Tag: Kakrapar

  • PM Modi: PM મોદીના હસ્તે આ તારીખે કાકરાપાર ખાતે પ્રતિ યુનિટ ૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બે યુનિટ દેશવાસીઓને સમર્પિત કરાશે

    PM Modi: PM મોદીના હસ્તે આ તારીખે કાકરાપાર ખાતે પ્રતિ યુનિટ ૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બે યુનિટ દેશવાસીઓને સમર્પિત કરાશે

    News Continuous Bureau | Mumbai 

    PM Modi:  આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઈન્ડિયા લિમી. ( Nuclear Power Corporation India Ltd ) દ્વારા કાકરાપાર ખાતે નિર્મિત યુનિટ-૩ અને ૪ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ( Narendra Modi ) હસ્તે દેશવાસીઓને સમર્પિત કરવામાં આવશે.

    સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ( Kakrapar ) ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત ૭૦૦-૭૦૦ મેગાવોટના બે પાવર પ્લાન્ટ ( power plant ) દેશવાસીઓને સમર્પિત કરાશે. યુનિટ ૩ અને ૪ સાથે કાકરાપાર અણુવિદ્યુત મથકની ક્ષમતા ૧૮૪૦ મેગાવોટની થઈ જશે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રીએક્ટર ( PHWR ) પધ્ધતિના બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. યુનિટ-૩ કાકરાપાર એટોમીક પાવર પ્રોજેક્ટ ( KAPP-૩ 700 MWe ) તા.૩૦ ઓગષ્ટ ૨૦૨૩થી કાર્યરત છે. અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતુ આ યુનિટ ૧૬ સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWRની શ્રેણીમાં સૌથી આગળ છે. જ્યારે તેનું ટ્વીન એકમ , KAPP-4 ટૂંક સમયમાં ગ્રીડ સાથે જોડાશે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરશે.

    વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ભારતીય ઉદ્યોગો પાસેથી મેળવાયેલા સંશાધનો પુરવઠો અને અમલીકરણ એ ‘આત્મનિર્ભર ભારત’ની પરિકલ્પનાને સાકરિત કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, NPCIL હાલમાં ૭૪૮૦ મેગાવોટની કુલ ક્ષમતા સાથે ૨૩ રિએક્ટર ચલાવે છે. વધુમાં, સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR ટેકનોલોજીના ૧૫ રિએક્ટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ૧૦૦૦ મેગાવોટની ક્ષમતા વાળા ૪ લાઇટ વોટર રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ ૨૦૩૧-૩૨ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે. આ રીએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને ૭૪૮૦ મેગાવોટથી વધારીને ૨૨૪૮૦ મેગાવોટ કરશે.

    આ સમાચાર પણ વાંચો : Rajya Sabha : સોનિયા ગાંધી બન્યા રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ, ભાજપે જીતી આટલી બેઠકો..

    ન્યુક્લિયર પાવર એ ૨૪*૭ ઉપલબ્ધ બેઝ લોડ વીજળી ઉત્પાદનનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે. પરમાણુ પાવર પ્લાન્ટ્સે અત્યાર સુધી દેશમાં આશરે ૭૪૮ મિલિયન ટન કાર્બન-ડાઈ-ઓક્સાઇડ સમકક્ષ ઉત્સર્જન ઘટાડીને લગભગ ૮૭૦ બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી છે. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવામાં પરમાણુ ઉર્જા મહત્વની ભૂમિકા ભજવશે.

    KAPP-૩ અને ૪ તેની પૂર્ણતા પર દર વર્ષે લગભગ ૧૦.૪ બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે (85% ના PLF પર). વધુમાં, સ્ટેશન દ્વારા સ્થાનિક લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) અને મોટા વેપારની તકો ઉભી થશે. તે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરશે અને વિદ્યુત ક્ષેત્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarat : વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ..

    Gujarat : વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ..

    News Continuous Bureau | Mumbai 

    Gujarat : ચોમાસાની(monsoon )ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૪.૪૩ ફુટની સપાટીએ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં(Ukai Dam) ૬૬૨૮.૪૧ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના(Mukeshbhai Patel) અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર(Kakrapar) સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
    સુરત સિંચાઈ વર્તુળની કચેરી, અઠવાલાઈન્સના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં ૨૦૨૩-૨૪ દરમિયાન ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા.
    મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે મેઘમહેરથી ઉકાઈ ડેમમાં પૂરતી જળરાશિનો સંગ્રહ થયો છે, ત્યારે પાણીરૂપી પારસમણિનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડૂતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે, પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર તેમજ દરેક ગામોમાં વધુમાં વધુ પિયત મંડળીઓ સ્થાપવા પર ભાર મૂકયો હતો.
    બેઠકમાં ૨૦૨૩-૨૪માં સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત કાકરાપાર યોજના, ઉકાઈ યોજના અને ઉકાઈ સિવિલ વર્તુળ-ઉકાઈ અંતર્ગત રવિ પાકની સિઝન માટે ૧,૫૬,૦૧૫ હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન ૧,૪૬,૨૧૦ હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સૂચિત રોટેશન ઘડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા રોટેશન અનુસાર નવેમ્બર-૨૦૨૩થી લઈ જુન ૨૦૨૪ દરમિયાન કાકરાપારના ડાબા કાંઠા મુખ્ય નહેર તથા ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે ૧૫૪ દિવસ પાણી વહેવડાવવામાં આવશે, જેમાં નહેર ૩૫ દિવસ બંધ રહેશે. જયારે કાકારાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર માટે ૧૯૬ દિવસ પાણી અપાશે. જયારે ૯૧ દિવસ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર ૧૮૮ દિવસ પાણી અપાશે અને ૬૧ દિવસ બંધ રહેશે.
    સિંચાઈ વસુલાત અને પિયાવાની વિગતોમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૩ સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં રૂા.૫૩૧.૩૦ લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી રૂા.૫૦.૬૫ લાખ મળી રૂા.૫૮૨ લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે, જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂા.૪૪૭ કરોડની વસુલાત કરવામાં આવી છે.
    ડિસેમ્બર-૨૩ થી જાન્યુ.-૨૪ દરમિયાન અંદાજે ૩૦ દિવસ દરમિયાન આધુનિકરણ અને મરામતના કામો માટે નહેરોને બંધ રાખવામાં આવશે.
    બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત સિંચાઈ વર્તુળના કાર્યપાલક ઈજનેર સતિષભાઈ પટેલ, અધિક્ષક ઈજનેરશ્રી એસ.બી. દેશમુખ તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખશ્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : Surat : મજુરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં બે દિવસીય નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો શુભારંભ..