મીરા ભાયંદર વાસીઓને નવવર્ષ ની અમુલ્ય ભેટ મળી છે. આવતા સપ્તાહ થી મીરા ભાયંદર ની પોતાની સ્વતંત્ર આર.ટી.ઓ ઓફીસ હશે. મહારાષ્ટ્ર ના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર અનિલ પરબ ના હસ્તે આ ઓફીસ નું લોકાર્પણ થશે. આ કાર્યક્રમ ડિજીટલ હશે. આ ઓફીસ ખુલતાની સાથેજ મીરા ભાયંદર ના લોકોને થાણા ના ધક્કા નહીં ખાવા પડે.
