• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cyber crime - Page 2
Tag:

cyber crime

Gujarat Government organized Cyber ​​Security Awareness Program at Adajan Performing Art Centre Surat
સુરતવિજ્ઞાન-ટેકનોલોજી

Cyber ​​Security Awareness : સુરતમાં ગુજરાત સરકારે કર્યું ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ’ કાર્યક્રમનુ આયોજન, સાયબર ક્રાઈમ અંગે જાગૃત બનવા કરાઈ આ અપીલ.

by Hiral Meria October 26, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Cyber ​​Security Awareness :  સુરતના અડાજણ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક ICT અને ઈ-ગવર્નન્સ દ્વારા સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓના સરકારી કર્મચારીઓને નવીનતમ સાયબર એટેકસ, સંવેદનશીલ માહિતીની સિક્યોરિટી અને સાયબર ઈન્સીડન્ટ સહિતના મુદ્દાઓ અંગે સમજ આપવા માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો.  

Gujarat Government organized Cyber ​​Security Awareness Program at Adajan Performing Art Centre Surat

Gujarat Government organized Cyber ​​Security Awareness Program at Adajan Performing Art Centre Surat

 

               સેમિનારના પ્રથમ શેસનમાં ICT ઓફિસર હાર્દિક નારિયાએ સાયબર સિક્યોરિટી, સાયબર એટેકના વિવિધ પ્રકારો, સાયબર થ્રેટ્સ અને  થ્રેટ્સના સ્રોતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રકારના સાયબર એટેકસથી ( Cyber Attack ) બચવા માટે ડેસ્કટોપ અને ઈમેઇલ સુરક્ષા અને પાસવર્ડ સહિત પ્રોટેક્શન ઓફ પર્સનલ આઈડેન્ટીફિએલ ઈન્ફોર્મેશન (PII) જેવી કે આધાર, મોબાઈલ નં., મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશનના ઉપયોગ થકી પાસવર્ડ અને ડેટા સિક્યોરિટીથી જાગૃત્ત કરવામાં આવ્યા હતા. 

                આ સાથે પબ્લિક વાઈફાઈથી ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટાળવા જોઈએ તેમજ સોશિયલ એન્જીનિયરિંગ અને સર્ચ એન્જિન સેફ્ટી અંગે વિગતે છણાવટ કરી સાયબર સિક્યોર થવા અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Mega Block: રવિવારે ,દિવાળીની ખરીદી માટે જવાના છો ? તો પહેલા વાંચો આ સમાચાર, ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક; ચેક કરો શેડ્યૂલ..

               આ સાથે સિક્યોરિટી સત્રમાં IT Act અને DPDPA (ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા અધિનિયમ) અંગે પણ મહત્વની માહિતગાર કરાયા હતા. સૌને સાયબર ક્રાઈમ ( Cyber ​​Security Awareness ) અંગે જાગૃત બનવા, સચેત રહેવા અને ટૂંકા ગાળામાં નાણા કમાવા લોભલાલચમાં ન પડવા અને જો કોઈ નાગરિકો સાયબર ફ્રોડનો ( Cyber Fraud ) ભોગ બને તો તાત્કાલિક હેલ્પલાઈન નં. ૧૯૩૦ પર ફરિયાદ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. સામાન્ય પ્રજાજનોને પણ હેલ્પલાઈન ૧૯૩૦ ના ઉપયોગ માટે જાગૃત્ત કરવા પ્રેરણા અપાઈ હતી.

Gujarat Government organized Cyber ​​Security Awareness Program at Adajan Performing Art Centre Surat

Gujarat Government organized Cyber ​​Security Awareness Program at Adajan Performing Art Centre Surat

               સેમિનારનું ( Adajan Performing Arts Centre ) આયોજન ICT ઓફિસર પ્રશાંત ચૌહાણ, મદદનીશ નિયામક સંજય ભાભોર અને નાયબ નિયામક ડો.દેવેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister Narendra Modi interacted with IPS probationers
દેશ

PM Modi IPS Probationers: PM મોદીએ IPS પ્રોબેશનર્સ સાથે કરી મુલાકાત, આ નવા પડકારોનો સામનો કરવાના મહત્વની થઈ ચર્ચા

by Hiral Meria October 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

PM Modi IPS probationers:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કર્યો. 

શ્રી મોદીએ  ( Narendra Modi ) વર્ષોથી પોલીસિંગમાં થયેલા પરિવર્તન અને સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોનો સામનો કરવાના મહત્વ વિશે ચર્ચા કરી.

PM Modi IPS probationers: પ્રધાનમંત્રી પોસ્ટ કર્યું હતુઃ

“આજે અગાઉ 76 RRના IPS પ્રોબેશનર્સ ( IPS probationers ) સાથે વાર્તાલાપ કર્યો. લોકોને સેવા આપવાના તેમના પ્રયાસમાં તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષોથી પોલીસિંગ કેવી રીતે બદલાયું છે અને સાયબર ક્રાઇમ ( Cyber Crime ) જેવા નવા પડકારોનો સામનો કરવા માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ બની ગયું છે તેની ચર્ચા કરી. @svpnpahyd”

Interacted with IPS Probationers of 76 RR earlier today. Wished them the very best in their endeavour of serving people. Discussed how policing has changed over the years and how it has become important to tackle new challenges like cyber crime. @svpnpahyd pic.twitter.com/scEoj2mPZ8

— Narendra Modi (@narendramodi) October 4, 2024

આ સમાચાર પણ વાંચો :  Amit Shah ADC Bank: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એડીસીબેંકની શતાબ્દી ઉજવણીને કર્યું સંબોધન, કહ્યું, ‘ ADC બેંકે અમદાવાદમાં આ સેવાઓની જવાબદારી લેવી જોઈએ’

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amitabh Bachchan joins campaign to create cyber-secure India, Union Home Minister Amit Shah thanks actor
દેશ

Amit Shah Amitabh Bachchan: સાયબર-સુરક્ષિત ભારત બનાવવા અમિતાભ બચ્ચન જોડાયા આ અભિયાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માન્યો અભિનેતાનો આભાર

by Hiral Meria September 11, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Amit Shah Amitabh Bachchan:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરતાં ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસનું સર્જન કરવાનો સંકલ્પ ધરાવે છે. 

‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે ( Amit Shah ) જણાવ્યું હતું કે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ( I4C )એ આ દિશામાં કેટલાંક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સાયબર-સિક્યોર ભારતનાં નિર્માણનાં અભિયાનને વેગ આપવા સક્રિયપણે સામેલ થવા બદલ પ્રસિદ્ધ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચનનો ( Amitabh Bachchan ) આભાર માન્યો હતો.

Pursuing Modi Ji’s vision, the Ministry of Home Affairs is resolved to creating a safe cyberspace in the nation. The I4C has taken several steps in this direction. I thank Shri @SrBachchan Ji for joining this campaign. Amitabh Bachchan Ji’s active involvement will further… https://t.co/TOdRZIiGLc

— Amit Shah (@AmitShah) September 11, 2024

મેગાસ્ટાર શ્રી અમિતાભ બચ્ચને પોતાના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે દેશ અને દુનિયામાં વધી રહેલા સાયબર ક્રાઇમ ચિંતાનો વિષય છે. ગૃહ મંત્રાલય હેઠળનું ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાયબર ક્રાઇમને ( Cyber crime ) ડામવા માટે સતત કામ કરી રહ્યું છે. શ્રી બચ્ચને ઉમેર્યું હતું કે, તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની વિનંતી પર આ અભિયાનમાં જોડાયા છે. તેમણે કહ્યું કે દેશને આ સમસ્યાથી મુક્ત કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આપણી થોડી સજાગતા અને સાવચેતી આપણને સાયબર ગુનેગારોથી બચાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad-Gandhinagar Metro: હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આ તારીખે થશે શુભારંભ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

September 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..
સુરત

Cyber Sanjivani 3.0: સુરતવાસીઓને સાયબર ક્રાઈમથી બચાવવા સુરત પોલીસની ઉમદા પહેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો આ અભિયાનનો શુભારંભ..

by Hiral Meria September 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Cyber Sanjivani 3.0 : સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી ( Online fraud ) બચાવવા માટે સુરત શહેર પોલીસ ( Surat Police ) અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ કરાયો હતો. સુરતવાસીઓને ( Surat ) સાયબર ક્રાઈમ વિષે જાગૃત્ત કરવા અને મદદ પૂરી પાડતી સુરત પોલીસની ઉમદા પહેલ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

           આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ( CR Patil ) જણાવ્યું હતું કે, સાયબર ઈન્ટેલિજન્સમાં ટેક્નોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દૂરૂપયોગ પણ થઈ રહ્યો છે. સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને વિકાસમાર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યોરિટી પણ ખૂબ જ જરૂરી બની છે, ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે, જે સરાહનીય છે.

           વધુમાં તેમણે કહ્યું હતું કે, યુવાનો, યુવતીઓ, વડીલો સોશિયલ મિડીયા થકી સાયબર ક્રાઈમનો ( Cyber Crime ) ભોગ બની રહ્યા છે, અને નાછૂટકે આત્મહત્યા કરવા સુધી લાચાર બની જાય છે, સમાજ માટે આ ચિંતાજનક અને લાલબત્તી સમાન છે, ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોએ પોલીસને ખુલ્લા મને પોતાની વાતો, મૂંઝવણ અને સાચી હકીકતો જણાવી દેવી જોઇએ, જેથી તેઓ ઝડપભેર કાર્યવાહી કરી શકશે. નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઈન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ કહ્યું હતું.

Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..

Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..

                  આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ ( Harsh Sanghvi  ) જણાવ્યું કે, ટેક્નોલોજીને સમજીને તેનો સાચો ઉપયોગ કરવો એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે. સાયબર ક્રાઈમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઈમથી બચાવવામાં પણ મદદરૂપ બની રહી છે.

Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..

Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..

              આપણે સૌએ ઘરની તિજોરીની જેમ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં તમામ પ્રકારની માહિતી લોક રાખવા તેમજ અજાણ્યા વ્યક્તિની સોશિયલ મીડિયા પર આવતી રિક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ ન કરવા અને આ અંગે અન્યને જાગૃત્ત કરવા ગૃહરાજ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક  કહ્યું હતું. તેમજ શહેરના તમામ ગણેશ પંડાલમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટેના નાટકો ભજવવા સૂચન કર્યું હતું. સૌ સુરતીઓને ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમની જાગૃતિ દર્શાવતી ક્લિપ્સને સમંયાતરે સોશિયલ મીડિયા પર શેર કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.                                 

આ સમાચાર પણ વાંચો:  Stone pelting in Surat : સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, ગણતરીના કલાકમાં પોલીસે કરી આરોપીઓની ધરપકડ       

          પોલિસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે. કોઈ પણ શહેરને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે. સમગ્ર વિશ્વમાં ઝડપભેર સાયબર ક્રાઈમ વધી રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓનું મહત્તમ ડિટેક્શન સાથે સુરત સાયબર ક્રાઈમ સતત કાર્યરત હોવાનું અમે સાયબર ક્રાઈમનો ભોગ બનનાર  પીડિતોને તેમના નાણાં પરત અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી.

Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..

Cyber ​​Sanjivani 3.0 A noble initiative of Surat Police to protect Surat residents from cyber crime, Harsh Sanjivani launched this campaign..

          નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઇન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ શ્રી ગહલોતે કહ્યું હતું.

            આ વેળાએ સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મે હાજર સૌને રસપ્રદ અને ઉપયોગી જાણકારી આપી હતી. સાથે સાયબર ફ્રોડથી બચવા માટે ભજવાયેલી નાટિકા સૌએ નિહાળી હતી.

           આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ, પ્રવિણ ઘોઘારી, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Take these precautions to avoid cybercrime
વિજ્ઞાન-ટેકનોલોજી

Cyber Crime : સાયબર ક્રાઇમથી બચવા આટલી સાવધાનીઓ જરૂર રાખો

by Hiral Meria August 3, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

Cyber Crime : આજકાલ સાયબર ક્રાઇમના ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે તેનાથી બચવા માટે નીચે દર્શાવેલી સાવધાનીઓ લોકોએ રાખવી જોઇએ. જો આ પ્રકારની સાવધાનીઓ ધ્યાનમાં રાખવામાં આવશે. તો તમે સાયબર ક્રાઇમના ભોગ બનતા અટકી જશો. પોલીસ તંત્ર દ્વારા લોકોને નીચેની સાવધાનીઓ લક્ષમાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. 

  • ભોગ બનનારે તરત જ ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ ( Cyber Crime complaint ) નોંધાવવી જોઈએ. 
  • બેન્ક / ફાઇનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ/ કોઇપણ અધિકૃત સંસ્થા ક્યારેય બેન્કની વિગતો જેવી કે, પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ, સીવીવી, ઓટીપી કે પિન માંગતી નથી, તેથી ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો. 
  • હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો AN-પાસવર્ડ ક્યાંય દાખલ ન કરવો.
  • ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં આવશો નહી. 
  • બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું. 
  • કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી. અજાણી લિન્ક પર ક્લિક ન કરવી. 
  • જો અજાણી લિન્ક ઓપન થઈ જાય તો બેન્કની વિગત, પર્સનલ માહિતી દાખલ કરવી નહી, રૂપિયાની ચૂકવણી કરવી નહી અને આવા પ્રકારની પ્રોફાઇલની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી. 
  • ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો,  હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો PN/પાસવર્ડ ક્યાંય દાખલ કરવાની જરૂર નથી,  
  • હંમેશા મજબુત પાસવર્ડ રાખવો, જેમાં અંકો, ચિન્હો, અક્ષરોનો ઉપયોગ કરવો તેમજ સમયાંતરે તેને બદલતા રહેવું. 
  • ક્યારેય અજાણી લિન્ક ઓપન કરી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી. જેથી રૂબરૂ મુલાકાત કે ખરાઇ કર્યા વગર ચુકવણી કરવી નહી.
  • ખાસ યાદ રાખો કે, રૂપિયા મેળવવા માટે ઓટીપી, પીન કે પાસવર્ડની જરૂર હોતી નથી,  બેન્ક કે કંપનીની અસલ અધિકૃત વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવો જોઇએ. 

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad : અનુસૂચિત જાતિઓની યાદીની સમીક્ષા અંગે ‘જસ્ટિસ બાલાકૃષ્ણન તપાસ આયોગ’ની જાહેર સુનાવણી ૯મી ઑગસ્ટે અમદાવાદમાં થશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cyber Crime Strict measures will be taken now to stop cyber cheats in the country, they will be blacklisted in banks
દેશવેપાર-વાણિજ્ય

Cyber Crime: દેશમાં સાયબર ઠગોને રોકવા માટે હવે લેવાશે કડક પગલા, તેમને બેંકોમાં બ્લેકલિસ્ટ કરવામાં આવશે.. જાણો વિગતે..

by Bipin Mewada July 23, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Cyber crime: દેશમાં સાયબર ઠગ હવે બેન્કિંગ સેવાઓનો ( Banking Services ) ઉપયોગ કરી શકશે નહીં. કેન્દ્ર સરકાર આ માટે એક કેન્દ્રીય રજિસ્ટ્રી તૈયાર કરી રહી છે, જેમાં આવા છેતરપિંડી કરનારાઓની બ્લેક લિસ્ટ હશે. આ સાથે દેશની નાણાકીય સંસ્થાઓ આવા સાયબર ફ્રોડ ( Cyber ​​fraud ) પર પ્રતિબંધ લગાવી શકશે. નાણા અને ગૃહ મંત્રાલય આ દિશામાં હાલ કામ કરી રહ્યા છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રજિસ્ટ્રી આવા ખાતાઓ અને નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા લોકોને શોધવામાં પણ મદદ કરશે. 

હાલમાં, જો કોઈ સાયબર ઠગ કોઈ શખ્સ સાથે છેતરપિંડી ( Financial fraud ) કરે છે અને તેના બેંક ખાતામાંથી UPI દ્વારા પૈસા મેળવી લે છે, તો સાયબર ઠગ આ નાણાંને સરળતાથી અન્ય ઘણા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દે છે. આમાં નાણાકીય સંસ્થાઓ પાસે કોઈ કેન્દ્રિય ડેટા ઉપલબ્ધ ન હોવાથી, છેતરપિંડી કરનારાઓ તેમના નાણાંનું મોટા પાયે ટ્રાન્સફર કરી રહ્યા છે. જો કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા તેમની ઓળખ કરે અને તેમની સામે પગલાં લે તો પણ આ ગુનેગારો તેમના પૈસા સરળતાથી અન્ય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં ટ્રાન્સફર કરી દે છે. આ વલણને રોકવા માટે સરકાર  હવે નવી પહેલ કરી રહી છે. 

Cyber Crime: આ કેન્દ્રીય રજિસ્ટ્રીમાં, તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ ગૃહ મંત્રાલય અને બેંકો સહિત અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે ડેટા શેર કરશે…

નવી સિસ્ટમમાં, જો કોઈ છેતરપિંડી કરનાર એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરે છે, તો બેંકો માટે આ ટ્રાન્ઝેક્શન અને તે વ્યક્તિની ઓળખ કરવામાં સરળતા રહેશે. આ છેતરપિંડી કરનારાઓને પહેલેથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવશે, તેથી આ ટ્રાન્સફર તરત જ બંધ કરવામાં આવશે. ઉપરાંત, છેતરપિંડી કરનારને ભવિષ્યમાં દેશમાં ક્યાંય પણ બેંકિંગ અને નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  :  Reliance Jio 999 Plan: રિલાયન્સ જિયોનો મોટો ધડાકો! રૂ. 999 નો પ્લાન ફરીથી લોંચ કર્યો, હવે પહેલા કરતા વધુ વેડિલીટી સાથે મળશે બીજા ધણા લાભો… જાણો વિગતે

આ કેન્દ્રીય રજિસ્ટ્રીમાં, તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ ગૃહ મંત્રાલય ( Home Ministry ) અને બેંકો સહિત અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે ડેટા શેર કરશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય સાયબર સંબંધિત ગુનાઓને રોકવા માટે કામ કરે છે. તેનું ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) આ સાયબર ફરિયાદો પર નજર રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ બજેટમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે ફંડની ફાળવણી વધારી પણ શકે છે.

આ રજિસ્ટ્રીમાં સાયબર ક્રિમિનલ ( Cyber ​​Criminal )  અથવા છેતરપિંડી કરનારનું નામ, PAN અને આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અન્ય વિગતો પણ નોંધવામાં આવશે. સંબંધિત ખાતા સાથે જોડાયેલા આધાર નંબર અને પાન કાર્ડ (જેમાં છેતરપિંડીની રકમ પ્રાપ્ત થઈ છે અથવા મોકલવામાં આવી છે) તેને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ તમામ માહિતી બાદ ગુનેગારો બીજું ખાતું ખોલાવી શકશે નહીં. જેના કારણે છેતરપિંડી કરનારાઓ સામે સાયબર ક્રાઈમના કેસમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

 

July 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cyber Crime Most of the accused of cyber crime in the country are graduates, why educated youth are getting more attracted towards such crime.
વિજ્ઞાન-ટેકનોલોજીવેપાર-વાણિજ્યશિક્ષણ

Cyber Crime: દેશમાં સાઈબર ક્રાઇમના મોટા ભાગના આરોપીઓ ગ્રેજ્યુએટ, શિક્ષિત યુવાનો આવા ક્રાઈમ તરફ કેમ વધુ આકર્ષાય રહ્યા છે..જાણો વિગતે..

by Bipin Mewada July 4, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Cyber Crime: ભારતમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અંગેના તાજેતરના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર સાયબર ગુનેગારોમાં ( Cyber Criminals ) ઘણી વખત શિક્ષણ અને ટેકનિકલ કૌશલ્યનું સ્તર સારું હોય છે. સ્પ્રિન્ગર લિન્કના એક રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતમાં સાઇબર ક્રાઇમ કરનારા મોટા ભાગના ગુનેગારો યુવાન છે અને ઓછામાં ઓછી કોલેજની ડિગ્રી ધરાવે છે. આવી સ્થિતિમાં, એક પ્રશ્ન ઉભો થાય છે કે સાયબર ક્રાઇમમાં શિક્ષિત યુવાનોની ( educated youth ) સંખ્યા કેમ વધી રહી છે? 

18 જૂનના રોજ ભોપાલમાં સાઇબર ફ્રોડનો ( Cyber Fraud ) મામલો સામે આવ્યો હતો, જેમાં એક ગેંગનો પર્દાફાશ થયો હતો. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સસ્તા આઇફોનની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી હતી. આ કેસમાં સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ( Cyber ​​Crime Branch ) દિલ્હીથી 5 અને એમપીના નિવારીથી 5 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓ પૈકી 3 આરોપીઓએ ગ્રેજ્યુએશન  સુધીનો અભ્યાસ કર્યો છે.

ઉત્તરાખંડ પોલીસે કોવિડ -19 રોગચાળા દરમિયાન ઇમેઇલ-આધારિત લોટરી છેતરપિંડી ( Lottery fraud ) , એટીએમ ક્લોનિંગ ( ATM Cloning ) અને પોન્ઝી યોજનાઓ જેવા કૌભાંડોમાં ગુનેગારો સંડોવાયેલા હતા તેવા અનેક સાયબર ક્રાઇમ કેસોને ( cyber crime cases ) હલ કર્યા છે. આ કિસ્સાઓમાં ઘણીવાર ડિજિટલ ઉપકરણોને અસરકારક રીતે સંચાલિત કરવા માટે ઉચ્ચ તકનીકી કુશળતાવાળા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

Cyber Crime: ભારતમાં સાયબર ક્રાઇમ કરનારા મોટી સંખ્યામાં ગુનેગારો સારી રીતે શિક્ષિત છે…

આ કેટલાક તાજેતરના ઉદાહરણો છે, પરંતુ સ્પ્રિંગર લિંકના સંશોધન અહેવાલ અનુસાર, ભારતમાં સાયબર ક્રાઇમ કરનારા મોટી સંખ્યામાં ગુનેગારો સારી રીતે શિક્ષિત છે. આ એટલા માટે છે કારણ કે સાયબર ક્રાઇમમાં ઘણીવાર તકનીકી નિપુણતા અને ડિજિટલ સિસ્ટમોની સંપૂર્ણ સમજની જરૂર પડે છે.

આ સમાચાર પણ વાંચો: Multibagger Stock: રિયલ એસ્ટેટનો આ મલ્ટીબેગરે શેરે છેલ્લા છ વર્ષમાં રોકાણકારોનો 2000% થી વધુ નફો કર્યો.. જાણો વિગતે.

દેશમાં સાયબર ક્રાઇમમાં શિક્ષિત યુવાનોની સંખ્યા કેમ વધી રહી છે. આની પાછળ ઘણા કારણો સામેલ છે. જેમાં આર્થિક સમસ્યા અને બેરોજગારી મુખ્ય કારણોમાં સામેલ છે. સાયબર ક્રાઇમ એ ઝડપી અને મોટી માત્રામાં પૈસા કમાવવાનો એક સરળ રસ્તો છે. ભારતમાં આ સમયે બેરોજગારી ચરમસીમાએ છે, તેથી પણ યુવાનો આ તરફ વધુ વળી રહ્યા છે.

દેશમાં યુવાનો તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ કોઈ નોકરી મેળવી શકતા નથી, જેના કારણે તેઓ પૈસા કમાવવાના સરળ રસ્તાઓ શોધવાનું શરૂ કરે છે. મોટાભાગના આઇટી અને કમ્પ્યુટર વિજ્ઞાન વ્યાવસાયિકો સાયબર ગુનાઓ કરવા માટે તેમના તકનીકી જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરે છે. આ યંગસ્ટર્સ પાસે સાયબર સિક્યોરિટીની માહિતી હોય છે, જેનો તેઓ ગેરકાયદે ઉપયોગ કરે છે.

Cyber Crime: સાયબર ક્રાઈમ એટલે એવા ગુનાઓ જે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ કે અન્ય ડિજિટલ ડિવાઈસની મદદથી આચરવામાં આવે છે….

પૂર્વ અધિકારીએ કહ્યું કે કેટલીકવાર નૈતિકતા અને સામાજિક મૂલ્યોનો અભાવ પણ દેશના યુવાનોને સાયબર ક્રાઇમ તરફ આકર્ષિત કરે છે. યુવાનોને લાગે છે કે તેઓ નાની છેતરપિંડીમાં પકડાશે નહીં અથવા તેમને સજા કરવામાં આવશે નહીં.

ભારત સરકારના સાયબર ક્રાઈમ પોર્ટલના જણાવ્યા અનુસાર સાયબર ક્રાઈમ એટલે એવા ગુનાઓ જે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ કે અન્ય ડિજિટલ ડિવાઈસની મદદથી આચરવામાં આવે છે. આ ગુનામાં હેકિંગ, ફિશિંગ, માલવેર અને વાયરસ, ડેટા ચોરી, સાયબર બુલિંગ અને સતામણી, સ્પામિંગ, ડાર્ક વેબ એક્ટિવિટી અને રેન્સમવેરનો સમાવેશ થાય છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર તેલંગાણામાં ભારતમાં સાઈબર ફ્રોડના સૌથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. 2022 માં, તેલંગાણામાં 15,297 સાયબર ક્રાઇમ કેસ નોંધાયા હતા, જે અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ છે. કર્ણાટકનું નામ આમાં બીજા સ્થાને આવે છે. તેમાં સીલ 2022 માં 12,556 કેસ નોંધાયા હતા. જ્યારે ઉત્તર પ્રદેશમાં 10,117 કેસ નોંધાયા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, દેશમાં દર વર્ષે સાયબર ગુનાઓ વધી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Stock Market: 140 દિવસમાં બદલાયું શેર માર્કેટ, 70 થી 80 હજાર રૂપિયાના સેન્સેક્સની સફર દરમિયાન આ શરોમાં આવ્યો ઘટાડો… જાણો વિગતે.

July 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fake Whatsapp Calls If you get WhatsApp calls from these foreign numbers, block immediately, otherwise it might be a big scam...Know what's the matter.
વિજ્ઞાન-ટેકનોલોજી

Fake Whatsapp Calls: જો તમને આ વિદેશી નંબરો પરથી વોટ્સએપ કોલ આવે છે, તો તરત જ બ્લોક કરો, નહીં તો થઈ શકે છે મોટી છેતરપિંડી…જાણો શું છે મામલો

by Bipin Mewada June 28, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Fake Whatsapp Calls: દેશમાં હવે DoTએ વિદેશી મૂળના મોબાઈલ નંબરો પરથી WhatsApp કૉલ્સ અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.  તાજેતરમાં જ સંચાર મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ ( DoT ) એ અમુક ફોન નંબર પરથી વોટ્સઅપ કૉલ કરવા વિશે સ્માર્ટફોન વપરાશકર્તાઓને ચેતવણી આપી છે. વાસ્તવમાં, આ વિદેશી ફોન નંબર્સનો ઉપયોગ કરીને વોટ્સ એપ કૉલ કરવામાં આવે છે અને યુઝર્સને  ધમકી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. આવા કોલ્સમાં યુઝર્સને DoTના નામથી કોલ કરીને કહેવામાં આવે છે કે તેમનો મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ થઈ જશે. 

આ કોલર્સ મોબાઈલ યુઝર્સને એમ કહીને ધમકાવી રહ્યા છે કે તેમના નંબરનો કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો છે. આ પદ્ધતિ સીબીઆઈ-સંબંધિત સાયબર અપરાધોમાં યુઝરને ડરાવવા જેવી જ છે, જ્યાં ગુનેગારો સીબીઆઈના અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે અને તેમના નામે કેટલાક ગેરકાયદે પેકેજ મેળવ્યા હોવાનો દાવો કરે છે.

