળ થઈ ગઈ હતી. તેથી તેણે RBIને પત્ર લખી નોટ બદલી આપવાની વિનંતી કરી હતી પણ તેને ગણકારવામાં આવ્યો નહોતો. છેવટે તેણે બોમ્બે હાઈકોર્ટમા પીટીશન કરી હતી.

    કાંદા-બટાટાના લઈને ગૃહિણીઓની ચિંતામાં વધારો, વાશીની એપીએમસીમાં કાંદા-બટાટા માર્કેટમાં વેપારીઓ સામે માથાડીઓનું આંદોલન. વેપારીઓએ કર્યો આ દાવો જાણો વિગતે

    કિશોરના વકીલે કોર્ટમાં કરેલા દાવા મુજબ પૈસા પોલીસ કસ્ટડીમાં હોવાથી ડીમોનેટાઈઝેશનથી પૈસાને બચાવાની જવાબદારી પોલીસ ઓથોરીટીની હતી. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના 12 મે 2017ના નોટિફિકેશન મુજબ વિવાદાસ્પદ કેસમાં જો કોર્ટ પૈસા પાછા કરવાનો આદેશ આપે તો સંબંધિત વ્યક્તિ કોર્ટના આદેશ બાદ પ્રતિબંધિત કરન્સીને બેન્કમાં ડિપોઝીટ અથવા એક્સચેન્જ કરાવી શકે છે. 

    ફાઈનાન્સ મિનિસ્ટ્રીના આ નોટિકિફેશનનો આધાર લઈને હાઈ કોર્ટે RBIને કિશોર સોહોનીના 1.6 લાખ રૂપિયા બદલીને આપવાનો આદેશ આપ્યો હતો.

  • શુ ચલણી નોટો ફેલાવી શકે છે કોરોના? CAITએ માગ્યો આરોગ્ય મંત્રાલય અને ICMR પાસે જવાબ, જોકે સરકાર હજી મૌન; જાણો વિગત

    શુ ચલણી નોટો ફેલાવી શકે છે કોરોના? CAITએ માગ્યો આરોગ્ય મંત્રાલય અને ICMR પાસે જવાબ, જોકે સરકાર હજી મૌન; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,14 જાન્યુઆરી 2022  

     શુક્રવાર. 

    દેશભરમાં ફરી એક વખત કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાની ત્રીજી લહેર હેઠળ અનેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે ચલણી નોટોને કારણે શું કોરોના ફેલાઈ શકે છે એવો સવાલ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા(CAIT) દ્વારા આરોગ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને કરવામાં આવ્યો હતો. જોકે બંને પક્ષ તરફથી આ સવાલ પર મૌન સાધી રાખવાને કારણે CAIT એ તીખા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. 

    CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે ચલણી નોટો વાયરસના વાહક છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આરોગ્ય મંત્રાલય અને ICMR  મૌન રાખીને બેઠી છે. જે અત્યંત ખેદજનક છે. 

    કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા ICMR ના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે અને તેમને તાત્કાલિક સ્પષ્ટતા કરવા કહ્યું છે કે શું ચલણમાં રહેલી નોટોમાં વાયરસ છે કે નહીં.

    હેં!! મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા આ કંપનીના CEO; જાણો વિગત

    CAIT ના પદાઘિકારીઓના કહેવા મુજબ આ મામલો લાંબા સમયથી  થી પેન્ડિંગ છે. જેના માટે  નિયમિતપણે વિવિધ મેમોરેન્ડમ મોકલવામાં આવ્યા છે પરંતુ આશ્ચર્યજનક રીતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR બંનેએ આ મામલે મૌન સેવ્યું છે. વર્તમાન કોવિડ વાયરસ ફરી એક વખત બેકાબૂ બની રહ્યો છે ત્યારે તેમની સ્પષ્ટતા ખૂબ મહત્વ ધરાવે છે. CAIT ચિંતિત છે કારણ કે દેશભરના કરોડો વેપારીઓ દ્વારા ચલણી નોટોનું સંચાલન એ વ્યવસાયિક પ્રવૃત્તિઓનો નિયમિત અને અભિન્ન ભાગ છે. જો ચલણી નોટો વાયરસના વાહક છે, એ સાબિત થાય છે તો તે માત્ર વેપારીઓ માટે જ નહીં પરંતુ તેમના ગ્રાહકો માટે પણ ઘાતક બની રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRને અનેક વખત રીમાઇન્ડર્સ મોકલવામાં આવ્યો હોવાનો દાવો પણ CAITએ કર્યો છે. 
    CAITના કહેવા મુજબ જર્નલ ઓફ કરંટ માઇક્રોબાયોલોજી એન્ડ એપ્લાઇડ સાયન્સ, ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મા એન્ડ બાયો સાયન્સ, ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ અને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનઉ દ્વારા તેના વિવિધ અભ્યાસો અને સંશોધનોમાં 2016 ના અહેવાલને ટાંકવામાં આવ્યો છે કે ચલણી નોટો વાયરસનું વહન કરે છે. લોકો વચ્ચે હાથની આપ-લે દરમિયાન તેમની સાથે વાયરસ પણ ફેલાય છે. જો રિપોર્ટ સાચો છે, તો તે સામાન્ય લોકો માટે ખૂબ જ ચિંતાજનક હોવાની ફરિયાદ પણ CAIT કરી હતી.

  • પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, અમેરિકી ડોલર સામે દેશનું ચલણ રેકોર્ડ સ્તરની નીચી સપાટીએ પહોંચ્યું

    પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, અમેરિકી ડોલર સામે દેશનું ચલણ રેકોર્ડ સ્તરની નીચી સપાટીએ પહોંચ્યું

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 9 ડિસેમ્બર 2021

    ગુરુવાર.

    પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની વર્તમાન સરકારમાં છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપી ૩૦.૫ ટકા નબળો પડ્યો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ૧૨૩ રૂપિયાથી ઘટીને ૧૭૭ રૂપિયા થઈ ગયું છે, જે છેલ્લા ૪૦ મહિનામાં ૩૦.૫ ટકાનો ઘટાડો છે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો છે. ઢાકાના ચલણમાં રેકોર્ડબ્રેક ઘટાડા બાદ આ બીજાે સૌથી મોટો ઘટાડો છે. પાકિસ્તાનનું ચલણ ૧૯૭૧-૭૨માં ેંજીડ્ઢ સામે રૂ. ૪.૬૦ થી રૂ. ૧૧.૧૦ સુધી ૫૮ ટકા ઘટી ગયું હતું. ભૂતપૂર્વ આર્થિક સલાહકાર ડૉ. અશફાક હસન ખાને જણાવ્યું હતું કે દેશ આર્થિક નીતિ ઘડતરમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. નાણાકીય સખ્તાઈ અને વિનિમય દરમાં ઘટાડાના કારણે ફુગાવો અને દેવુંમાં વધારો થયો છે.ઇમરાન ખાનની સરકારમાં પાકિસ્તાની રૂપીનું મૂલ્ય ઓગસ્ટ ૨૦૧૮માં ેંજીડ્ઢ સામે ૧૨૩ રૂપીથી ઘટીને ડિસેમ્બર ૨૦૨૧માં ૧૭૭ પર પહોંચી ગયું છે. દેશના ઇતિહાસમાં પાકિસ્તાની રૂપી વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયો છે. અને છેલ્લા ૪૦ મહિનામાં ૩૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

    ઇરાકમાં વિસ્ફોટકોનો સીલસીલો યથાવત, મોટરસાઈકલમાં વિસ્ફોટ થતાં ૪ના મોત; પોલીસે તપાસ ચાલુ 

     

  • ક્રિપ્ટોકરન્સી આ સમયે ભારતમાં અધિકૃત કરન્સી બની શકે છે, જાણો વિગત

    ક્રિપ્ટોકરન્સી આ સમયે ભારતમાં અધિકૃત કરન્સી બની શકે છે, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

    મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

    બુધવાર 

    ગત સપ્તાહે સંસદની નાણાંકીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને બીજેપી સાંસદ જયંત સિન્હા ક્રિપ્ટો એક્સચેન્જ, બ્લોકચેન અને ક્રિપ્ટો એસેટ કાઉન્સિલ અને અન્યના પ્રતિનિધિઓને મળ્યા અને એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ ન મૂકવો જાેઈએ. તેને બદલે તેનું નિયમન કરવું જાેઈએ.કોવિડ-૧૯ના નવા વેરિયેન્ટનું નામ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન આપ્યું છે. તેજ નામની ક્રિપ્ટોકરંસી ઓમિક્રોનના ભાવોમાં ૯૦૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. ૨૭ નવેમ્બરે તેનો ભાવ રૂ. ૪૮૮૩ (૬૫ ડોલર) હતો જે ૨૯ નવેમ્બરે રૂ. ૫૧,૭૬૫ (૬૮૯ ડોલર) પર પહોંચ્યો છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં તેના ભાવમાં ૯૪૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. ઓમિક્રોન ક્રિપ્ટોના ભાવમાં ઉછાળા પાછળનું મુખ્ય કારણ તેનું નામ કોરોના વેરિયન્ટ સાથે જાેડાયેલું છે.ક્રિપ્ટોકરન્સીના ભારતમાં ભવિષ્ય અંગે આ સપ્તાહે સરકાર મસમોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકારના ક્રિપ્ટો સહિતની તમામ વર્ચ્યુઅલ કરન્સી પરના કાયદા પૂર્વે સરકારે કહ્યું છે કે હાલમાં ભારતમાં બિટકોઈનને ચલણ તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી. કેન્દ્રીય નાણા મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકાર સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને વોલ્યુમ અંગેનો ડેટા એકત્રિત કરતી નથી. નાણાં મંત્રાલયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે ભારત સરકાર બિટકોઈન ટ્રાન્ઝેક્શન પર ડેટા એકત્ર કરતી નથી. આ સિવાય જણાવ્યું કે દેશમાં બિટકોઈનને કાયદેસર કરન્સી તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે બિટકોઈન સહિતની ડિજિટલ કરન્સી પર કાયદો બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરે તેવી શક્યતા છે જે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો અને આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણના નિયમન માટે એક માળખું બનાવવાના માર્ગે પ્રથમ ડગલું હશે. લોકસભાના બુલેટિન અનુસાર ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ ૨૦૨૧ સંસદના શિયાળુ સત્ર દરમિયાન નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં 'લિસ્ટેડ' છે. આ પ્રસ્તાવિત બિલ ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માંગે છે.

  • શોકિંગ! ભરૂચમાં આટલા હિંદુઓને લલચાવી ઈસ્લામ અંગીકાર કરાવવાનો નેટવર્કનો પર્દાફાશઃ લંડનથી આવતા હતા નાણા; જાણો વિગત.

    શોકિંગ! ભરૂચમાં આટલા હિંદુઓને લલચાવી ઈસ્લામ અંગીકાર કરાવવાનો નેટવર્કનો પર્દાફાશઃ લંડનથી આવતા હતા નાણા; જાણો વિગત.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 16 નવેમ્બર  2021 
    મંગળવાર. 

    ઉત્તર પ્રદેશમાં ધર્માન્તરનો મુદ્દો હજુ તાજો છે ત્યાં તો ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિકા ગામમાં 37 આદિવાસી પરિવારોના 100 લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. પૈસાની લાલચ આપી ગરીબ લોકોને ફોસલાવીને તેમનું ધર્માન્તર કરાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

    વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ આદિવાસીઓને ફોસલાવીને પૈસાની લાલચ આપીને તેમને વટલાવવામાં આવતા હતા. ભરૂચમાં લંડનથી નાણા હવાલા મારફત આવ્યા હોવાની શંકા છે. ભરૂચ જિલ્લાની  આમોદ પોલીસે શંકાને આધારે મૌલવી સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે.
    આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં લાંબા સમયથી ધર્માન્તરની પ્રવૃત્તિ ચાલતી હતી. જેમાં કટ્ટરવાદીઓ વિદેશથી ફંડ ભેગું કરીને ધર્માન્તરની પ્રવૃતિ કરતા હતા. હિંદુઓને ખાસ કરીને ગરીબ અને આદીવાસીઓને રોકડ રૂપિયા સહિતની અનેક લાલચ આપીને તેમની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી ઈસ્લામ અંગીકાર કરાવવામાં આવતો હતો. જેમાં કાંકરિયા ગામના 37 પરિવારના 100 થી વધુ લોકોને લાલચ આપીને તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.

