• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ministry of health
Tag:

ministry of health

NCD screening Special initiative of the Health Department, free screening of BP-diabetes patients, people aged 30+ will get benefits
દેશ

NCD screening: આરોગ્ય વિભાગની વિશેષ પહેલ, બીપી-ડાયાબિટીસના દર્દીઓની થશે મફત તપાસ, 30+ વર્ષના લોકોને મળશે લાભ

by khushali ladva February 20, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • એનસીડી સ્ક્રિનિંગ અભિયાનની મુખ્ય બાબતોમાં ડોર-ટુ-ડોર કોમ્પ્રિહેન્સિવ આઉટરીચ, મલ્ટિ-એજન્સી સહયોગ અને અસરકારક અમલીકરણ માટે રિયલ-ટાઇમ મોનિટરિંગ સામેલ છે

NCD screening: દેશમાં બિનચેપી રોગો (NCD)ના વધતા ભારણને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે સઘન વિશેષ એનસીડી સ્ક્રિનિંગ અભિયાન શરૂ કર્યું છે. 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2025 સુધી ચાલનારી આ મહત્વાકાંક્ષી પહેલનો ઉદ્દેશ ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ સામાન્ય કેન્સર – ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ સહિત પ્રચલિત એનસીડી માટે 30 વર્ષ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓની 100 ટકા તપાસ કરવાનો છે. આ અભિયાનને આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM) અને દેશભરમાં વિવિધ સ્વાસ્થ્ય સુવિધાઓમાં રાષ્ટ્રીય બિનચેપી રોગોના નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ (NP-NCD) હેઠળ અમલમાં મૂકવામાં આવશે.

NCD screening: આ અભિયાનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

  • ડોર-ટુ-ડોર આઉટરીચઃ પ્રશિક્ષિત આશા, એએનએમ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સામુદાયિક મુલાકાત લેશે, જેથી મહત્તમ સ્ક્રિનિંગ કવરેજ સુનિશ્ચિત કરી શકાય અને તેઓ તેમના ઘરમાં વ્યક્તિઓ સુધી પહોંચી શકે.
  • આવશ્યક પુરવઠો: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ((UTs) તમામ આરોગ્યસંભાળ કેન્દ્રો પર બીપી મોનિટર, ગ્લુકોમીટર અને જરૂરી દવાઓ સહિત આવશ્યક તબીબી પુરવઠાની ઉપલબ્ધતાની ખાતરી આપશે.
  • રિયલ-ટાઇમ મોનિટરિંગઃ સ્ક્રિનિંગ, ટ્રીટમેન્ટ અને ફોલો-અપનો ડેટા દરરોજ એનપી-એનસીડી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, જે પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે.
  • બહુ-સ્તરીય સંકલન: નોડલ અધિકારીઓની સુવિધા, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે નિમણૂક કરવામાં આવશે, જેથી અભિયાનના અવિરત અમલીકરણની સુવિધા મળી શકે.
  • દૈનિક પ્રગતિ સમીક્ષા: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દરરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં મંત્રાલયને અપડેટ પ્રદાન કરશે, જે સતત દેખરેખ અને તકનીકી સહાય માટે મંજૂરી આપશે.

આ સમાચાર પણ વાંચો : Indian Rupee Down : ભારતીય રૂપિયો ફરી ગગડ્યો, પહેલીવાર 87 રૂપિયાને પાર, જાણો અર્થતંત્ર પર શું પડશે અસર

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IK52.jpg

આ સમાચાર પણ વાંચો:  Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે મહારાષ્ટ્રની લેશે મુલાકાત, સંભાજી નગરની એસબી કોલેજ ખાતે 65મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

NCD screening: સઘન સ્ક્રિનિંગ અભિયાનનો ઉદ્દેશ નીચેની બાબતો હાંસલ કરવાનો છેઃ

  • 100% સ્ક્રિનિંગ કવરેજ: આ અભિયાનનો ઉદ્દેશ એનસીડી માટે વહેલી તકે તપાસ અને સમયસર હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવાનો છે.
  • સંભાળ સાથે જોડાણમાં સુધારોઃ માળખાગત સારવાર અને ફોલો-અપ પ્રોટોકોલ સ્થાપિત કરીને, આ અભિયાન એનસીડી સાથે સંકળાયેલી જટિલતાઓને ઘટાડવાનો પ્રયાસ કરે છે.
  • વધુ સારા સ્વાસ્થ્ય પરિણામો: આ પહેલથી હેલ્થકેર ખર્ચમાં ઘટાડો થવાની અને સમગ્ર દેશમાં વ્યક્તિઓના જીવનની એકંદર ગુણવત્તામાં વધારો થવાની અપેક્ષા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002O9HO.jpg

ભારત સરકાર નિવારણાત્મક હેલ્થકેરને મજબૂત કરવા અને આયુષમાન ભારત પહેલને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓની સાર્વત્રિક સુલભતા સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે. આ વિશેષ ઝુંબેશ એક તંદુરસ્ત અને એનસીડી-મુક્ત ભારતની દિશામાં એક મહત્ત્વનું પગલું છે, જે નાગરિકોને તેમના આરોગ્ય અને કલ્યાણની જવાબદારી માટે સશક્ત બનાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.
સુરતદેશ

National Organ Donation Day: અંગદાનમાં અગ્રેસર બનતુ સુરત, દિલ્હી ખાતે સુરત સિવિલની ટીમને અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત.

by Hiral Meria August 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

National Organ Donation Day: સમગ્ર ભારતમાં ૩જી ઓગષ્ટ ભારતીય અંગદાન તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન ( Organ Donation )  પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તેવા ઉમદા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

            નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય ( Ministry of Health ) દ્વારા સમગ્ર દેશમાં અંગદાન ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓ, ટ્રાન્સપ્લાન્ટ થયેલ દર્દીઓ તથા તેમના સંબધિઓ તેમજ અંગદાનક્ષેત્રે કામ કરતી દેશની મોટી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, જનજાગૃતિની કામ કરતા પોલીસ વિભાગ, મીડિયા જગતના મિત્રોને ૨૧ કેટેગરીમાં નવી દિલ્હી આંબેડકર ભવન ( Ambedkar Bhawan ) ખાતે કેન્દ્રીય રાજયકક્ષાના આરોગ્ય મંત્રીશ્રીમતી અનુપ્રિયા પટેલના ( Anupriya Patel ) હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

             જેમાં ગુજરાતની અમદાવાદ સિવિલની ટીમના સુપ્રિન્ડેન્ડન્ટ ડો.રાકેશ જોષી તથા આઈ.કે.ડી.ના ડાયરેકટર ડો. પ્રાજલ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સુરત સિવિલ હોસ્પિટલને ( Surat Civil Hospital ) શ્રૈષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તથા જનજાગૃતિ માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં સિવિલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રીબેન પરમાર, ડો.પારૂલબેન વડગામા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ન્યુરોફિજીશ્યન ડો. હરેશ પારેખ તથા ઈમરજન્સ મેડીકલ વોર્ડ-ઈ.ઈકબાલ કડીવાલા સહિતને સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

આ સમાચાર પણ વાંચો :  H. D. Deve Gowda: પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત પર પ્રસન્નતા વ્યક્ત કરી

        બ્રેઈનડેડ થાય ત્યારે પરિવારજનો અંગદાન માટે સંમતિ આપે તેવા પ્રયાસોથકી બીજાના જીવનમાં રોશની આવે તે જ અમારી સાચી સેવા છેઃ તબીબી અધિક્ષક ડો.ધારિત્રીબેન પરમાર

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

      અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરણા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં અંગદાન જનજાગૃતિ અને અંગદાનક્ષેત્રે લોકો જાગૃત્ત થવાના કારણે રાજયભરમાં અંગદાનથકી અનેક લોકોના જીવનમાં નવી રોશની આવી છે. આ અમારો સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશેઃ ડો.પારૂલ વડગામા

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

            સમાજ, દર્દીના સ્વજનો અને તબીબો વચ્ચે કડીરૂપ બની બ્રેઈનડેડના કિસ્સામાં કાઉન્સેલ કરવું એ અમારી ફરજ છેઃ ઈકબાલ કડીવાલા  

            સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ ૫૯ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે જેમાં ૨૦ આંખ, ૪૬ લિવર, ૧૦૦ કિડની, નવ હાથ, પ હાર્ટ, ૧૨ ફેફસા, એક પેનક્રિયાસ, છ નાના આંતરડા, રેડીયમ ફોરામ એક આમ કુલ ૨૦૦ જેટલા અંગોનું દાન પ્રાપ્ત થયું છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

વિશ્વના આ દેશમાં રેતના તોફાને  મચાવી ભારે તબાહી, ૪ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ.. જુઓ તસવીરો 

by Dr. Mayur Parikh May 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઇરાકમાં (Iraq) ઘણીવાર રેતનું તોફાન આવતું રહે છે અને એ માટે તંત્ર પણ એલર્ટ હોય છે. ઇરાકમાં રેતના તોફાને(Sandstorm) ભારે તબાહી મચાવી છે. સમગ્ર દેશને જાણે હચમચાવી દીધો છે. સોમવારથી શરૂ થયેલા આ તોફાનથી લોકોને શ્વાસ(Breathing) લેવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. હજારો લોકોને આ શ્વાસની સમસ્યાને પગલે હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. ઇરાકમાં એપ્રિલ માસ બાદ આ આઠમી વખત વાવાઝોડાનો(hurricane) કહેર જોવા મળ્યો છે. મે માસના પ્રારંભે આવેલા રેતીલા તોફાનમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. એવું સામે આવ્યું હતું કે રેતીલા તોફાનને લીધે આ શખ્સને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. 

રેતીલા આ તોફાનને પગલે ૫ હજાર જેટલા લોકોને શ્વાસની તકલીફ થઇ હતી. આ પરિસ્થિતિને પગલે અહીંની સ્કૂલો, એરપોર્ટ સહિત ઓફિસો બંધ કરી દેવાઇ હતી. રેતનું તોફાન એટલું ભયંકર હતું કે રાજધાની(capital) બગદાદ (Baghdad) ધૂળથી જાણે ઢંકાઇ ગયું. રેતના આ તોફાનથી ઇરાકના અન્ય શહેરોમાં પણ ભારે અસર થઇ હતી. દક્ષિણ ઇરાકના શિયા બહુલ (Shia majority) નજફ અને ઉત્તરી કુર્દમાં(Kurdish) પણ જનજીવન(Public life) ભારે અસરગ્રસ્ત બન્યું હતું. રેતના આ તોફાનને પગલે અહીંની ઇમારતો, ઘરો અને વાહનો પર ધૂળનું જાણે આવરણ પથરાઇ ગયું હતું. 

આ સમાચાર પણ વાંચો : કોરોના ગયો નથી ત્યાં નવા વાયરસે ચિંતા વધારી, બ્રિટન બાદ હવે આ દેશમાં મળ્યો કેસ.. 

રેતના તોફાનને પગલે જનજીવન અસરગ્રસ્ત થતાં સત્તાધીશોએ રાજધાની બગદાદ સહિત દેશના ૧૮ પ્રાંતમાંથી ૭ માં સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રેતના તોફાનથી વૃધ્ધ અને અસ્થમાના દર્દીઓની(Asthma patients) હાલત કફોડી બની હતી. આવા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો અનુભવ થયો હતો. આ સ્થિતિને જાેતાં સરકારે હોસ્પિટલો ચાલુ રાખવાના આદેશ આપ્યા હતા. ઇરાકના આરોગ્ય મંત્રાલયના(Ministry of Health) એક પ્રવક્તા સૈફ અલ બદ્રએ જાણકારી આપતાં કહ્યું કે, ૪ હજાર જેટલા લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે.

​​​​​​​

May 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લો બોલો!  આત્મનિર્ભર બનવાની સલાહ આપનારી કેન્દ્ર સરકારના આ પ્રધાને લોકોને ઓનલાઈન ખરીદી કરવાની આપી સલાહઃ વેપારી આલમ રોષમાં. જાણો વિગત.

by Dr. Mayur Parikh October 21, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
વિદેશી ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓને કારણે દેશના નાના વેપારીઓનું અસ્તિતવ જોખમમાં આવ્યું છે. કોઈ પણ જાતના નીતિ-નિયમ કાયદાને નહીં માનનારી આ ઓનલાઈન કંપની સામે દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી વેપારી સંસ્થા કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સતત લડત આપી રહી છે. એવામાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ લોકોને ઓનલાઈન ખરીદી પર ભાર આપો – એ મુજબની જાહેરાત આપી છે, તેની સામે દેશભરના વેપારીઓ ઉશ્કેરાઈ ગયા છે.

સરકાર એક તરફ આત્મનિર્ભર થવાની વાત કરે છે અને બીજી તરફ ઓનલાઈન ખરીદી કરવાની લોકોને સલાહ આપી રહી છે. આ રીતે સરકાર જ ઓનલાઈન વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને પ્રમોટ કરી રહી છે એવો આરોપ  પણ વેપારીઓએ કર્યો છે. CAITએ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાને પત્ર લખીને સરકારની આ જાહેરાત સામે નારાજગી વ્યકત કરી છે. તેમજ નાના વેપારીઓ હિતને જોખમમાં મૂકનારી આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે.

ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય

CAITએ સ્વાસ્થ્ય પ્રધાનને લખેલા પત્રમાં આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે. આ જાહેરખબર દેશના 8 કરોડથી વધુ નાના વેપારીઓને આઘાત આપનારી છે. આ જાહેરખબર ભારતના સંવિધાન વિરુધ્ધ વેપારીઓના મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરનારી છે.  સરકાર આ જાહેરખબર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન વેપારમાં ભેદભાવ કરી રહી છે એવો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો હતો.    

October 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક