• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - pensioners
Tag:

pensioners

Pension Adalat to be held on 24 June at Ahmedabad Division of Western Railway
અમદાવાદ

Dak Adalat : પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પેન્શન અદાલત, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ.

by kalpana Verat June 11, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Dak Adalat :  પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ,અમદાવાદ-380009 ખાતે તારીખ 24-06-2025ના રોજ 10.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

Dak Adalat : આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

આવી ફરિયાદો 20-06-2025 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ,અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 20-06-2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.

આ સમાચાર પણ વાંચો : Namo Bharat Rapid Rail : 9 જૂનથી અમદાવાદ-ભુજ નમો ભારત રૈપિડ રેલ નો સાણંદ તથા આંબલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ

Dak Adalat : આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્યાદिત રહેશે.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ”ની સેવા IPPBના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરેલ છે. આ સેવાની શરૂઆતથી પેન્શનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસ ની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડ માં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Karmayogi Swastha Suraksha Yojana Cabinet approves “Gujarat Karmayogi Swastha Suraksha Yojana” for all officers, employees and pensioners of the state
રાજ્ય

Gujarat Karmayogi Swastha Suraksha Yojana : ગુજરાતના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

by kalpana Verat May 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Karmayogi Swastha Suraksha Yojana :

  • મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ
  • રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી
  • PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ
  • રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ મળશે લાભ
  • રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેવા સંજોગોમાં નિયમાનુસાર મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે.

જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.

યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે. રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.

અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે. રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.

આ સમાચાર પણ વાંચો : Pulwama Encounter : જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાની જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ ઠાર..

રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે. ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રિમિયમ ચૂકવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pensioners can now get Digital Life Certificate at home by this service of India post
રાજ્ય

Digital Life Certificate: હવે પેન્શનધારકો ઘરે બેઠાં મેળવી શકશે જીવન પ્રમાણપત્ર, ડાક વિભાગની આ સુવિધાથી પેન્શનરોને કોઈ ટ્રેઝરી કે બેંકમાં જવાની નહીં પડે જરૂર.

by Hiral Meria November 27, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Digital Life Certificate:  પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.  

પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે

 પેન્શનધારકોએ (  Pensioners ) દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ ( Indian Postal Department ) દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Life Certificate ) પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય. 

આ સમાચાર પણ વાંચો: Cotton Farmers Ahmedabad : કપાસના ખેડૂતોને અપીલ, CCIએ અમદાવાદ શાખા હેઠળ આટલા જિલ્લાઓમાં ખોલ્યા 30 ખરીદ કેન્દ્રો..

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે  ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર ( Digital Life Certificate ) શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન ( Postman ) સાથે તેમજ  પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Organization of Pension and NPS Court to resolve pension issues of retired pensioners of Postal Department in rajkot
રાજકોટ

Pension Court Rajkot: ટપાલ વિભાગના નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ, રાજકોટમાં આ તારીખે પેન્શન અને NPS અદાલતનું આયોજન..

by Hiral Meria November 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Pension Court Rajkot:  ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. 

પેન્શનને ( pensioners ) લગતા પ્રશ્નો આપ જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને તા. 15-12-2024 પહેલા મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.

આ સમાચાર પણ વાંચો: Riyadh Design Law Treaty: ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અધિનિયમ પર કર્યા હસ્તાક્ષર, સર્વસમાવેશક વિકાસ અને બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટે કરી પુનઃપુષ્ટી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Department of Posts made special arrangement to provide Digital Life Certificate.
દેશરાજ્ય

Digital Life Certificate: પોસ્ટ વિભાગે પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે કરી ‘આ’ વિશેષ વ્યવસ્થા, વરિષ્ઠ નાગરિકો માટે થશે ઉપયોગી.

