Tag: modi poland visit

  • Kolhapur Memorial in Warsaw: પ્રધાનમંત્રીએ કોલ્હાપુર મેમોરિયલની મુલાકાત લીધી

    Kolhapur Memorial in Warsaw: પ્રધાનમંત્રીએ કોલ્હાપુર મેમોરિયલની મુલાકાત લીધી

    News Continuous Bureau | Mumbai

    Kolhapur Memorial in Warsaw: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉમાં કોલ્હાપુર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

    આ સ્મારક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલિશ લોકોને આપવામાં આવેલી કોલ્હાપુરના રજવાડાની ઉદારતાને સમર્પિત છે. કોલ્હાપુરના વલિવડે ખાતે સ્થાપિત શિબિર યુદ્ધ દરમિયાન પોલિશ લોકોને આશ્રય આપતી હતી. આ વસાહતમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 5,000 પોલિશ શરણાર્થીઓ રહેતા હતા. સ્મારક પર પ્રધાનમંત્રીએ કોલ્હાપુર કેમ્પમાં રહેતા પોલિશ લોકો અને તેમના વંશજો સાથે મુલાકાત કરી.

    પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના વિશિષ્ટ ઐતિહાસિક જોડાણને પ્રકાશિત કરે છે, જેનું સતત પોષણ અને સંવર્ધિત કરવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચોઃPM Narendra Modi:પ્રધાનમંત્રીએ વોરસૉમાં ડોબરી મહારાજા મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM Narendra Modi:પ્રધાનમંત્રીએ વોરસૉમાં ડોબરી મહારાજા મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી

    PM Narendra Modi:પ્રધાનમંત્રીએ વોરસૉમાં ડોબરી મહારાજા મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી

    PM Narendra Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉ ખાતેના ડોબરી મહારાજા સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

    વોરસૉના ગુડ મહારાજા સ્ક્વેર ખાતે આવેલું સ્મારક પોલેન્ડના લોકો અને સરકાર વચ્ચે નવાનગર જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા [ગુજરાતના આધુનિક જામનગરના] પ્રત્યે ઊંડા આદર અને કૃતજ્ઞતાનું સંભારણું છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, જામસાહેબે એક હજારથી વધુ પોલિશ બાળકોને આશ્રય આપ્યો અને આજે તેમને પોલેન્ડમાં ડોબરી (ગુડ) મહારાજા તરીકે યાદ કરવામાં આવે છે. તેમની ઉદારતાની ઊંડી અસર પોલિશ લોકોમાં આજે પણ કાયમ છે. સ્મારક ખાતે પ્રધાનમંત્રીએ પોલિશ લોકોના વંશજો સાથે મુલાકાત કરી જેમને જામસાહેબે આશ્રય આપ્યો હતો.

    PM Narendra Modi:પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના વિશેષ ઐતિહાસિક જોડાણને દર્શાવે છે જે બંને દેશોના લોકો દ્વારા આજે પણ પ્રેમથી રાખવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચોઃFaridabad:રાષ્ટ્રપતિએ ફરિદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.