     

     દીવના આ બીચ પર પેરાશૂટમાં ઉડી રહેલા દંપત્તિ સાથે ઘટી દુર્ઘટના,પેરાસેલિંગ કરતા પેરાશૂટનું દોરડું તૂટ્યું… પછી શું થયું જુઓ અહીં

    આ પ્રકરણમા મૂળ નબીપુરના અને હાલ લંડન સ્થિત હાજી અબ્દુલની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. અગાઉ વડોદરા અને ઉત્તર પ્રદેશમાં પણ તેણે હવાલા મારફત ધર્માન્તર માટે પૈસા મોકલ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

  • નોટબંધીના પાંચ વર્ષ પછી પણ ચલણી નોટોનું વર્ચસ્વ યથાવત, રોકડ ચૂકવણીમાં થયો બમણો વધારો;  જાણો વિગતે

    નોટબંધીના પાંચ વર્ષ પછી પણ ચલણી નોટોનું વર્ચસ્વ યથાવત, રોકડ ચૂકવણીમાં થયો બમણો વધારો;  જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 10 નવેમ્બર, 2021

    બુધવાર

    કોરોના મહામારીને કારણે ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ચલણી નોટોની માગમાં વધારો જોવા મળ્યો છે.

    રિઝર્વ બેંકએ જારી કરેલા આંકડા અનુસાર 4 નવેમ્બર, 2016ના રોજ 17.74 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો સર્ક્યુલેશનમાં હતી જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.

    અમેરિકામાં પણ 2020ના અંત સુધીમાં સર્ક્યુલેશનમાં રહેલ કરન્સીનું મૂલ્ય વધીને 2.07 ટ્રિલિયન ડોલર થઇ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં 16 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.  

    ઉલ્લેખનીય છે કે આર્થિક અનિશ્ચિતતાના સમયમાં ચલણી નોટોની માગ સૌથી વધુ જોવા મળે છે કારણકે આવા સમયમાં હાથ પર રોકડ એ જ સૌથી મોટી મિલકત હોય છે. 

    મુંબઈના આ વોર્ડમાં થયા હતા 4 લાખથી વધુ કોરોના દર્દીઓ ક્વોરંટાઈન; દરેક વોર્ડની સરખામણીમાં આ વોર્ડનો આંકડો મોટો: જાણો આંકડા

     

  • કેન્દ્રનો નોટબંધીનો નિર્ણય દેશવાસીઓની આંખમાં ધૂળ ફેંકનારો? 3 વર્ષમાં આટલી કિંમતની બનાવટી નોટો જપ્ત થઈ, તો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આટલા ગુના નોંધાયા; જાણો વિગત

    કેન્દ્રનો નોટબંધીનો નિર્ણય દેશવાસીઓની આંખમાં ધૂળ ફેંકનારો? 3 વર્ષમાં આટલી કિંમતની બનાવટી નોટો જપ્ત થઈ, તો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આટલા ગુના નોંધાયા; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 20, સપ્ટેમ્બર   2021

    સોમવાર

    દેશમાં બનાવટી નોટો પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય અમલમાં મૂક્યો હતો, પરંતુ સરકારનો આ નિર્ણય સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હોવાનું માનવામાં આવે છે. અત્યારે પણ દેશના ચલણમાં મોટા પ્રમાણમાં બનાવટી નોટ ફરી રહી છે. જેનો ખુલાસો હાલમાં જ  નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના જાહેર થયેલા અહેવાલમાં થયો છે.

    NCRBના રિપૉર્ટ મુજબ મહારાષ્ટ્રમાં એક વર્ષમાં 83.61 કરોડ રૂપિયાની કિંમતની બનાવટી નોટ જપ્ત કરવામાં આવી છે. દેશમાં બનાવટી નોટ જપ્ત કરવાનું પ્રમાણ પણ 190 ટકા વધી ગયું છે. NCRBના ચોંકવાનારા રિપૉર્ટ મુજબ મહારાષ્ટ્રમાં 2020માં 97 લોકો પાસેથી 6,99,495 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. તેનું મૂલ્ય 83.61 કરોડ રૂપિયા હતું. ત્યાર બાદ રાજસ્થાનથી 27.35 કરોડ રૂપિયાની કિંમતની 6,190 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 633 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

    પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં રેકોર્ડ 2.5 કરોડથી વધુ વેક્સીનેશન

    છેલ્લાં 3 વર્ષમાં દેશભરમાં બનાવટી નોટના 385 કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, તો બનાવટી નોટમાં આરોપી પકડાવાના સૌથી વધુ કેસ વેસ્ટ બંગાળમાં નોંધાયા હતા. એમાં કુલ 111 લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જપ્ત કરેલી 24,277 નકલી નોટનું મૂલ્ય 2.46 કરોડ રૂપિયા હતું. ગુજરાતમાં કુલ 23 કેસ નોંધાયા હતા, જેમાં 32ની ધરપકડ કરી હતી. બનાવટી નોટનું મુલ્ય 87.96 લાખ રૂપિયા હતું.