by Hiral Meria November 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Digital Life Certificate: પોસ્ટ વિભાગે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને EPFOના તમામ પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ ઑફ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 01.11.2024 થી 30.11.2024 દરમિયાન હાથ ધરવામાં આવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0ના ભાગરૂપે, પેન્શનરો પોસ્ટમેનને તેમની મુલાકાત લેવા અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાનો વ્યવહાર પૂર્ણ કરવા વિનંતી કરી શકે છે, જે આના પર આધારિત છે. આધાર સક્ષમ બાયોમેટ્રિક પ્રમાણીકરણ. આ વર્ષથી, વર્તમાન ફિંગર પ્રિન્ટ ઓથેન્ટિકેશન ઉપરાંત ફેશિયલ રેકગ્નિશન ફીચર પણ રજૂ કરવામાં આવ્યું છે. આ ખાસ કરીને પેન્શનરોમાંના સુપર વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી થશે. આ ડોરસ્ટેપ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પોસ્ટમેન દ્વારા તેમના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એપ ( India Post Payments Bank App ) દ્વારા હાથ ધરવામાં આવે છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પેન્શનરો દ્વારા નજીકની પોસ્ટ ( India Post ) ઓફિસ દ્વારા પણ મેળવી શકાય છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ( RBI ) પણ આ અંગે એડવાઈઝરી જારી કરી છે. પેન્શનરોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવા વિનંતી છે. ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં રહેતા પેન્શનરો ( Pensioners ) પણ DLC ( Digital Life Certificate ) ટ્રાન્ઝેક્શન કરવા માટે પોસ્ટમેનની ડોરસ્ટેપ વિઝિટની વિનંતી કરવા માટે વોટ્સએપ નંબર 8511760606 પર તેમના વિસ્તારના પિનકોડ સાથે તેમની વિનંતી મોકલી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Jharkhand IT Raid : ઝારખંડમાં મતદાન પહેલા આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, CMના અંગત સચિવના ઘરે પાડ્યા દરોડા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city
વડોદરા

DLC Campaign 3.0: વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરોનું થયું આયોજન, આ બેન્કોએ પેન્શનરો માટે યોજ્યા કેમ્પ.

by Hiral Meria November 8, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

DLC Campaign 3.0: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( DLC ) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

આ શ્રેણીમાં, બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા ( Vadodara ) શહેરના અનેક સ્થળોએ શિબિર ( Digital Life Certificate ) યોજાઈ જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં યોજાઈ. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી મધુ મનકોટિયાએ 08.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ બરોડા અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ ( Pensioners ) વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city

કેન્દ્ર સરકારના ( Central Government ) પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે.

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city

આ સમાચાર પણ વાંચો : Gujarat Semiconductor: દેશમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ આટલા લાખ કરોડનું કરશે રોકાણ.

વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC ( DLC Campaign 3.0 ) જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad
અમદાવાદ

DLC Campaign 3.0: અમદાવાદમાં પેન્શનરો માટે યોજાઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો, આ સ્થળોએ કરવામાં આવ્યું કેમ્પનું આયોજન.

by Hiral Meria November 8, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

DLC Campaign 3.0:  પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

કેન્દ્ર સરકારના ( Central Government ) પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે.

વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો ( Pensioners ) દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad

 

આ જ શ્રેણીમાં બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ ( Ahmedabad ) શહેરમાં નારોલ, સાઉથ બોપલ, ઘાટલોડિયા, નરોડા અને ચાંદખેડા જેવા અનેક સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જીપીઓ લાલ દરવાજા, નવરંગપુરા પોસ્ટ ઓફિસ અને માણેકબાગ પોસ્ટ ઓફિસ. ખાતે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી મધુ મનકોટિયાએ 07.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના ( Pension ) જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ મહારાષ્ટ્ર અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad

Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad

આ સમાચાર પણ વાંચો :  India-Afghanistan Relations: તાલિબાન સાથે પહેલીવાર ભારતના દૂતની મુલાકાત, અફઘાનિસ્તાનને આ પોર્ટનો ઉપયોગ કરવાની ઓફર કરી

આ વર્ષે, બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI, MeitY, સંરક્ષણ મંત્રાલય, રેલવે મંત્રાલય અને દૂરસંચાર વિભાગના સહયોગથી આયોજિત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ પેન્શનરો, તેમના જીવન પ્રમાણપત્ર સરળતાથી સબમિટ કરી શકે છે. દેશભરમાં વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને બેંક શાખાઓના કર્મચારીઓ પેન્શનધારકોને તેમના સ્માર્ટ ફોનમાંથી DLC જમા કરાવવામાં મદદ કરી રહ્યા છે. ઉપરાંત, ઘર/હોસ્પિટલમાં જઈને જીવન પ્રમાણપત્રો ડિજિટલ રીતે સબમિટ કરવાની વૃદ્ધાવસ્થા/વિકલાંગ/બીમાર પેન્શનરોને સુવિધા પૂરી પાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઝુંબેશનો સોશિયલ મીડિયા અને બેનરો દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મહત્તમ સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે DLC પોર્ટલ દ્વારા વિભાગ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
OROP scheme is a tribute to the courage and sacrifice of our veterans and ex-servicemen PM narendra modi
દેશ

PM Modi OROP: OROPને થયા દસ વર્ષ, વન રેન્ક વન પેન્શન યોજના આપણા નિવૃત્ત સૈનિકોની હિંમત અને બલિદાનને શ્રદ્ધાંજલિ છેઃ PM મોદી

by Hiral Meria November 7, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi OROP:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન રેન્ક વન પેન્શન (OROP) યોજનાના દસ વર્ષ નિમિત્તે આજે જણાવ્યું હતું કે તે આપણા નિવૃત્ત સૈનિકો અને ભૂતપૂર્વ સેવા કર્મચારીઓની હિંમત અને બલિદાનને શ્રદ્ધાંજલિ છે જેઓ આપણા રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેમણે કહ્યું કે OROP લાગુ કરવાનો નિર્ણય આ લાંબા સમયથી ચાલતી માંગને પૂરી કરવા અને આપણા નાયકો પ્રત્યે આપણા રાષ્ટ્રની કૃતજ્ઞતાની પુનઃ પુષ્ટિ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. PM મોદીએ આશ્વાસન આપ્યું હતું કે સરકાર હંમેશા આપણા સશસ્ત્ર દળોને ( Armed forces ) મજબૂત કરવા અને જેઓ આપણી સેવા કરે છે તેમના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તેટલું બધું કરશે. 

PM Modi OROP:  PM મોદીએ ( Narendra Modi ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક થ્રેડ પોસ્ટમાં લખ્યું:

“આ દિવસે, #OneRankOnePension (OROP) લાગુ કરવામાં આવ્યું હતું. આ આપણા નિવૃત્ત સૈનિકો અને ભૂતપૂર્વ સેવા કર્મચારીઓની હિંમત અને બલિદાનને શ્રદ્ધાંજલિ હતી જેઓ આપણા રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. OROP લાગુ કરવાનો નિર્ણય આ લાંબા સમયથી ચાલતી માંગને સંબોધિત કરવા અને આપણા નાયકો પ્રત્યે આપણા રાષ્ટ્રની કૃતજ્ઞતાની પુનઃ પુષ્ટિ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું હતું.”

On this day, #OneRankOnePension (OROP) was implemented. This was a tribute to the courage and sacrifices of our veterans and ex-service personnel who dedicate their lives to protecting our nation. The decision to implement OROP was a significant step towards addressing this…

— Narendra Modi (@narendramodi) November 7, 2024

આ સમાચાર પણ વાંચો :  Dahod Road Accidents: દાહોદમાં માર્ગ અકસ્માતના બનાવો ઘટ્યા, જિલ્લા પોલીસે આ એનાલિસીસથી રોડ અકસ્માતોમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી.

“તમને બધાને આનંદ થશે કે દાયકામાં લાખો પેન્શનરો અને પેન્શનર ( Pensioners ) પરિવારોને આ ઐતિહાસિક પહેલનો લાભ મળ્યો છે. સંખ્યાઓ ઉપરાંત, OROP આપણા સશસ્ત્ર દળોની સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે હંમેશા અમારા સશસ્ત્ર દળોને મજબૂત કરવા અને અમારી સેવા કરનારા લોકોના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તેટલું બધું કરીશું. #OneRankOnePension”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

November 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Camp organized for Digital Life Certificate (DLC) campaign in Vadodara for pensioners will be held
વડોદરા

DLC Campaign 3.0: વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ માટે શિબિરનું આયોજન, પેન્શનરો માટે આ સ્થળોએ યોજાશે કેમ્પ.

by Hiral Meria November 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

DLC Campaign 3.0: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, ભારત સરકાર, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બર, 2024માં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા પેન્શનર્સ કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.  

અગાઉ, પેન્શનરોએ તેમના જીવન પ્રમાણપત્રો ( Digital Life Certificate ) સબમિટ કરવા માટે પેન્શન વિતરણ અધિકારીઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવો પડતો હતો, જેના કારણે પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ઘણી અસુવિધા થતી હતી, કારણ કે તેમને લાંબા સમય સુધી લાંબી કતારોમાં રાહ જોવી પડતી હતી. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે વર્ષ 2014માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણ) અને નવેમ્બર, 2021માં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરી હતી. આ પ્રગતિએ અન્ય બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાતને દૂર કરી અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી.

વિભાગે વર્ષ 2022માં દેશભરના 37 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ( DLC Campaign 3.0 ) હાથ ધરી હતી, જેમાં 1.41 કરોડથી વધુ DLC જનરેટ થયા હતા. 100 શહેરોને આવરી લેતા, નવેમ્બર, 2023માં યોજાયેલા DLC ઝુંબેશ 2.0માં અંદાજે 1.47 કરોડ DLC જનરેટ થયા હતા.

આ વર્ષે, DLC ઝુંબેશ 3.0 (1 થી 30 નવેમ્બર, 2024 દરમિયાન)માં, દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે. તમામ બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI, METI, સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. પેન્શનરોને તેમના જીવન પ્રમાણને ડિજિટલ રીતે સબમિટ કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ શહેરોમાં વિવિધ સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવશે, અને વૃદ્ધો અને વિકલાંગ પેન્શનરોના ઘરે જઈને તેમને તેમના DLC સબમિટ કરવામાં મદદ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઝુંબેશનો સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવશે, જેનું ડીએલસી પોર્ટલ ( DLC Portal ) દ્વારા વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Police Surendranagar: દારૂબંધી સામેની લડાઈમાં ગુજરાત પોલીસના આ બહાદુર અધિકારીએ ગુમાવ્યો જીવ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ.

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વયોવૃદ્ધ પેન્શનરો અથવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાનો છે જેથી તેઓ પણ આ ટેક્નોલોજીથી માહિતગાર થઈ શકે અને તેનો લાભ મેળવી શકે.

વર્ષ 2024માં વડોદરા ( Vadodara ) , ગુજરાતમાં શિબિર આયોજિત કરવામાં આવી રહી છે. આ શિબિર બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા શહેરના અનેક સ્થળોએ આયોજિત કરવામાં આવી રહી છે જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં લગાવવામાં આવી રહી છે. પેન્શન ( Pensioners ) અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ માનકોટિયા, 07.11.2024 ના રોજ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા માટે આ શિબિરોની મુલાકાત લેશે. UIDAI આ શિબિરોમાં પેન્શનરોના ( Pension ) આધાર રેકોર્ડને અપડેટ કરવામાં અને DLC જનરેશનમાં ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nationwide Digital Life Certificate (DLC) Campaign 3.0 for pensioners
અમદાવાદદેશ

DLC Campaign 3.0: પેન્શનરો માટે હાથ ધરાઈ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0, અમદાવાદના આ સ્થળોએ શિબિરોનું આયોજન.

by Hiral Meria November 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

DLC Campaign 3.0: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, ભારત સરકાર, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બર, 2024માં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા પેન્શનર્સ કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.  

અગાઉ, પેન્શનરોએ તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા માટે પેન્શન વિતરણ અધિકારીઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવો પડતો હતો, જેના કારણે પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ઘણી અસુવિધા થતી હતી, કારણ કે તેમને લાંબા સમય સુધી લાંબી કતારોમાં રાહ જોવી પડતી હતી. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે વર્ષ 2014માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) અને નવેમ્બર, 2021માં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરી હતી. આ પ્રગતિએ અન્ય બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાતને દૂર કરી અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી.

વિભાગે વર્ષ 2022માં દેશભરના 37 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ( DLC Campaign 3.0 ) હાથ ધરી હતી, જેમાં 1.41 કરોડથી વધુ DLC જનરેટ થયા હતા. 100 શહેરોને આવરી લેતા, નવેમ્બર, 2023માં યોજાયેલા DLC ઝુંબેશ 2.0માં અંદાજે 1.47 કરોડ DLC જનરેટ થયા હતા.

આ વર્ષે, DLC ઝુંબેશ 3.0 (1 થી 30 નવેમ્બર, 2024 દરમિયાન)માં, દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે. તમામ બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI, METI, સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. પેન્શનરોને ( Pensioners ) તેમના જીવન પ્રમાણને ડિજિટલ રીતે સબમિટ કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ શહેરોમાં વિવિધ સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવશે, અને વૃદ્ધો અને વિકલાંગ પેન્શનરોના ઘરે જઈને તેમને તેમના DLC સબમિટ કરવામાં મદદ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઝુંબેશનો સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવશે, જેનું ડીએલસી પોર્ટલ દ્વારા વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Hit-and-run case: કારચાલકની દાદાગીરી! કાર સવારે ટ્રાફિક પોલીસકર્મીઓને મારી ટક્કર, બોનેટ પર લટકાવી કેટલાય મીટર સુધી ઢસડ્યા; જુઓ વિડીયો..

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વયોવૃદ્ધ પેન્શનરો અથવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાનો છે જેથી તેઓ પણ આ ટેક્નોલોજીથી માહિતગાર થઈ શકે અને તેનો લાભ મેળવી શકે.

વર્ષ 2024માં ગુજરાતના અમદાવાદમાં ( Ahmedabad ) કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ શહેરમાં નરોડા, નારોલ, સાઉથબોપલ, ઘાટલોડિયા અને ચાંદખેડા જેવા અનેક સ્થળોએ આ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જીપીઓ લાલ દરવાજા, નવરંગપુરા પો.સ્ટે અને માણેકબાગ પો.સ્ટે. ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પેન્શન ( Pension ) અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ માનકોટિયા, 07.11.2024 ના રોજ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા માટે આ શિબિરોની મુલાકાત લેશે. UIDAI આ શિબિરોમાં પેન્શનરોના આધાર રેકોર્ડને અપડેટ કરવામાં અને DLC જનરેશનમાં ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક