Tag: enemies

  • Lok Sabha Polls: ભાજપને સમર્થન આપવા રાજ ઠાકરેને કઈ ફાઇલ ખોલવામાં આવી? સંજય રાઉતનો સવાલ

    Lok Sabha Polls: ભાજપને સમર્થન આપવા રાજ ઠાકરેને કઈ ફાઇલ ખોલવામાં આવી? સંજય રાઉતનો સવાલ

      News Continuous Bureau | Mumbai 

     Lok Sabha Polls: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ સત્તાધારી મહાયુતિને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હવે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ રાજ ઠાકરે ( Raj Thackeray ) ના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીના નેતા સંજય રાઉત કહે છે કે ‘કદાચ કોઈ ફાઈલ ખોલવામાં આવી હશે.’ તેમણે કહ્યું કે આ નિર્ણય વિશે આપણે રાજ ઠાકરેને પૂછવું જોઈએ.

    મહારાષ્ટ્રના દુશ્મનોને સમર્થન આપી રહ્યા છો

    સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘હવે અચાનક શું ચમત્કાર થયો, આપણે (રાજ ઠાકરે) પૂછવું જોઈએ. તમે અચાનક તમારું વલણ બદલ્યું છે અને મહારાષ્ટ્રના દુશ્મનોને સમર્થન આપી રહ્યા છો. જનતાને શું કહેશો? આ પાછળના કારણો શું છે? કઈ ફાઈલ ખોલવામાં આવી છે?’ તમને જણાવી દઈએ કે રાજ શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ છે.

    આપ્યું બિનશરતી સમર્થન

    MNS પ્રમુખ એ મંગળવારે રાજ્યમાં સત્તાધારી ‘મહાયુતિ’ને બિનશરતી સમર્થનની ઓફર કરી હતી. ‘મહાયુતિ’માં ભારતીય જનતા પાર્ટી (BJP), મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે. અહીં MNS દ્વારા આયોજિત ‘ગુડી પડવા’ રેલીને સંબોધતા, ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું સમર્થન જાહેર કર્યું અને કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી ‘દેશનું ભવિષ્ય’ નક્કી કરશે.

    સાથે રાજ ઠાકરેએ પાર્ટીના કાર્યકરોને આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવા પણ કહ્યું હતું. MNSએ હજુ સુધી લોકસભા ચૂંટણી માટે કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી.

    MNS વડા રાજ ઠાકરેનો માન્યો આભાર 

    વડાપ્રધાનના કાર્યક્ષમ નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને મજબૂત મહારાષ્ટ્રના નિર્માણ માટે ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનને સમર્થન આપવા બદલ હું MNS વડા રાજ ઠાકરેનો અત્યંત આભારી છું. આવો આપણે સૌ આપણી તમામ શક્તિથી લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ.

  • લો બોલો, આ દેશે દુશ્મનનો ખાતમો કરવા બનાવી દીધી લોખંડની દિવાલ; જાણો વિગતે

    લો બોલો, આ દેશે દુશ્મનનો ખાતમો કરવા બનાવી દીધી લોખંડની દિવાલ; જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 9 ડિસેમ્બર 2021

    ગુરુવાર.

    ઇઝરાયેલે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે હમાસ ગાઝામાંથી ટનલ મારફતે ઇઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરીને હુમલા કરી શકે છે. ગેન્ટ્‌ઝે કહ્યું કે બેરિયર ઇઝરાયેલી નાગરિકોને સુરક્ષાનો અનુભવ કરાવશે. ઇઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં પણ આવી જ દીવાલ બનાવી છે.ઇઝરાયેલનું ગાઝામાં હમાસ સાથે લાંબા સમયથી યુદ્ધ ચાલુ છે. હમાસના હુમલાથી બચવા માટે ઈઝરાયેલે ૬૫ કિલોમીટર લાંબી ‘લોખંડની દીવાલ’નું નિર્માણ પૂર્ણ કર્યું છે. આ હાઇટેક દીવાલ અંડરગ્રાઉન્ડ સેન્સર, રડાર અને કેમેરાથી સજ્જ છે. ગાઝા બાજુથી આ દીવાલને પાર કરવાનો કોઈપણ પ્રયાસ દુશ્મન ઈઝરાયલી સુરક્ષા દળોની નજરોમાં આવી જશે અને આંખના પલકારામાં જ તેમનો ખાતમો થઈ જશે. ઇઝરાયેલ તેને એક બેરિયર ગણાવી રહ્યું છે, જેનું નિર્માણ લગભગ સાડા ત્રણ વર્ષ બાદ પૂર્ણ થયું છે. ૨૦૦૭માં હમાસ શાસન આવ્યું ત્યારથી ઇઝરાયલે ગાઝા પર નાકાબંધી કરી છે. આ અંતર્ગત સામાન અને લોકોની અવરજવર પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. ગાઝા શહેરમાં લગભગ ૨૦ લાખ લોકો રહે છે અને તેમને આ ઇઝરાયેલી પ્રતિબંધોમાંથી પસાર થવું પડે છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ૬૫ કિલોમીટર લાબા બેરિયરનું કામ પૂરું થઈ ગયું છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે તેમાં સેન્સર સાથે અન્ડરગ્રાઉન્ડ બેરિયર, ૬ મીટર ઉંચી સ્માર્ટ વાડ, રડાર, કેમેરા અને મેરીટાઈમ સર્વેલન્સ સિસ્ટમ પણ સામેલ છે. ઇઝરાયેલના રક્ષા મંત્રી બેની ગેન્ટ્‌ઝે જણાવ્યું હતું કે આ ઢાંચો દક્ષિણ ઇઝરાયેલના લોકો અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે લોખંડની દીવાલનું કામ કરશે.

    પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, અમેરિકી ડોલર સામે દેશનું ચલણ રેકોર્ડ સ્તરની નીચી સપાટીએ પહોંચ્યું