Fake Whatsapp Calls: DoT તેના વતી આવા કોલ કરવા માટે કોઈને અધિકૃત કરતું નથી…

DoT એ વિદેશી મૂળના (  International mobile numbers ) મોબાઈલ નંબરો ( પરથી WhatsApp કૉલ્સ અંગે પણ એડવાઈઝરી જારી કરી છે. +92-xxxxxxxxx જેવા આ નંબરો લોકોને સરકારી અધિકારીઓના કોન્ફરન્સ કોલ કરીને છેતરે છે.

આ સમાચાર પણ વાંચો : Ultratech Cement-India Cements: અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું મોટું પગલું, હવે ઈન્ડિયા સિમેન્ટ કંપનીનો 23% હિસ્સો રૂ. 1885 કરોડમાં ખરીદશે.

ટેલિકોમ મંત્રાલયે ( Telecom Ministry ) મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી છે કે સાયબર ગુનેગારો આવા કોલ્સ દ્વારા સાયબર ક્રાઈમ / નાણાકીય છેતરપિંડી ( Cyber Crime ) કરવા માટે વ્યક્તિગત માહિતીની ધમકી / ચોરી કરવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે DoT તેના વતી આવા કોલ કરવા માટે કોઈને અધિકૃત કરતું નથી અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. અને આવા કોલ્સ મળ્યા પછી કોઈપણ માહિતી શેર ન કરવાનું કહેવામાં આવે છે.

DoTએ નાગરિકોને સંચાર સાથી પોર્ટલ ( www.sancharsathi.gov.in ) ની આઈ-રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન્સ ફીચર પર આવા કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરવાની સલાહ આપી છે. આવી સક્રિય રિપોર્ટિંગ સાયબર ગુનાઓ, નાણાકીય છેતરપિંડી વગેરે માટે ટેલિકોમ સંસાધનોનો દુરુપયોગ અટકાવવામાં DoTને મદદ કરે છે. આ સિવાય નાગરિકો Know Your Mobile Connections ફીચર ( www.sancharsathi.gov.in ) પર તેમનું નામ ચેક કરી શકે છે અને તેમણે લીધેલા કે જરૂરી ન હોય તેવા કોઈપણ મોબાઈલ કનેક્શનની જાણ કરી શકે છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે નાગરિકોને સાયબર ક્રાઈમ અથવા નાણાકીય છેતરપિંડીની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર જાણ કરવાની પણ સલાહ આપી છે.

June 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Various helpline service of Surat city police to prevent cyber crimes
સુરત

Cyber Crime: સાયબર ગુનાઓ અટકાવવા સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇન સેવા

by Hiral Meria June 20, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Cyber Crime:  શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ( cyber fraud ) ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસ ( Surat police ) દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ છે. શહેરીજનોની મદદ માટે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે તેમજ આ સંદર્ભે મદદ અને માર્ગદર્શન માટે સંપર્ક નંબરો પર સંપર્ક સાધી શકે એ માટે સાયબર ક્રાઇમ પોલીસ ( Cyber ​​Crime Police ) સ્ટેશન (મો.7069052555), સાયબર ક્રાઇમ પોલીસ હેલ્પલાઇન (નં. 8160852285), સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લેન્ડલાઇન નં. (0261-2653510) અને સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નં.(9328523417) વડે મદદ મેળવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર  પણ વાંચો :  Mandvi : માંડવી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો સર્વરોગ, સિકલસેલ નિદાન, સારવાર અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો

June 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs
દેશ

CBIC : CBICએ ભારતીય કસ્ટમ્સના નામે આચરવામાં આવતી છેતરપિંડી સામે ઝુંબેશ શરૂ કરી

by Hiral Meria June 17, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

CBIC : ન્યૂઝ પોર્ટલ/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ભારતીય કસ્ટમ્સ ઓફિસર તરીકે ઓળખાવતા કપટી વ્યક્તિઓ દેશભરમાં તેમની મહેનતથી કમાયેલા નાણાંની જનતાને છેતરતી હોવાની વિવિધ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ છેતરપિંડી મુખ્યત્વે ફોન કૉલ્સ અથવા એસએમએસ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, અને તાત્કાલિક દંડની કાર્યવાહીના ‘કથિત’ ભય દ્વારા નાણાં કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 

CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs

CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs

જનજાગૃતિ દ્વારા આ છેતરપિંડીઓનો સામનો કરવા માટે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એક મલ્ટિ-મોડલ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

અખબારોમાં વિજ્ઞાપન

સામાન્ય જનતાને એસએમએસ/ઈમેલ

સોશિયલ મીડિયા અભિયાન

આ મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને વેપારી સંસ્થાઓના સંકલનમાં સમગ્ર દેશમાં CBIC ક્ષેત્રની રચનાઓ દ્વારા જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે.

સીબીઆઈસી જાહેર જનતાને નીચેના પગલાં લેવાની સલાહ આપે છે જેથી કરીને આવા કૌભાંડોનો ભોગ ન બને:

ધ્યાન રાખો: ભારતીય કસ્ટમ્સ અધિકારીઓ ( Indian Customs Officers ) ખાનગી ખાતામાં ડ્યુટીની ચુકવણી માટે ફોન, SMS અથવા ઈ-મેલ દ્વારા ક્યારેય સામાન્ય જનતાનો સંપર્ક કરતા નથી. જો તમને છેતરપિંડીનો આશંકા હોય અથવા કોઈપણ અનિયમિતતાનો સામનો કરવો પડે, તો કૉલ્સને ડિસ્કનેક્ટ કરો અને સંદેશાઓનો ક્યારેય જવાબ ન આપો.

સુરક્ષા: વ્યક્તિગત માહિતી (પાસવર્ડ્સ, CVV, આધાર નંબર વગેરે) ને ક્યારેય શેર કે જાહેર કરશો નહીં અથવા અજાણી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને તેમની ઓળખ અને કાયદેસરતાની ચકાસણી કર્યા વિના પૈસા મોકલશો નહીં.

આ સમાચાર  પણ વાંચો : Mumbai Weather : મુંબઈગરાઓને બફારાથી મળશે રાહત, આજે મુંબઈ, થાણેમાં વરસાદની વકી; હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ. 

ચકાસો: ભારતીય કસ્ટમ્સના તમામ સંદેશાવ્યવહારમાં દસ્તાવેજ ઓળખ નંબર (DIN) હોય છે, જે CBIC વેબસાઇટ પર ચકાસી શકાય છે:

રિપોર્ટ: આવા કેસની તાત્કાલિક www.cybercrime.gov.in અથવા હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો.

CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs

CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs

છેતરપિંડી ( Cyber Fraud ) કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક સામાન્ય મોડસ ઓપરેન્ડી આ મુજબ છે:

નકલી કોલ્સ/એસએમએસ: છેતરપિંડી ( Cyber Crime ) કરનારાઓ કુરિયર અધિકારીઓ/કર્મચારીઓ બનીને કોલ્સ, ટેક્સ્ટ સંદેશાઓ અથવા ઇમેઇલ્સ દ્વારા સંપર્ક કરે છે અને દાવો કરે છે કે કસ્ટમ વિભાગે કોઈ પેકેજ અથવા પાર્સલ રોકી રાખ્યું છે અને તેને છોડાવવા માટે કસ્ટમ્સ ડ્યુટી અથવા કર ચૂકવવો પડશે.

દબાણની યુક્તિઓ: છેતરપિંડી કરનારા કસ્ટમ્સ/પોલીસ/સીબીઆઈ અધિકારીઓનો ઢોંગ કરનારાઓ આવા પેકેજો/ગિફ્ટ્સ માટે કસ્ટમ ડ્યુટી/ક્લિયરન્સ ફીની ચુકવણીની માંગ કરે છે જે કથિત રીતે કોઈ વિદેશમાંથી પ્રાપ્ત થયા હોય અને કસ્ટમ્સ ક્લિયરન્સની જરૂર હોય. લક્ષિત વ્યક્તિઓને તેમના માલને છોડાવવા માટે ચૂકવણી કરવાનું કહેવામાં આવે છે.

નાણાંની માંગ: લક્ષિત વ્યક્તિઓને જાણ કરવામાં આવે છે કે તેમના પેકેજને ગેરકાયદે સામગ્રી (જેમ કે ડ્રગ્સ/વિદેશી ચલણ/બનાવટી પાસપોર્ટ/નિષેધ વસ્તુઓ) અથવા કસ્ટમ નિયમોના ઉલ્લંઘનને કારણે કસ્ટમ્સ દ્વારા તેમનું પેકેજ જપ્ત કરવામાં આવ્યું છે. છેતરપિંડી કરનારાઓ કાનૂની કાર્યવાહી અથવા દંડની ધમકી આપે છે અને સમસ્યાને ઉકેલવા માટે ચુકવણીની માંગ કરે છે.

CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs

CBIC launched a campaign against frauds perpetrated in the name of Indian Customs

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર  પણ વાંચો :  Prafulbhai Pansuriya: રૂા.૫.૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી કઠોદરા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરતા શિક્ષણરાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

June 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક