• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Dr. Saurabh Pardhi
Tag:

Dr. Saurabh Pardhi

Diwali in three families before Diwali! Four children from an orphanage in Surat were adopted by families from these cities.
સુરત

Surat Child Adoption: દિવાળી પહેલા ત્રણ પરિવારોમાં દિવાળી! સુરતમાં અનાથ બાળાશ્રમના ચાર બાળકોને આ શહેરોના પરિવારોએ લીધા દત્તક.

by Hiral Meria October 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat Child Adoption: વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-સુરતના માધ્યમથી સુરતના ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવ્યા હતા. દિવાળી પહેલા જ આ ત્રણ પરિવારોમાં દિવાળીની ઉજવણીનો માહોલ સર્જાયો છે. 

     કતારગામ અનાથ બાળાશ્રમ ( orphanage ) – વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવી રહેલા ૪ બાળકોમાં બે ૬ અને ૪ વર્ષના સગા ભાઈઓ છે. આ બે બાળબંધુઓને વડોદરાના દંપતિને, એક ૪ વર્ષના બાળકને જામનગરના દંપતિ, અને એક અઢી વર્ષના બાળકને મહારાષ્ટ્ર રાજ્યના કલ્યાણના દંપતિને એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ ના નિયમો મુજબ દત્તક ( Child Adoption ) પૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યા હતા. સુરત ( Surat ) કલેક્ટર કચેરી ખાતે આ પરિવારોમાં દિવાળી પહેલા જ દિવાળીની ઊજવણી થઈ રહી હોય એવા ઉમંગભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat Universal Foundation: સુરતના આ ફાઉન્ડેશનની અનોખી પહેલ, નવરાત્રિમાં માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને બનાવ્યો ‘પંખીનો આશરો’..

            કલેક્ટરશ્રીએ ( Dr. Saurabh Pardhi ) દત્તક ઈચ્છુક દંપતિઓને બાળકોના ( Surat Child Adoption ) ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજ સુરક્ષા અધિકારીશ્રી  જિજ્ઞેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજય પરમાર અને કચેરીની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi
સુરત

Surat: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં રક્તપિત્ત નિર્મૂલન સમિતિની બેઠક યોજાઈ

by Hiral Meria June 1, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Surat: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની ( Dr. Saurabh Pardhi  ) અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં રક્તપિત્ત નિર્મૂલન સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની રક્તપિત્ત ( Leprosy ) નિર્મૂલન અંગેની વિવિધ યોજનાઓ હેઠળ રક્તપિત્તના દર્દીઓને  ઘરે બેઠા સારવાર તેમજ નવા કેસના ( Leprosy Cases ) સર્વેક્ષણની કામગીરી કરવામાં આવે છે. જે વ્યક્તિને રક્તપિત્તના શંકાસ્પદ ચિહ્નો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. 

              કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, વહેલું નિદાન, નિયમિત સારવાર અને કાળજીથી રક્તપિત્તને જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ ( Leprosy Awareness )  લાવવાની જરૂર છે. વધુમાં તેઓશ્રીએ રક્તપિત્ત વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને પીડિત દર્દીઓ ( Leprosy patients ) માટે તેની સારવારને સઘન બનાવી સુરત જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

               જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો. જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે, ચામડી ઉપર ચાઠુ કે જેમાં સંવેદનાનો અભાવ હોય, ચેહરા અથવા કાનની બુટમાં સોજો અથવા ગાંઠ જણાય તો રક્તપિત્ત હોઈ શકે, આવા લક્ષણો નજરે પડતા જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ રક્તપિત્ત રોગ બાબતે લોકજાગૃતિ ફેલાવવા સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો:  Surat: વાવાઝોડાની આગાહીને પગલે તા.૭ જૂન સુધી સુરતના દાંડી અને ડભારી બીચ રહેશે બંધ

           તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સુરત શહેર-જિલ્લામાં રક્તપિત્તના ( Leprosy Eradication Committee ) નવા ૩,૧૬૩ નોંધાયા છે. જેમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬૬૩ કેસો નોંધાયા છે. જે પૈકી સુરત શહેરમાં ૨૦૨ કેસોનો સમાવેશ થાય છે. ગત વર્ષે ૬૬૩ કેસોમાં ઓલપાડ તાલુકામાં ૩૪, કામરેજમાં ૪૬, પલસાણામાં ૬૯, ચોર્યાસીમાં ૩૬, માંગરોળમાં ૪૭, ઉમરપાડામાં ૪૦, માંડવીમાં ૫૪, મહુવામાં ૫૮, બારડોલીમાં ૭૭ કેસો નોંધાયા હતા. બારડોલી તાલુકામાં સૌથી વધુ ૭૭ કેસો જ્યારે સૌથી ઓછા ઓલપાડમાં ૩૪ કેસો નોંધાયા હતા. રાજ્યના ૧૨ હાઈએન્ડેમિક જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, આણંદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, વડોદરા અને વલસાડ છે. આ ૧૨ જિલ્લાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪માં રક્તપિત્તના ૩,૬૧૨ કેસો નોંધાયા છે.   

               બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

૧. જાણો રક્તપિત્ત વિશે સત્ય હકીકત

– રક્તપિત્ત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે, તે પૂર્વજન્મના પાપ કે શ્રાપનું ફળ નથી. રક્તપિત્ત વારસાગત રોગ પણ નથી અને કોઈ બાળક આ રોગ સાથે જન્મતુ પણ નથી. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રક્તપિત્ત હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Exit Polls History: એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે, તેનો ઈતિહાસ શું છે અને આ પોલના આંકડા કેટલા સચોટ હોય છે…સમજો આખી વાત..

૨. રક્તપિત્તથી બચવા માત્ર આટલું કરો

– રક્તપિત્તથી ગભરાશો નહિ, તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જેનો લાભ લઈને જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા સહભાગી બનો. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને આ રોગથી પીડાતા લોકોને મદદ કરો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક